मंगलवार, 25 जून 2024

ભારતનો અર્થ તંત્રપ્રાસંગિક ભારતના વિકાસની ગતિમાં બ્રેક મારવા ના ચાઇનાના નિષ્ફળ પ્રયાસો +++++++++++++++ ચીન ભારતની એક એવી વિકસતી તાકાત તરીકે જુએ છે જે તેની ક્ષમતા કરતા વધુ ઝડપે વિકાસ પામી રહી છે આ વસ્તુ વિસ્તારવાદી ચીનને જરાય ગમતી નથી. ++++++++++++++++ કાશ્મીરમાં ચૂંટણી સફળતાપૂર્વક થઈ અને પાકિસ્તાન તરફ પ્રેમ ધરાવતા ભારતના રાષ્ટ્રવિરોધીઓ ભુરાયા થયા. નવી સરકાર સત્તામાં આવે તેવા સમયે કાશ્મીરમાં આતંકી હુમલાઓ થયા વડાપ્રધાને તાત્કાલિક હાઈ લેવલની મીટીંગ બોલાવીને ઓપરેશન ઓલ આઉટ નો અમલ કરવા ઓર્ડર આપી દીધો અને લશ્કરને છૂટો આપી તેઓ ઇટાલીની વિદેશ યાત્રાએ ઉપડી ગયા. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ અને વિકાસના સપના સાકાર થાય તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને ગમે નહીં તે હકીકત છે બીજી બાજુ ભારતની ધરતી પર રહીને ભારતનો અન્નખાતા ભારત વિરોધીઓ તરત જ તે પાકિસ્તાનની અને ત્રાસવાદની તરફેણ કરવા જાહેર નિવેદનો કરવા લાગે છે અને ત્રાસવાદ સામે નમ્રતાથી વર્તી સમાધાન કરવા માટેની સુફિયાની સલાહો આપવા લાગે છે પરંતુ આ વસ્તુ શક્ય જ નથી કારણ કે આતંકવાદનો નાશ થવો જોઈએ. બીજી બાજુ સરહદ પર ચીન શાંત નથી બેઠું તે નવા નવા કન્સ્ટ્રક્શન કરે છે અને ઓચિંતા જ હડપલા કરી પોતાની આક્રમકતા વ્યક્ત કરે છે તેને ભય છે કે ભારતની આર્થિક ને લશ્કરી પ્રગતિ એક જી-2 વિશ્વ વ્યવસ્થા સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફેરવી શકે છે જી-2 એટલે એક એવી દુનિયા જેમાં અમેરિકા અને ચીન બે જ ધ્રુવ હોય ભારત આ સ્થિતિને પડકારી તેને જી -,3 ના ત્રિકોણ નું રૂપ આપી શકે છે જીન્નાભાઈ પાયાવ્યો નથી કોઈ પણ દેશની ભૂ રાજકીય તાકાતના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છ.કોઈ પણ દેશની ભૂ-રાજકીય તાકાત તેના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાનું અર્થતંત્ર નાનું અને લશ્કરી તાકાત ઓછી છે, પરંતુ સોફ્ટ પાવર મોટો છે. જ્યારે જાપાન દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં મોટી ભૂ-રાજકીય તાકાત નથી. બ્રિટનનું અર્થતંત્ર સારી સ્થિતિમાં નથી અને તેની સૈનિક ક્ષમતા પણ વધુ નથી, તેમ છતાં લાંબા સમયથી તેનો દુનિયા પર દબદબો છે. આ મોટું કારણ તેનો સોફ્ટ પાવર છે, એટલે કે અંગ્રેજી, ફિલ્મ, ટીવી, સાહિત્ય, સંગીત, રમત-ગમત, શૈક્ષણિક સંસ્થાઓ. ભારતમાં આજે પણ એ જરૂરી આત્મવિશ્વાસ આવ્યો નથી અને તે વિદેશીઓ પાસેથી માન્યતાની આશા રાખે છે. તેના કારણે તેના હાર્ડ પાવરને ટેકો મળતો નથી, જ્યારે કે તે દુનિયાની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર અને ચોથી સૌથી મોટી લશ્કરી તાકાત છે. તેમ છતાં તેના સોફ્ટ પાવરને દુનિયામાં જોઈએ તેવું સ્થાન મળતું નથી, જે સાંસ્કૃતિ વિવિધતાને કારણે અત્યંત સમૃદ્ધ છે. જૂન-2022માં ભારત બ્રિટનને પછાડીને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હતું. વૈશ્વિક અને ભારતીય નાણાસંસ્થાઓની વચ્ચે આ બાબતે સર્વસંમતિ સધાઈ ચૂકી છે કે, ભારતનો જીંડીપી આવતા વર્ષે 6%ના દરે વધશે અને ત્યાર પછી તે 7% થઈ જશે. રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામો અને ચીનમાં કોરોનાની સ્થિતિ પર ઘણું બધું આધાર રાખે છે. 31 માર્ચ, 2023ના રોજ ભારતનો નોમિનલ જીડીપી અંદાજિત રીતે 3.60 ટ્રિલિયન ડોલરનો થવાની સંભાવના વિશ્વબેન્કના તાજા અનુમાનોમાં જણાવાયું છે. ત્યાર પછી ભારત જર્મની અને જાપાનની નજીક પહોંચી જશે. વર્તમાનમાં જર્મની દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને 31 માર્ચ, 2023ના રોજ તેના 4.3 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રબનવાનું પૂર્વાનુમાન છે. જાપાન ત્રીજા ક્રમે છે અને તે 5.1 ટ્રિલયનના આંકડાને પાર કરી શકે છે. જર્મની અને જાપાનનો વાર્ષિક વિકાસ દર ક્રમશઃ 1.4% અને 0.8% રહેવાનો અંદાજ છે. વર્તમાન વિકાસ દર અનુસાર ભારત 2025-26 સુધી જર્મની અને 2027-28 સુધી જાપાનને પછાડીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. આ એટલી મોટી સિદ્ધિ છે કે જેને ઓછી આંકવી ભૂલ કહેવાશે. 2010 સુધી ભારત દુનિયાનું નવમું સૌથી મોટું અર્થતંત્ર હતું અને ઈટાલી જેવા દેશ તેનાથી આગળ હતા. 2014માં ભારત એક પગથિયું પાછળ ખસીને 10મા ક્રમે પહોંચી ગયું હતું. એ સમયે આપણો જીડીપી 2.04 ટ્રિલિયન ડોલર હતો, પરંતુ ત્યાર પછીના દસ વર્ષમાં જીડીપી વધીને લગભગ બમણો થઈ ગયો છે. તેમ છતાં ભારત પોતાની સામેના વર્તમાન ભૂ- રાજકીય પડકારોને કારણે દુનિયામાં પ્રભાવશાળી સ્થિતિમાં બેસી શક્યું નથી. ચીન-પાકિસ્તાન ગઠબંધન તેના ઉદયમાં અવરોધ નાખવા સક્ષમ છે. ચીનની થિન્ક ટેન્ક એવા ફોરકાસ્ટિંગ-ટૂલ્સનો ઉપયોગ કરે છે, જેની મદદથી વિવિધ દેશોની આગામી અનેક દાયકાની આર્થિક પ્રગતિનો અંદાજ લગાવી શકાય છે. ડેટા મુજબ આગામી 20 વર્ષમાં ભારત અને ચીનના જીડીપીનું અંતર ધીમે-ધીમે ઘટતું જશે. 2030ના દાયકામાં અમેરિકા અને ભારતનું સંયુક્ત અર્થતંત્ર ચીનથી મોટું થઈ જશે અને એશિયા- પ્રશાંત વિસ્તારમાં તેમનું સૈનિક ગઠબંધન પણ ઓછું તાકાતવાળું રહેવાનું નથી. ભારતની પ્રગતિથી ચીન ડરી રહ્યું છે. જિનપિંગ ભારતને એવી વિકસતી તાકાત તરીકે જૂએ છે, જે ક્ષમતા કરતાં વધુ આગળ નીકળી ગયું છે. એલએસી પર ચીનની આક્રમકતાનું મૂળ આ જ છે. જોકે, ચીનની વૃદ્ધ થતી જઈ રહેલી વસતી, આંતરિક અસહમતી અને તૂટી રહેલા અર્થતંત્રને કારણે જિનપિંગની મહત્ત્વાકાંક્ષાઓ નિષ્ફળ થઈ શકે છે. ભારત સામે તો એક જ લક્ષ્ય હોવું જોઈએ - સેનાનું આધુનિકીકરણ કરવાની સાથે પોતાના સોફ્ટ પાવરને આગામી કેટલાક વર્ષમાં દુનિયાભરમાં ફેલાવી દેવો. સુરેશ ભટ્ટ

