My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat,
મંગળવાર, 25 જૂન, 2024
રાષ્ટ્રની એકતા માટે બંધારણ સર્વોપરી છે
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે
tntrilekh shanti paritoshik
tntrilekh shanti paritoshik
વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાહો પર નજર
નાખતાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને
મળી શકે, એ સવાલ મૂંઝવનારો હતો.
દુનિયાભરમાં ઠેકઠેકાણે અશાંતિ અને સંઘર્ષ
ચાલે છે. ક્યાંક અંદરોઅંદર, ક્યાંક દેશ-દેશ
વચ્ચે. આખી સ્થિતિ રામ વગરના રામાયણ
જેવી છે. એમાં કોઇને શાંતિના નોબેલ
પારિતોષિક માટે હકદાર ગણવાનું અઘરું પડે.
શાંતિનું નોબેલ પારિતોષિક
મેળવી ચૂકેલા અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા હુમલાખોર
દેખાયા વિના અંતિમવાદી સંગઠન
આઇએસઆઇએસનો પ્રભાવ કેવી રીતે
રોકવો તેની ફિરાકમાં હોય ત્યારે તો ખાસ.
એવી પણ અટકળો હતી કે આ વર્ષે કોઇ પણ
વ્યક્તિ કે સંસ્થાને આ સન્માન માટે યોગ્ય
ગણવામાં ન આવે એવું બને.
પરંતુ સંસ્થાઓ અને સન્માનો કાઢીને
બેઠા પછી બને ત્યાં સુધી એવી ભાવના રહે કે
મૂળ હાર્દને તાણીતુુસીને પણ કોઇ નામ જાહેર
થઇ શકે તો સારું. એમાં પણ એ નોબેલ
પારિતોષિકની અને ખાસ કરીને શાંતિના નોબેલ
પારિતોષિકની વાત હોય, ત્યારે તેનો ઇતિહાસ
ખાસ્સો ભમરાળો છે.
તેની સૌથી જાણીતી ગરબડોમાંની એક
ગાંધીજીને શાંતિના નોબેલ પારિતોષિકથી ધરાર
વંચિત રાખવાની છે. એ વિશે ઘણું લખાઇ ચૂક્યું
છે અને પછીનાં વર્ષોમાં નોબેલ સમિતિએ
ભૂલનો એકરાર પણ કર્યો છે.
અગાઉના ભેદભાવ પછી ગાંધીજીને શાંતિનું
નોબેલ પારિતોષિક આપવાનું વિચારાયું એ જ
વર્ષે તેમની હત્યા થઇ. એટલે મરણોત્તર
નોબેલ પારિતોષિક જાહેર ન
કરવાના ધારા પ્રમાણે, કમિટીએ ‘આ વર્ષે કોઇ
જીવીત વ્યક્તિ શાંતિના નોબેલ પારિતોષિક
માટે લાયક નથી’ એવી, ગાંધીજી તરફ મોઘમ
ઇશારો કરતી નોંધ સાથે વર્ષ ખાલી જવા દીધું.
એ જ ગાંધીજીને ત્યાર પછી તો એકથી વધુ
વખત નોબેલ કમિટીએ યાદ કર્યા છે. આ વખતે
પણ
પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝઇની સાથે
ભારતીય કર્મશીલ કૈલાશ સત્યાર્થીનું નામ
શાંતિના નોબેલ પારિતોષિક માટે જાહેર
કરતી વખતે કમિટીના પ્રવક્તાએ ગાંધીજીને
યાદ કર્યા અને કહ્યું કે બાળકોના હકો માટે
અને તેમને મજૂરીના ચક્કરમાંથી છોડાવવા માટે
કૈલાશ સત્યાર્થીએ અનેક આંદોલનો-
ચળવળો કરી છે અને એ
બધી ગાંધીજીના માર્ગે, સદંતર અહિંસક રીતે
કરી છે. (મલાલાના અનેક ગણા વધારે
પ્રતાપી પૂર્વસૂરુ ખાન અબ્દુલગફ્ફાર ખાન-
બાદશાહખાન- નોબેલ શાંતિ પારિતોષિક માટે
એકદમ યોગ્ય હતા, પણ એ તો સમિતિને
કદી દેખાયા જ નહીં.) કૈલાશ સત્યાર્થીનું નામ
બહુમતી ભારતીયોએ પહેલી વાર નોબેલ
પારિતોષિક નિમિત્તે જ સાંભળ્યું, એ પણ એક
વાસ્તવિકતા છે. તેમને બાળકોના શોષણ
સામેની કામગીરી માટે નોબેલ કમિટીએ પસંદ
કર્યા છે. એટલે ટૂંક સમયમાં તેમને ભારતીય
નાગરિક સન્માનો પણ મળશે.