રાષ્ટ્રની એકતા માટે બંધારણ સર્વોપરી છે

પ્રાસંગિક
રાજકીય સમસ્યાઓના સમાધાન માટે
રાષ્ટ્રનું બંધારણ આપણા માટે પથદર્શક 
++++++
નવી સરકાર સત્તારૂઢ થઈ તેની સામે અનેક રાજકીય સામાજિક અને રાષ્ટ્રીય પડકારો ઊભા થયા છે. આ બાબતમાં નવી સરકાર આ તમામના સમાધાન માટે ન્યાયપાલિકા અને રાષ્ટ્રના બંધારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. દેશમાં કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણું બંધારણ તેમાં ચોક્કસ માર્ગદર્શન આપે છે.અને તે પ્રમાણે સરકાર પગલાં લે છે જેથી કરીને લોકશાહીના સનાતન મૂલ્યો જળવાઈ રહે તેના જતન માટે સરકાર દ્રઢ નિશ્ચય છે.
સંઘ પરિવાર સાથે બાબા સાહેબના ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી ગાંધીજી સુભાષબાબુ સાવરકર મદન મોહન માલવીય ચંદ્રશેખર આઝાદ રાજગુરુ એમ કેટલાય લોકો તેમના સંપર્કમાં આવ્યા તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા વધુ હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં એક વાત આવી કે વિષય ભલે જુદા જુદા હોય, વિચાર ભલે જુદા જુદા હોય પરંતુ રાષ્ટ્રનું હિત બધામાં સર્વોપરી હતું
બાબા સાહેબને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી. ગાંધીજી, સુભાષબાબુ, સાવરકર, મદનમોહન માલવિય, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, કેટ-કેટલાં લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં આવી કે સૌના મનમાં એક વાત જરૂર છે. વિષય ભલે સૌના જુદા જુદા છે. પરંતુ લોક કલ્યાણ ની ભાવના બંનેમાં સમાન છે અને આથી જ સંઘ પરિવારના સર્વોચ્ચ નેતા બાબા સાહેબ પ્રત્યે સન્માનની નજર જોતા હતા.

ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ પૂ. હેડગેવારજીનો સંપર્ક હતો. પૂનાના એક સંઘ શિક્ષા વર્ગમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આવ્યા હતા તે સમયે તેમની સાથે જે લોકો હતા તેમાંના એક સ્વતંત્રતા બાદ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પણ બન્યા હતા. તેઓએ પોતાની આત્મકથામાં પણ આ પ્રસંગ વર્ણવ્યો છે. તે વખતે સંઘ શિક્ષા વર્ગમાં ભોજનનો સમય હતો અને ભોજન શરૂ જ થવામાં હતું અને પૂ. હેડગેવારજીને ખબર પડી કે ડૉ. બાબાસાહેબ આવ્યા છે, ત્યારે તેઓએ ભોજન રોકી ખુદ ઊભા થઈ તેઓને લઈ આવ્યા હતા અને સાથે બેસી સૌએ આનંદપૂર્વક ભોજન લીધું હતું. ત્યાર બાદ ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ સંઘમાં જાતિ-ભેદ છે કે નહીં તે પરખવા સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી. બાદમાં બપોરના સમયે ડૉ. હેડગેવારજીનું બૌદ્ધિક નક્કી હતું. છતાં ડૉ. હેડગેવારજીએ બાબાસાહેબને બૌદ્ધિક આપવા કહ્યું, જેમાં બાબાસાહેબે સ્વયંસેવકોને ભારતમાંથી તમામ પ્રકારના ભેદ મિટાવવાની વાત કરી હતી. એક વાત આવી કે તમામના વિચાર ભલે અલગ અલગ હોય પરંતુ સૌના મનમાં એક જ વિચાર છે. આ તમામ તપસ્વીઓ જેના મનમાં એક જ સવાલ હતો કે વારંવાર આ દેશને જ આક્રમણખોરો સામે પરાજિત કેમ થવું પડ્યું. આક્રમણખોરો ખૂબ જ દૂરથી આવ્યા હતા અને આપણા દેશનું વાતાવરણ પણ તેમને અનુકૂળ ન હતું કે ન તો તેમને આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન હતું. અન્ન-પાણી કે હવા તેમના અનુકૂળ ન હતાં અને તેમની સંખ્યા પણ મુઠ્ઠીભર હતી. જ્યારે આપણો દેશ સોનાની ચીડિયા ગણાતો હતો. આપણી પાસે જ્ઞાનનો ભંડાર હતો. આપણા શૂરવીરોની ધાક જગત આખામાં હતી છતાં મુઠ્ઠીભર આક્રમણકારીઓએ હજારો માઈલ દૂરથી આવી વારંવાર આપણને પરાજિત કર્યા હોવાનો ઇતિહાસ કેમ બન્યો ? હૂણોથી માંડી અંગ્રેજો સુધી આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે, કારણ કે આપણે સંગઠિત ન હતા. આપણી આ દુર્બળતાનાં કારણોને હટાવી એક સબળ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરવામાં આવશે નહીં ત્યાં સુધી આ વારંવાર થનારી બીમારી જવાની નથી. સમાજને શક્તિશાળી બનાવવાનું કામ કોઈકે તો કરવું પડશે એવું સૌને લાગતું હતું.

ડૉ. હેડગેવારજી પણ આવું જ માનતા હતા. ૧૯૧૧-૧૯૧૪ દરમિયાન તેઓ કલકત્તામાં હતા. તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ક્રાંતિકારી ત્રિલોક ચતુર્વેદીને મળવાનું થયું હતું ત્યારે તેઓએ તેમની સમક્ષ દેશની સ્વતંત્રતા ઝંખતા તમામ લોકોનો આ વિચાર છે એમ જણાવીને કહ્યું હતું કે, 'લાગે છે કે હવે આ કામ મારે જ કરવું પડશે. આ વાત ખુદ ત્રિલોક ચતુર્વેદીજીએ ડૉ.જીની જન્મશતાબ્દીની ઉજવણીની સમિતિના સદસ્ય બનાવવા માટે સંઘના કાર્યકર્તાઓ તેમની પાસે ગયા હતા ત્યારે સંઘના કાર્યકર્તાઓને જણાવી હતી.
એક શક્તિસંપન્ન, ભેદરહિત, ગુણસંપન્ન અને જીવનસંકલ્પના રૂપમાં દેશને શક્તિશાળી બનાવવાની ભાવના છે. એવા હિન્દુ સમાજના નિર્માણ માટે સંઘ શરૂ થયો હતો. ત્યારે ત્યાગ, બલિદાન અને પરિશ્રમ થકી સ્વતંત્રતા અપાવનાર આ તમામ મહાપુરુષોના સંકલ્પોને સત્ય સિદ્ધ કરનારો સમાજ ઘડવો પડશે. સંઘનું આ જ કાર્ય છે. સંઘ આના સિવાય બીજું કાંઈ ઇચ્છતો પણ નથી, પરમ વૈભવસંપન્ન વિશ્વગુરુ ભારત ભારતના સમાજ થકી જ બનશે. ત્યારે સ્વતંત્રતાના આ અમૃતકાળે આપણે સૌએ વિચાર કરવો પડશે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમના સમકાલીન તમામ મહાપુરુષો કે જેઓએ દેશ માટે પ્રમાણિકતાથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી કોઈને કોઈ ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેમણે લીધેલા સંકલ્પોને સત્ય સિદ્ધ કરવા માટે આપણે ત્યાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે ?
હાલમાં એવો પ્રચાર થઈ રહ્યો છે કે 2024 ની ચૂંટણીમાં જ્યાં સૌથી વધુ ભાજપે કામ કર્યું છે તે ઉત્તર પ્રદેશમાં જ ભાજપનું માની ન શકાય તેટલું ધોવાણ થયું છે આની પાછળ સંઘ પરિવારની રાજકીય ઈચ્છા શક્તિ નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ વસ્તુ બિલકુલ સાચી નથી આની ચોખવટ પણ થઈ ચૂકી છે.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને સ્વતંત્રતા મળી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં આપણે આપણું બંધારણ બનાવ્યું. આ બંધારણનું ભારતની સંસદમાં જ્યારે લોકાર્પણ થયું ત્યારે બાબાસાહેબ આંબેડકરે જે બે ભાષણ આપ્યાં હતાં. તે ભાષણ આપણે સૌ ભારતીયો માટે છે. જે સ્વતંત્રતા આપણા બધા વૌરોના ત્યાગ અને બલિદાનના કારણે આપણને પ્રાપ્ત થઈ. આપણા પૂર્વજોનાં કઠોર પરિશ્રમથી આપણને પ્રાપ્ત થઈ એ સ્વતંત્રતાના માટે સ્વયંને યોગ્ય બનાવ્યા. માટે આ બંને ભાષણો આપણા માટે પથ પ્રદર્શક છે. આપણે સૌ ભારતીયોએ આ ભાષણોને દર વર્ષે ૧૪ એપ્રિલ અને ૬ ડિસેમ્બરના રોજ અવશ્ય વાંચવા જોઈએ. આ ભાષણોનાં પ્રકાશમાં આપણો સૌ ચાલી રહ્યા છીએ કે નથી ચાલી રહ્યા તેનું આત્મચિંતન આપણે સૌએ કરવું જોઈએ. તે ભાષણમાં તેઓએ એકતાના મહત્ત્વને સમજાવ્યું છે. આ બંને ભાષણોમાં તેઓ જે કહે છે તે હું શબ્દશઃ નહીં પણ તેમાં રહેલા ભાવ બતાવું છું, કે આપણા દેશને કોઈ પરકીય શક્તિએ ખુદની શક્તિના બળે નહોતો જીત્યો. એકમેક વચ્ચેના ભેદોને કારણે, એકમેકની કારણે આપણે આપણા દેશને તે પરકીય તાકાતોને ચાંદીની થાળીમાં મૂકીને આપી દીધો હતો. બાકી આપણી સ્વતંત્રતાને છીનવી લેવાની કોઈની હિંમત ન હતી. આગળ તે કહે છે કે આજે આપણે આ સંસદમાં અલગ-અલગ વિચારધારા એમાં માનવામાં આપણે સૌ આ સંસદમાં સંસદના નાતો આપણે પોત-પોતાના અલગ અલગ કેમ્પ બનાવી બેઠા છીએ. પ્રજાતંત્રનું જે સ્વરૂપ આપણે સ્વીકાર્યું છે તેમાં આવું હોવું પણ જોઈએ. પરંતુ આપણે એ ધ્યાન રાખવું પડશે કે એકમેકના મતભેદોથી ઉપર આપણે સૌએ આ દેશ માટે રાજનૈતિક સ્વતંત્રતા અને આર્થિક સ્વતંત્રતાની જોગવાઈઓ બંધારણમાં કરેલું જ છે, પરંતુ સામાજિક સમતા વગર. આ આર્થિક, રાજનૈતિક સમતા - સ્વતંત્રતા પ્રત્યક્ષમાં આવી શકશે નહીં, માટે એના માટે શું કરીશું ? એને આપણે લાવવી પડશે. સમાજના ભેદોનો નાસ કરવો પડશે. આપણો સમાજ અલગ અલગ વર્ગોનો છે અને તેને એક કરવાનો છે એવું નથી. આપણે પહેલેથી જ એક સમાજ જ છીએ. પરંતુ વચ્ચે વચ્ચેના સમયગાળામાં આપણે ખુદ આપણા હાથે આ અલગ અલગ વર્ગ જાતિ વગેરેની નિર્માણ કરીને વચ્ચે અંતર ઊભું કર્યું અને વિદેશી લોકોએ તેનો લાભ ઉઠાવી તે અંતરને વધુ પહોળું કર્યું. આપણે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું પડશે એક બનવું પડશે.