સત્યાર્થીની સરખામણીમાં મલાલા યુસુફઝઇ
એક ‘સેલિબ્રિટી’ છે. પાકિસ્તાનના સ્વાત
વેલી પ્રદેશમાં બાળકીઓના ભણતર માટે
ઝુંબેશ ચલાવનારી મલાલાને બે વર્ષ
પહેલાં તાલીબાનોએ ગોળી મારી હતી.તેમ
છતાં મલાલા હિંમત હારી નહીં અને છોકરીઓને
શિક્ષણ અપાવવા માટેનું કામ ચાલુ રાખ્યું.
જોેકે તાલિબાની હુમલા પછી આંતરરાષ્ટ્રિય
પ્રસાર માધ્યમોમાં મલાાલાનો ભારે
જયજયકાર થયો. એવું પણ કહેવાયું કે
મલાલાને તેના નક્કર કામની સામે
મળેલી પ્રસિદ્ધિ અપ્રમાણસરની અથવા પશ્ચિમી પ્રસાર માધ્યમોની આવા કોઇ પ્રતીક માટેની ભૂખનું પરિણામ છે.
પાકિસ્તાનમાં અસલામતીના પ્રશ્નો પછી હાલ
બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની મલાલા માટે
રૃઢિચુસ્ત પાકિસ્તાનીઓને
જુદા પ્રકારનો વાંધો છે- અને તેની સાથે સંમત
થઇ શકાય એમ નથી. પરંતુ
મલાલાની અપ્રમાણસરની પ્રસિદ્ધિ અને તેને
એક પ્રતીક
બનાવી દેવાની તાલાવેલી ચોક્કસપણે
વિચારવા જેવા મુદ્દા છે.
તેમાં મલાલાના કામને કે તેની હિંમતને
ઓછી આંક્યા વિના, હઇસો હઇસોથી દૂર
રહેવાની જ વાત છે. ઇન્ટરનેટ અને સોશ્યલ
નેટવર્કિંગના આ યુગમાં અહોભાવ અને
ધીક્કાર ઘણી વાર
હવામાંથી ઝીલી લેવામાં આવે છે. ત્યાર
પછી વ્યક્તિનું કામ નહીં, પણ કેવળ તેનું નામ
એક પ્રતીક બની જાય છે.
મલાલા જેવી સત્તર વર્ષની હિંમતબાજ
છોકરીને લડતનું પ્રતીક બનાવવાથી કે
તેનાં વખાણ
કરવાથી થતી ‘ફીલગુડ’ની લાગણી લોકોને
બાકીની જવાબદારીમાંથી કે બીજું કંઇ
નહીં કર્યાના અપરાધભાવમાંથી મુક્તિ પણ
આપી શકે છે. એમાં મલાલાનો કશો વાંક નથી.
કોઇ પણ નોબેલ પારિતોષિક સામાન્ય રીતે
ચોક્કસ વર્ષનું અપાતું હોવા છતાં, તેનું
મહત્ત્વ અને તેનો વ્યાપ લાઇફટાઇમ
અચીવમેન્ટ પ્રકારનાં હોય છે. એ દૃષ્ટિએ
મલાલાને નોબેલ પારિતોષિક થોડું પ્રદાન માટે
અને ઘણું બધું પ્રોત્સાહન માટે અપાયું હોય
એવું લાગે છે. નોબેલ કમિટીના પ્રવક્તાએ
ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે એક ભારતીય અને
એક પાકિસ્તાની, એક હિંદુ અને એક મુસ્લિમને
આ પારિતોષિક એનાયત કરવાનું પણ મહત્ત્વ
છે. આ પ્રકારનો સુમેળ સાંભળવામાં બહુ
સારો લાગે, પણ તેનાથી નવી આશાનો સંચાર
થાય કે વૈશ્વિક અશાંતિનું વાતાવરણ બદલાય
એવું અત્યારે તો જણાતું નથી.