કારણ કે છેવટે તો આપણે આપણાં સ્વપ્નોને સાકાર કરવાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પણ શા માટે કરવામાં આવી ? પૂ. ડૉ. હેડગેવારજી બાલ્યકાળથી જ દેશ માટે ચાલતાં તમામ કાર્યોમાં સક્રિય હતા. તેમના મનમાં દેશની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ ઇચ્છા હતી અને તેના માટે તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માનસિક તૈયારી કરી ચૂક્યા હતા. માતા-પિતાનો બાળપણમાં જ સ્વર્ગવાસ થયો હતો. જેથી ઘરનું બંધન-મોહ પણ તેમને ન હતો ઘર ચલાવવાનું દાયિત્વ પણ તેમના પાસે ન હતું માટે દેશ માટે ચાલતા હરેક કામમાં તેમણે સક્રિયતાથી ભાગ લીધો. સમાજસુધાર હોય કે પછી સમાજ પ્રબોધન હોય કે સમાજના આર્થિક સુધાર માટે સહકારી બેંક જેવા ઉપક્રમો હોય, સમાજના પ્રબોધન માટે વૃત્તપત્ર ચલાવવું, તેનું સંપાદન કરવાનું હોય. સ્વતંત્રતા માટે આંદોલનના માર્ગથી ચાલતું કોંગ્રેસનું કામ હોય કે પછી શસ્ત્રાચારથી અંગ્રેજોને ભગાવવાની આકાંક્ષા રાખવામાં ક્રાંતિકારીઓ માટેનું કામ હોય, જે જે પણ સમાજની ઉન્નતિ અને સ્વતંત્રતા માટે કાર્યો ચાલતાં હતા તેના માટે તેઓ કાર્યકર્તા બન્યા અને પ્રામાણિકતાથી તમામ કાર્યોનો તેઓએ અનુભવ લીધો. સ્વયં પણ આંખો ખુલ્લી રાખીને સમાજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ચિંતન કર્યું. અને આ તમામ કાર્યોમાં તેમના સમકાલીન જે કર્ણધારો હતા તેમની સાથે તેમના અનુભવો ની આપલે કરી હતી. આજે જ્યારે આપણા રાષ્ટ્ર સામે અનેક પડકારો ઊભા છે તેમાં ભાગલાવાદી પરિબળો સમાજના ભાગલા પડે તે માટે પ્રયત્ન કરે છે સમાજ તૂટે એટલે રાષ્ટ્ર માટે એક મોટી સમસ્યા ઉભી થાય દેશમાં જ રહેલા કેટલાક વિઘાતક તત્વો સામાજિક સમરસતાને તોડવા પ્રયાસો કરે છે ત્યારે બાબા સાહેબના વિચારો રાષ્ટ્રના નિર્માણ માટે સર્વોત્તમ પુરવાર થઈ શકે છે 
સુરેશ ભટ્ટ



અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે

પ્રાસંગિક
+++++
અમેરિકામાં ભારતના બુદ્ધિજીવીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે
+(+++++++
ભારતીય વિદ્યાર્થીઓ તેની તેજસ્વીતાને કારણે અમેરિકાની અંદર ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. આથી રોષે ભરાઈને અમેરિકન લોકો ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસો દિવસોમાં ડઝન બંધ ભારતીય વિદ્યાર્થીઓની હત્યા કરવામાં આવી તેનું કારણ તેજોદ્વેષ છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડને એક વખત અમેરિકન વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે સાવધાન થઈ જાઓ તમારા કરતાં તો ભારતીય વિદ્યાર્થીઓ કેટલા તેજસ્વી છે તેઓ કેટલી ઝડપથી પ્રગતિ કરે છે અને તમે તેની સામે બહુચક જેવા જ છો આથી તમારી પ્રગતિ થતી નથી આ પીચની અસર ખૂબ મોટા પ્રમાણમાં થઈ અને અમેરિકાનો ભારતના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા થઈ ગયા પરિણામે આવા તેજસ્વી વિદ્યાર્થીઓની હત્યા થઈ રહી છે અને તે પણ કશા જ કારણ વગર આની સામે ભારત સરકારે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

વિશ્વના કોઈપણ ખૂણામાં અમેરિકન નાગરિક મરી જાય તો તે અમેરિકા માટે પ્રેસ્ટિજ પોઈન્ટ બની જાય છે જ્યારે અમેરિકામાં અન્ય દેશનો કોઈ નાગરિક ગુમ થાય અથવા તેની હત્યા થાય તો તે અમેરિકા માટે સાવ નજીક બાબત ગણાય છેલ્લા 100 દિવસમાં અમેરિકાની અંદર ભારતના એક ડઝન કરતા વધુ લોકોની હત્યા થઈ છે અમેરિકામાં ઇન્ડિયન લોકોને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે તે અંગે ભારત સરકારે ઘણીવાર વિરોધ નોંધાયો છે પરંતુ અમેરિકાએ હા માં હા મેળવી છે પણ કોઈ કડક એક્શન લીધા નથી અમેરિકામાં ભણવા ગયેલા આપણા દેશના સ્ટુડન્ટ્સ એક પછી એક ભેગી રીતે મરી રહ્યા છે શું ઈરાદાપૂર્વક ઇન્ડિયન સ્ટુડન્ટ સ્ટુડન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે ? ભારત સરકારે અમેરિકન ગવર્મેન્ટને અનેક વખત કહ્યું પણ જે એક્શન લેવા જોઈએ તે પૂરતા પ્રમાણમાં લેવાતા નથી અમેરિકાનો એક સીટીઝન કોઈ જગ્યાએ મરી જાય કે ફસાઈ જાય ત્યારે અમેરિકન સરકાર એક્શન મોડ માં આવી જાય છે. બીજાના દેશના નાગરિકની ચિંતા અમેરિકા કરતું નથી. સ્ટુડન્ટ જ નહીં પરંતુ ધંધા વ્યવસાય માટે અમેરિકતા ગયેલા ભારતીયોને નિશાન બનાવવામાં આવે છે જેની સામે અમેરિકન સરકાર પગલાં જે છે પરંતુ તે અપૂરતા હોવાનું જાણવા મળે છે.
આ બાબતમાં અમેરિકા
ગંભીરતા દાખવતું નથી. ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. અમેરિકાની અનેક ટોપ કંપનીઓમાં ભારતીયો સીઈઓ સહિતના હોદ્દાઓ પર બિરાજમાન છે. અમેરિકાની સરકાર અનેક વખત એવું કહી ચૂકી છે કે, અમેરિકાના વિકાસમાં ભારતીયોનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. ભારતીય સ્ટુડન્ટ્સને અમેરિકા આવકારે છે પણ અત્યારે જે થઈ રહ્યું છે એ એવું સાબિત કરે છે કે, ભારતીય વિદ્યાર્થીઓની સલામતી માટે જે કેર કરવી જોઈએ એ થતી નથી. પેટે પાટા બાંધીને પોતાનાં સંતાનોને અમેરિકા ભણવા મોકલતાં મા-બાપનેં એવી અપેક્ષા હોય છે કે, અમેરિકામાં ભણવા જશે તો મારાં દીકરા કે દીકરીની જિંદગી બની જશે. હવે પેરેન્ટ્સને એ ફ્ફડાટ થવા લાગ્યો છે. કે, અમારાં સંતાન અમેરિકામાં સેઇફ રહે તો સારું! જે રીતે ભારતીય સ્ટુડન્ટ્સનાં મોત થઈ રહ્યાં છે એ જોઈને એવા સવાલો પણ થવા લાગ્યા છે કે, ક્યાંક આ ટાર્ગેટ કિલિંગ તો નથીને? અમેરિકાની પોલીસ દરેક કેસની જુદી
 જુદી તપાસ કરે છે, જોકે હવે એવી માંગ ઊઠી રહી છે કે તમામ ભારતીય વિદ્યાર્થીઓનાં મોતની ઘટનાઓની એક સાથે તપાસ કરવામાં આવે કે આની પાછળ કોઇ સોજી સમજી સાજીસ
 તો નથીને?

હૈદરાબાદથી અમેરિકા ભણવા ગયેલા ૨૫ વર્ષના મોહમ્મદ અબ્દુલ અરાફાતની લાશ અમેરિકાના ક્લીવલેન્ડમાંથી મળી. મોહમ્મદ ગઇ તારીખ ૭મી માર્ચથી ગુમ હતો. મોહમ્મદ લાપત્તા થયો એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, અમે શોધીએ છીએ પણ મોહમ્મદની લાશ મળી ત્યાં સુધી પોલીસ તેના સુધી પહોંચી શકી નહીં. મોહમ્મદ ગુમ થયો એના દસ દિવસ પછી ભારતમાં રહેતા તેના પિતા સલીમભાઈને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, અમે મોહમ્મદનું અપહરણ કર્યું છે. અપહરણ કરનારે ૧૨૦૦ ડૉલરની ખંડણી માંગી હતી. આ રકમ નહીં મળે તો મોહમ્મદની કિડની કાઢીને વેચી દઈશું એવી ધમકી પણ આપી હતી. રૂપિયામાં ગણીએ તો આ રકમ એક લાખ જેવી થાય છે. આમ જોવા જાવ તો આ રકમ બહુ મોટી નથી. આટલા ખાતર કોઇ અપહરણ અને હત્યા કરે ખરું? આ ફોન અને ધમકીની વાત પણ અમેરિકન પોલીસને કરવામાં આવી હતી તો પણ પોલીસ કંઈ કરી ન શકી એ સૌથી મોટું આશ્ચર્ય છે!
અમેરિકાના ઓહિયોના ક્લીવલેન્ડની એક કૉલેજના ભણતા ઇન્ડિયન સ્ટુડન્ટ ઉમા સત્ય સાંઈ ગહેની લાશ મળી આવી હતી. ઉમાના મોતનો ભેદ હજુ ઉકેલાયો નહોતો ત્યાં મોહમ્મદની લાશ મળી આવી છે. આ વર્ષની શરૂઆતમાં જ તારીખ ૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અમેરિકાના
જ્યોર્જિયામાં ૨૫ વર્ષના વિવેક સેનીની હત્યા કરી દેવામાં આવી હતી. એક ડ્રગ એડિક્ટે વિવેકને મારી નાખ્યો હતો. તારીખ ૧૭મી જાન્યુઆરીએ અમેરિકાની પ્રેસ્ટિજિયસ પડર્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ભારતીય નીલ આચાર્યની લાશ મળી આવી હતી. ૧૮મીજાન્યુઆરીએ ૨૧ વર્ષના અકુલ ધવન, ૨૩મી જાન્યુઆરીએ ૨૫ વર્ષના સમીર કામથ, ૩૧મી જાન્યુઆરીએ ૧૯ વર્ષના શ્રેયસ રેડ્ડીનાં રહસ્યમય સંજોગોમાં મોત થયાં. તારીખ ૬ ફેબ્રુઆરીના રોજ વીસ વર્ષના દિનેશ અને તેના જેટલી જ ઉંમરના નિકેશની લાશ એક રૂમમાંથીમળી. ૧૬મી માર્ચે ૨૦ વર્ષીય પારુચૂરી અભિજિતની લાશ કારમાંથી મળી. આ તો માત્ર મૃત્ય પામનારા વિદ્યાર્થીઓની જ ઘટના છે. આ ઉપરાંત ભારતીય સ્ટુડન્ટ્સ પર હુમલાની અનેક ઘટનાઓ પણ બની છે.