સૌજન્ય: ગુજરાત સમાચાર
રવિવાર, 23 જૂન, 2024
શિક્ષણ જગતની અધોગતિ
શનિવાર, 22 જૂન, 2024
એ આઈ ટેકનોલોજી વિકાસ વિરોધી નથી
ચોપાસ
તા.22.6.20
++++++++++++++
એ આઈ ટેકનોલોજી વિકાસ વિરોધી નથી
++++++
નવી વસ્તુ આવતા જૂની વસ્તુ દૂર થાય છે. મોબાઇલ ફોન આવવાથી એસટીડી અને પીસીઓ દૂર થયા. રેડિયો આવવાથી જે રીતે ગામો પણ દૂર થયા. ડીઝલ એન્જિન આવવાથી જે રીતે સ્ટીમ એન્જિન દૂર થયા અને ઈલેક્ટ્રિક એન્જિન આવવાથી ડીઝલ એન્જિન દૂર થયા આ વિકાસની એક પ્રક્રિયા છે તેને અટકાવી શકાય નહીં વિકાસની સાથે ચાલુ જરૂરી છે તેનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી.
++++++++++++++++++++++++
આજે મોટાભાગના ભણેલા ગણેલા માણસોને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ માં ઝાઝી ગતાગમ પડતી નથી છતાં પોતે આ બાબતમાં નિષ્ણાંત હોય તે રીતે નિવેદનો આપી રહ્યા છે.એક નિવેદન એવું છે કે આ ટેકનોલોજી માનવતાને માટે મોટું જોખમ છે. એ આઈ ટેકનોલોજી વાળા યંત્ર માનવો જ્યારે મેદાનમાં આવશે ત્યારે તહેલકો મચી મચી જશે. પરંતુ સાથોસાથ તેનો સદ ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ કંટ્રોલર પાસે હોવી જોઈએ તે જો નો હોય તો તેમાં મોટી મુશ્કેલી નું સર્જન થઈ શકે છે.
એઆઈ ટેક્નૉલૉજી એક રીતે મયાવહ લાગે છે, પરંતુ તમારા ખિસ્સાનો સ્માર્ટફોન એપોલો મેશનના ચંદ્ર-ઉતરાણ કરતાં વધુ ચડિયાતું સુપર કમ્પ્યુટર છે. તે તમને ડરાવતું નથી. એઆઈ સાથે પણ આવું જ હશે. એઆઈ સાધનો વિકસાવવા માટે ઉચ્ચ કૌશલ્યની જરૂર પડશે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે નહીં.
પણ આ ટેકનોલોજી એક જોખમ પણ છે. એઆઈ ધરાવતી પરંતુ ડ્રોઇંગ કૌશલ્ય નહીં ધરાવતી વ્યક્તિ પણ યોગ્ય રેખાંકનો બનાવી શકે છે. એઆઈની મદદ ધરાવતો કોડર ૧૦ ગણા વધુ કોડ બનાવી શકે છે. એઆઈ દ્વારા બિનજરૂરી- ઊભા કરવામાં આવેલા ચિત્રકારો અને કોર્ડ્સનું શું થાય છે?
દરેક વ્યક્તિ જે એઆઈને કારણે નોકરી ગુમાવે છે તેને સર્જનાત્મક પ્રતિભાશાળી બનવાની જરૂર નથી જે નવી એઆઈ સક્ષમ આર્થિક તકો સાથે પાછો ફરી શકે છે. પણ પડકારોનો સામનો કરવા અને સફળ થવા માટે મોટી સંખ્યામાં સર્જનાત્મક મગજ જરૂરી છે. તે સર્જનાત્મક્તાના સામાજિક વિક્ષેપ, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની ક્ષમતા સત્તાના આજ્ઞાપાલન માટે વિરોધી ગુણો માટે કહે છે.