છેલ્લાં છ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૮થીદુનિયાના જુદા જુદા દેશોમાં ભણવા ગયેલા ભારતના કુલ ૪૦૩ સ્ટુડન્ટ્સનાં મોત થયાં હતાં. સૌથી વધુ ૯૧ સ્ટુડન્ટ્સનાં મોત કેનેડામાં થયાં હતાં. એ પછી બીજો નંબર બ્રિટનનો હતો. બ્રિટનમાં ૪૮ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. રશિયામાં ૪૦નાં મોત થયાં હતાં. અમેરિકાનો નંબર ચોથો હતો. અમેરિકામાં ૩૬ ઇન્ડિયન સ્ટુડન્ટ્સનાં મોત થયાં હતાં. ઓસ્ટ્રેલિયામાં ૩૫, યૂક્રેનમાં ૨૧, જર્મનીમાં ૨૦, સાયપ્રસમાં ૧૪ અને ઈટાલી તથા ફિલિપાઈન્સમાં દસ દસ ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં. અમેરિકામાં પહેલાં કોઇ ભારતીય વિદ્યાર્થીનાં મોતની ઘટના બનતી ત્યારે ત્યાંની સરકાર અને પોલીસ તરત જ સક્રિય થઇ જતી. દરેક ઘટનાની ઝીણામાં ઝીણી તપાસ કરતી હતી. યુવાનનું મૃત્યુ હત્યા હોય કે અકસ્માત હોય કે નેચરલ ડેથ હોય, અમેરિકાની સંવેદનાઓમાં ભારોભાર વેદના છલકાતી હતી. જોકે, છેલ્લા કેટલાંક કિસ્સામાં અમેરિકન પોલીસનું જે વર્તન છે એ આશ્ચર્ય પેદા કરે એવું છે.
અમેરિકામાં ભારતીય સ્ટુડન્ટ્સનાં મોતની ઘટનાઓમાં એક વાત એવી પણ છે કે, અમેરિકાના સ્ટુડન્ટ્સ ભારતીય વિદ્યાર્થીઓની પ્રગતિ જોઈ બળી મરે છે. એ લોકોને એવું લાગે છે કે, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અમારી તકો છીનવી રહ્યા છે. અમેરિકન સ્ટુડન્ટ્સની ઇમેજ બહુ સારી નથી. બરાક ઓબામા અમેરિકાના - પ્રેસિડેન્ટ હતા ત્યારે તેમણે અમેરિકન
એલર્ટ થઈ જાવ, નહીંતર તમારી જોબ ભારતીયો અને ચીનીઓ ખાઈ જશે. ભારતીય સ્ટુડન્ટ્સ - બ્રિલિયન્ટ હોવાના કારણે અમેરિકાની કંપનીઓ
સ્ટુડન્ટ્સને સંબોધીને એવું કહ્યું હતું કે, તમે તેમને તરત જ તે નોકરી આપી દે છે ઘણા અમેરિકાનો થયા સહન થયું નથી આથી ભારતીય સ્ટુડન્ટ ની જ વાત નથી ભારતીય વેપારીઓને ઉદ્યોગપતિઓની પણ અમેરિકામાં બોલબાલા છે આજે અમેરિકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ની જુદી જુદી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 થી 30 ટકા જેવો વધારો થયો છે
માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ જ્યાં જે તેજસ્વી પ્રતિભાવો છે જે સારા વ્યાપારીઓ છે તેની પણ હત્યા કરવામાં આવી રહી છે અમેરિકાની અંદર વિદ્યાર્થી પણ ખિસ્સામાં ગન લઈને ફરે છે અને ગમે ત્યારે હત્યા કરી શકે છે આની સામે અમેરિકન સરકાર પણ લાચાર છે અમેરિકાનું ગણ કલ્ચરલ ખૂબ જ બદનામ થયેલું છે અમેરિકા જેવા પ્રગતિશીલ દેશની કાયદો વ્યવસ્થાની આ પરિસ્થિતિ અત્યંત ગંભીર ગણી શકાય. 
સુરેશ ભટ્ટ