ભારતમાં અત્યાર સુધી ના અવલોકનો બતાવે છે કે ડિજિટલ ટેકનોલોજીને કારણે લોકોને રોજગારી વધુ મળી છે એ આઈ આવ્યા પછી આની ઝડપ બમણી થઈ છે અહીં એક એવી દલીલ કરવામાં આવે છે કે નવી ટેકનોલોજી આવશે એટલે લાખો લોકોની નોકરી જશે પરંતુ જે લોકો પોતાની જૂની ઘરે પ્રમાણે ચાલશે જૂની ટેકનોલોજી નો ઉપયોગ કરશે તો ચોક્કસ તેની નોકરી જશે પરંતુ જે જમાના સાથે કદમ મેળવશે તેની નોકરી જળવાઈ રહેશે માત્ર નોકરી જળવાઈ રહે છે પૂરતું નથી પરંતુ તેની પ્રગતિ પણ થશે તે પણ એક હકીકત છે.ભારતના અત્યાર સુધીના પ્રગતિના આંકડા બતાવે છે કે એઆઈ સંબંધિત નોકરીઓ અન્ય ડિજિટલ ભૂમિકાઓ કરતાં બમણી ઝડપે વધી રહી છે, આનાથી સ્પષ્ટ થાય છે કે, કોઈ વ્યક્તિ એઆઈને કારણે નોકરી ગુમાવશે અથવા પહેલાં કરતાં વધુ મૂલ્ય મેળવવા માટે એઆઈનું દોહન કરશે. એનો આધાર વ્યક્તિ પાસેના માનવીય કૌશલ્ય પર છે.
કોઈ વ્યક્તિ માત્ર કોઈની સૂચનાઓ અનુસાર જ આગળ વધતી હોય તો શક્ય છે કે, તે એઆઈ સામે પોતાની નોકરી ગુમાવી બેસે. પોતે જે કરે છે તેના પર અંકુશ ધરાવતા લોકો પોતાની ઊપજ વધારવા એઆઈ સાધનો શોધી લેશે.
એઆઈને વિકસાવવા માટે સ્માર્ટ કોડ લખવાનો, ભ્રામક્તા, પૂર્વગ્રહ અને સુસંગત વિશ્વસનીયતા માટેનાં પરિણામોનું પરીક્ષણ કરવાનો, એઆઈ સાધનોનું ઉત્પાદન કરવાનો અને તેના જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આનો અર્થ એ છે કે, ઉચ્ચ સ્તરની તે નોકરીઓ, ઉચ્ચ સ્તરનાં શિક્ષણ અને નવિનતા માટે હાકલ કરે છે. તે પરંપરાગત ઉત્પાદન, વ્યવસ્થાપક વહીવટ, માર્કેટિંગ, લૉજિસ્ટિક નોકરીઓ વગેરે વાજબી સંખ્યામાં નિર્માણ કરશે.
એઆઈ મોટી સંખ્યામાં અદ્યતન કમ્પ્યુટિંગ ચિપ્સની માગ કરશે, જે ઉત્પાદન પરિવહન, સર્વર ફાર્મમાં (ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે) અથવા ઉપકરણોમાં કમ્પ્યુટિંગ ઇન- સીટયુ (એજ કમ્પ્યુટિંગ) માટેનો અવાજ બુલંદ કરશે.
ક્લાઉડ કમ્પ્યુટિંગ કામ કરવા મોટા ડેટા મોક્લવા માટે સક્ષમ અલ્ટ્રા-ફાસ્ટ નેટવર્કસની જરૂર છે. નેટવર્કને મૂકવું અને આવા નેટવર્કસ માટે માર્ગ બનાવવાનો અર્થ હજી વધુ પરંપરાગત નોકરીઓ એવો થાય છે. એક સમયે ડેટા મોકલવા માટે એલ્યુમિનિયમ અને કોપરના વાયર નો ઉપયોગ થતો હવે ફાઇબર ઓપ્ટિક્સ નો ઉપયોગ થઈ રહ્યો છે જે હતી ઝડપથી મોટા પ્રમાણમાં ડેટા મોકલી શકે છે. આનાથી કામ ઝડપી બન્યું છે લોકોને રોજગારી મળી છે આમ છતાં
એઆઈ સામાન્ય નોકરીઓ પર કેવી રીતે અસર કરશે અથવા તેમાં પરિવર્તન કરશે, અ વધુ મહત્ત્વની બાબત છે. એ સમજવા માટે બિન્જ કોપીલોટ પર જાવ અને તેને રામ મંદિરનું સ્કેચ દોરવાનું કહો અથવા હો ચી મિન્હની તરજ પર ખેડૂતોના વિરોધ માટે સૂત્રો લખવા માટે કહો.. જે બહાર આવશે તે તમને આનંદિત અને સાવધ બન્ને કરશે. નર બકરીના આકારમાં મંદિરોનાં ચિત્રો નકાર્યા પછી તમને હિન્દુ મંદિરની યોગ્ય છબિ મળે શું એઆઈ . મોટા પ્રમાણમાં નોકરીઓને ખતમ નહીં કરે? આ દલીલ પ્રથમ નજરી સાચી લાગે છે
પરંતુ તેનો અર્થ સામૂહિક બેરોજગારી ન હતો. મોટર પરિવહને પોતાની રીતે જ નવી નોકરીઓનું સર્જન કર્યું અને સમગ્ર નવા ઉદ્યોગોને આવવા અને ખીલવા સક્ષમ બનાવવા, લાખો નવી નોકરીઓ અને અકલ્પનીય સમૃદ્ધિનું સર્જન કર્યું!
એઆઈ દ્વારા ઘડવામાં આવેલી વિક્ષેપ તેના આર્થિક પતનમાં કોઈ અલગ હોવાની શક્યતા નથી. હવે સ્ક્વીડ ગેમ જેવા ટેલિવિઝન શો માટે વિચાર કરવા અને તેને વૈશ્વિક મેગા હિટ બનાવવા માટે નેટફિલિક્સ જેવા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મની જરૂર છે. એવા ભવિષ્યની કલ્પના કરો જેમાં સેટેલાઇટ બ્રૉડબૅન્ડ અને એઆઈનું સંયોજન કોલકાતાના અભ્યાસુને વિક્રમ-વેતાળનાં સાહસો પર આધારિત ગ્રાફિક નવલકથા બનાવવા માટે સક્ષમ બનાવે છે, પૃથ્વી પરની દરેક ભાષામાં તેનું ભાષાંતર કરે છે અને તેને ગમે ત્યાંથી સુલભ બનાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ની મદદથી કામ ઝડપથી અને સહેલાઈથી થાય છે પરંતુ તેને કારણે વ્યક્તિની સર્જનાત્મકતા નષ્ટ થાય છે આથી એ આઈ નો ઉપયોગ બંધ કરવાના સૂચનો પણ કરવામાં આવે છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માનવીની ગણિત ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે કેવી રીતે એ આઈ આવવાથી માનવીની વિચાર શક્તિ તો ઠીક પણ તમામ પ્રકારની ક્ષમતાઓ સાવ નબળી પડી જાય એવું બને પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં યોગ દ્વારા માનવીની માનસિકના જાતની શક્તિના વિકાસની વાત છે જ્યારે આધુનિક ટેકનોલોજી માનવીની સર્જનાત્મકતાને પડકાર આપે છે તે પણ એક હકીકત છે
સુરેશ ભટ્ટ
શુક્રવાર, 21 જૂન, 2024
ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરવો સહેલો નથી આ વાયુ ધડાકા સાથે સળગતો હોવાથી તે જોખમી છે
પ્રાસંગીક
ગ્રીન હાઈડ્રોજન નો સૂર્યોદય એટલે ફ્યુઝન પાવર ટેકનોલોજી
+++++
ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરો કરવો સહેલો નથી.જોકે પ્રયોગશાળામાં હાઈડ્રોજન ઉત્પન્ન પણ થઈ શકે છે પરંતુ તેને નિયંત્રિત કરવો મુશ્કેલ કામ છે કારણ કે તે ધડાકા સાથે ફાટે છે સળગે છે અને તેની આગ આસપાસમાં માની ન શકાય તેટલી વિસ્તરે છે અને ક્ષણવારમાં તો બધું બળીને ભસ્મીભૂત થઈ જાય તેવો ભયંકર આ વાયુ છે આથી ગ્રીન હાઈડ્રોજન ની વાતો કરવી સહેલી છે પરંતુ તેનો વહેવારમાં ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો પણ આજે સાત વાર વિચાર કરે છે.
++++++++
હવે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસા કે ડીઝલ નો ઉપયોગ કરવાની બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. પાણીમાંથી પણ વીજળી બની શકે અને તેને ગ્રીન હાઈડ્રોજન કહેવામાં આવે છે કારણ કે પાણીમાં પણ હાઈડ્રોજન ના અણુ હોય છે જેને જુદા પાડી દેવાથી આપણને હાઈડ્રોજન પ્રાપ્ત થાય છે પરંતુ આ કાર્ય વાત કરીએ તેટલું સહેલું નથી તેનું કારણ એટલું જ છે કે હાઈડ્રોજન એવો ભયંકર વાયુ છે કે ધડાકા સાથે સળગે છે આ એનો સૌથી મોટો દુર્ગુણ છે અને એથી તેનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો ડર અનુભવે છે આની પાછળની જે ટેકનોલોજી છે તેને ફ્યુઝન ટેકનોલોજી કહેવામાં આવે છે.
અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ નાખ્યો ભયાનક તબાહી થઈ આમ છતાં
બીજા વિશ્વયુદ્ધ પછી દરેક વિકસિત દેશ હાઈડ્રોજન બોમ્બ બનાવવા માટે, ફ્યુઝન ટેકનોલોજી વિકસાવવા માટે પાગલ બન્યો હતો. મોટાભાગનું સંશોધન ગુપ્ત રીતે ચાલતું હતું. પરંતુ જીનીવા ખાતે, ૧૯૫૮માં એટમિક એનર્જીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા માટે, આંતરરાષ્ટ્રીય ધોરણે બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ અહીં, ગુપ્તતાના પડદા હટાવી દીધા. ૧૯૭૦માં દ.કોરિયામાં, સિઓલ ખાતે આવેલ નેશનલ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફ્યુઝન અને બેઝિક પ્લાઝમા રિસર્ચની શરૂઆત થઈ હતી. નાના પાયે પ્લાઝમા રિસર્ચ માટે તેમણે, પ્રથમ ટોકમેક ‘SNUT-79'ની શરૂઆત કરી હતી. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં, કોરિયા એટમિક એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે ટી વન નામનું ફ્યુઝન ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું હતું. કોરિયા (એડવાન્સ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ, પોતાનું સ્વતંત્ર રિએક્ટર વિકસાવ્યું. ત્યારબાદ, નેશનલ ફ્યુશન રિસર્ચ (ઇન્સ્ટિટ્યુટ દ્વારા હેનબીટ મિરર ડિવાઇસનું બાંધકામ કરવામાં આવ્યું.૧૯૯૫માં દક્ષિણ કોરિયાની સરકારે, જેને ખરેખર ફ્યુઝન ટેકનોલોજીનો વિકાસ કહેવાય, તેવું પ્રથમ પગલું ભર્યું. સરકારે આધુનિક કોરિયન સુપરકંડકટીંગ ટોકમેક એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેને વિજ્ઞાનીઓ ‘કેસ્ટાર’ તરીકે ઓળખે છે. તાજેતરમાં સમાચારોમાં જ ચમકેલ, સૂર્ય કરતા સાત ગણા તાપમાન સર્જવાનો રેકોર્ડ, આ ‘કેસ્ટાર' ટોકમેકે સર્જ્યો છે.
ઈ.સ. ૨૦૦૩માં કોરિયા આંતરરાષ્ટ્રીય ધોરણે, ચાલતા ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપરિમેન્ટ રિએક્ટર ઈટર માં જોડાયું હતું. ૨૦૦૫માં કોરિયા નેશનલ સાયન્સ કાઉન્સિલ દ્વારા ફ્યુઝન એનર્જી ડેવલોપમેન્ટ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં તેને કોરિયન નેશનલ કોંગ્રેસ દ્વારા, કાયદો રચીને મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે દક્ષિણ કોરિયાએ ફ્યુઝન ટેકનોલોજીમાં પોતાની પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી. દક્ષિણ કોરિયા ૨૦૪૦ સુધીમાં વ્યાપારી ધોરણે ફ્યુઝન પાવર પ્લાન્ટ નાખવાની ગણતરી કરી રહ્યું છે. પરંતુ આ કાર્ય માની શકાય તેટલું સરળ નથી વ્યાપારી ધોરણે હાઇડ્રોજનમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય માનીયે તેટલું સહેલું નથી કારણ કે તેમાં જોખમ ખૂબ છે ગ્રીન હાઈડ્રોજન ની બધા વાતો કરે છે એને માટે ઉજળા ભવિષ્યના સૂચનો પણ કરે છે પણ ગ્રીન હાઈડ્રોજન હકીકતની અંદર અતિ જોખમી પણ પુરવાર થઈ શકે છે
ફ્યુઝન ટેકનોલોજી દ્વારા વ્યાપારી ધોરણે ઉર્જા મેળવવાનું હજી સુધી શા માટે શક્ય બન્યું નથી? આવો સવાલ થવો સામાન્ય છે. આપણે જાણીએ છીએ કે સૂર્યની સપાટી ઉપર ખૂબ જ ઊંચું એટલે કે તાપમાન હોય છે. પ્રયોગશાળામાં ટેકનોલોજી દ્વારા ઉર્જા મેળવવાની થાય ત્યારે પણ, ખૂબ જ ઊંચું તાપમાન પેદા થતું હોય છે. વિજ્ઞાનીઓને મુખ્ય સમસ્યા અહીં નડે છે. આ ખૂબ જ ઓછું તાપમાન નિયંત્રિત કઈ રીતે કરવું. ખૂબ જ ઊંચા તાપમાને ઓગળી ન જાય તેવા, યંત્રની ડિઝાઈન કેવી રીતે કરવી? આ સમસ્યાનો ઉકેલ દરેક દેશ પોતાની રીતે અલગ અલગ ટેકનોલોજી વાપરીને કરે છે. ફ્યુઝન ટેકનોલોજીના સંશોધન, જે યાંત્રિક વિશાળ કદની રચના વપરાય છે. તેને વિજ્ઞાનીઓ ટોકમેક તરીકે ઓળખે છે. ટોરસ (ડૉનટ)ના આકારમાં પ્લાઝમાને સીમિત કરવા માટે શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોવાથી, તેને ટોકમૅક કહે છે. ટોકમૅકએ નિયંત્રિત થર્મોન્યુક્લિયર ફ્યુઝન પાવર ઉત્પન્ન કરવા માટે વિકસાવવામાં આવેલા, વિવિધ
પ્રકારના ચુંબકીય બંધિયાર ઉપકરણોમાંથી એક છે. ૨૦૧૬ સુધીમાં, તે પ્રાયોગિક ફ્યુઝન રિએક્ટરની રચના કરવા માટેનો પ્રથમ દાવેદાર ઉમેદવાર હતો. 'ટોકમેક' શબ્દ રશિયન ટૂંકાક્ષર પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘ચુંબકીય કોઇલ સાથે ટોરોઈડલ ચેમ્બર'. પ્રયોગશાળામાં જ્યારે ખૂબ જ ઉંચુ તાપમાન પેદા થાય છે ત્યારે, પદાર્થ પોતાની ત્રણેય અવસ્થા છોડીને, ચોથી અવસ્થા એટલે કે પ્લાઝમા સ્ટેટમાં આવી જાય છે. કોરિયાએ શરૂઆતમાં, કેસ્ટાર ટોકમેકમાં ઊંચા તાપમાન સામે ટકી રહેવા માટે, કાર્બનનો પ્રયોગ કર્યો હતો. પહેલા તેમાં સુધારા વધારા કરીને, કાર્બનના સ્થાને હવે ટંગસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવતા વર્ષે થનારા આંતરરાષ્ટ્રીય પ્રયોગમાં એટલે કે ઇટરમાં પણ, કોરિયાએ વાપરેલ તંગસ્ટન ડાયવર્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આમ કોરિયાએ તાજેતરમાં કરેલ પ્રયોગની વિગતો આંતરરાષ્ટ્રીય પ્રયોગ વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. પ્રયોગશાળામાં હાઈડ્રોજન કેવી રીતે બની શકે? જો કે શાળા નં,, કોલેજની પ્રયોગશાળામાં હાઈડ્રોજન બનાવવો એકદમ સરળ છે પાણીમાં એસિડનું એક ટીપું નાખીને તેમાં નેગેટિવ અને પોઝિટિવ પોલ નાખીને આ કામ થઈ શકે છે એક તાંબાનો અને જસત નો એમ બે સળિયા લઈને તેને એસિડ યુક્ત પાણીમાં નાખી બંને તે છેડે બેટરીના ડીસી વોલ્ટેજ આપવાથી પાણીનું વિભાજન થાય છે તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટો પડે છે આ હાઈડ્રોજન અલ્પ પ્રમાણમાં હોવાથી તે સામાન્ય રીતે ઓછો જોખમી છે
પણ જો આ પ્રયોગમાં હાઈડ્રોજન વાયુના પરપોટા નું પ્રમાણ વધી ગયું હોય તો ચોક્કસ તે જોખમી બની શકે છે હવે હવે આપણે એ જોઈએ કે પ્રયોગશાળામાં ગ્રીન હાઈડ્રોજન કેવી રીતે ઉત્પન્ન થઈ શકે
સામાન્ય રીતે પ્રયોગશાળામાં ફ્યુઝન પ્રક્રિયા શરૂ કરવી હોય તો, પ્લાઝમા અવસ્થામાં તાપમાન ૧૦ કરોડ ડીગ્રી સેલ્સિયસ કરતા વધારે હોવું જોઈએ. સામાન્ય રીતે ધન વીજભાર ધરાવતા કણ (આયન) એકબીજાની નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે, તેમની વચ્ચે લાગતા વિદ્યુત અપાકર્ષણના કારણે તેઓ એકબીજાની નજીક આવી શકતા નથી. તેમને એકબીજાની નજીક લાવવા માટે પણ, પુષ્કળ પ્રમાણમાં દબાણ આપવાની જરૂર પડે છે. આ ઉપરાંત તેમનું મિલન કરવા માટેની જગ્યા, એટલે કે સ્પેસ પણ નાની હોવી જોઈએ. આ માટે પ્રયોગશાળામાં માત્ર થોડી ક્ષણો માટે મીની સૂર્યનું સર્જન કરી શકે છે સૂર્ય જેવી પ્રક્રિયાની જ્યાં શરૂઆત થાય છે તે ક્ષણને વૈજ્ઞાનિકો ઇગ્નેશન તરીકે ઓળખે છે આ પ્રકારના પ્રયોગો અમેરિકા જાપાન કોરિયાની પ્રયોગશાળામાં થયા છે તાજેતરમાં કોરિયાના વૈજ્ઞાનિકો સૂર્ય કરતાં સાત ગણો વધારે તાપમાન પેદા કરી શક્યા છે સૂર્યના કેન્દ્ર ભાગમાં 1.5 કરોડ સેલ્સિયસ ગરમી હોય છે જ્યારે પ્રયોગશાળાના કે સ્ટાર ટોક મેકે નામના સાધનમાં 48 સેકન્ડ માટે 10 કરોડ સેલ્સિયસ નું તાપમાન પેદા કરીને એક રેકોર્ડ કરવામાં આવ્યો છે આ એક એવો પ્રયોગ છે જેને કારણે ગ્રીન હાઈડ્રોજન ના સપના સાકાર થઈ શકે તેમ છે પરંતુ આવા વાહનો જીવતા બોમ્બ જેવા બની જાય છે આથી તેનો વપરાશ ધીમે ધીમે વ્યાપારમાં ઘટી રહી હોય છે ટૂંકમાં ગ્રીન હાઈડ્રોજન ની જેટલી વાતો મોટા પ્રમાણમાં થાય છે તેટલા પ્રમાણમાં આ ગ્રીન હાઈડ્રોજન નો વ્યવહારિક ઉપયોગ કરો મુશ્કેલ છે કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે હાઈડ્રોજન વાયુ ભયાનક ધડાકા સાથે ફાટીને સળગે છે હવે જો વાહનમાં આ વાયુનો ઉપયોગ કરવામાં આવે તો અકસ્માત સમયે કેટલી જાનહાનિ થાય અને કેટલું પ્રદૂષણ ફેલાય તેનો વિચાર કરતા ની સાથે જ વૈજ્ઞાનિકોનો ગ્રીન હાઈડ્રોજન માટેનો ઉત્સાહક ઢીલો પડી જાય છે
સુરેશ ભટ્ટ
https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==
-
પ્રાસંગિક અથવા ચોપાસ +++++++ ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા ++++++++++++++ ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્...
-
તા.૪.૧.૨૬ પ્રાસંગિક “સીટીઝન સાયન્ટિસ્ટ”ના જોખમી પ્રયોગો ++++++++++++++++++++ ઓનલાઈન વેચાતી અમુક મેડિસિન એવો દાવો કરે છે કે તે લેવાથી શરીર...
-
સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ખાસ લેખ ભારત હવે પછી આર્થિક મહાસત્તા બનશે ++++++++ અમેરિકાના ભારે ટેરીફ ના કારણે ભારતનું અર્થતંત્ર તૂટી જશે તેવી ...