tntrilekh shanti paritoshik

  tntrilekh shanti paritoshik


વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાહો પર નજર
નાખતાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને
મળી શકે, એ સવાલ મૂંઝવનારો હતો.
દુનિયાભરમાં ઠેકઠેકાણે અશાંતિ અને સંઘર્ષ
ચાલે છે. ક્યાંક અંદરોઅંદર, ક્યાંક દેશ-દેશ
વચ્ચે. આખી સ્થિતિ રામ વગરના રામાયણ
જેવી છે. એમાં કોઇને શાંતિના નોબેલ
પારિતોષિક માટે હકદાર ગણવાનું અઘરું પડે.
શાંતિનું નોબેલ પારિતોષિક
મેળવી ચૂકેલા અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા હુમલાખોર
દેખાયા વિના અંતિમવાદી સંગઠન
આઇએસઆઇએસનો પ્રભાવ કેવી રીતે
રોકવો તેની ફિરાકમાં હોય ત્યારે તો ખાસ.
એવી પણ અટકળો હતી કે આ વર્ષે કોઇ પણ
વ્યક્તિ કે સંસ્થાને આ સન્માન માટે યોગ્ય
ગણવામાં ન આવે એવું બને.

પરંતુ સંસ્થાઓ અને સન્માનો કાઢીને
બેઠા પછી બને ત્યાં સુધી એવી ભાવના રહે કે
મૂળ હાર્દને તાણીતુુસીને પણ કોઇ નામ જાહેર
થઇ શકે તો સારું. એમાં પણ એ નોબેલ
પારિતોષિકની અને ખાસ કરીને શાંતિના નોબેલ
પારિતોષિકની વાત હોય, ત્યારે તેનો ઇતિહાસ
ખાસ્સો ભમરાળો છે.
તેની સૌથી જાણીતી ગરબડોમાંની એક
ગાંધીજીને શાંતિના નોબેલ પારિતોષિકથી ધરાર
વંચિત રાખવાની છે. એ વિશે ઘણું લખાઇ ચૂક્યું
છે અને પછીનાં વર્ષોમાં નોબેલ સમિતિએ
ભૂલનો એકરાર પણ કર્યો છે.
અગાઉના ભેદભાવ પછી ગાંધીજીને શાંતિનું
નોબેલ પારિતોષિક આપવાનું વિચારાયું એ જ
વર્ષે તેમની હત્યા થઇ. એટલે મરણોત્તર
નોબેલ પારિતોષિક જાહેર ન
કરવાના ધારા પ્રમાણે, કમિટીએ ‘આ વર્ષે કોઇ
જીવીત વ્યક્તિ શાંતિના નોબેલ પારિતોષિક
માટે લાયક નથી’ એવી, ગાંધીજી તરફ મોઘમ
ઇશારો કરતી નોંધ સાથે વર્ષ ખાલી જવા દીધું.
એ જ ગાંધીજીને ત્યાર પછી તો એકથી વધુ
વખત નોબેલ કમિટીએ યાદ કર્યા છે. આ વખતે
પણ
પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝઇની સાથે
ભારતીય કર્મશીલ કૈલાશ સત્યાર્થીનું નામ
શાંતિના નોબેલ પારિતોષિક માટે જાહેર
કરતી વખતે કમિટીના પ્રવક્તાએ ગાંધીજીને
યાદ કર્યા અને કહ્યું કે બાળકોના હકો માટે
અને તેમને મજૂરીના ચક્કરમાંથી છોડાવવા માટે
કૈલાશ સત્યાર્થીએ અનેક આંદોલનો-
ચળવળો કરી છે અને એ
બધી ગાંધીજીના માર્ગે, સદંતર અહિંસક રીતે
કરી છે. (મલાલાના અનેક ગણા વધારે
પ્રતાપી પૂર્વસૂરુ ખાન અબ્દુલગફ્ફાર ખાન-
બાદશાહખાન- નોબેલ શાંતિ પારિતોષિક માટે
એકદમ યોગ્ય હતા, પણ એ તો સમિતિને
કદી દેખાયા જ નહીં.) કૈલાશ સત્યાર્થીનું નામ
બહુમતી ભારતીયોએ પહેલી વાર નોબેલ
પારિતોષિક નિમિત્તે જ સાંભળ્યું, એ પણ એક
વાસ્તવિકતા છે. તેમને બાળકોના શોષણ
સામેની કામગીરી માટે નોબેલ કમિટીએ પસંદ
કર્યા છે. એટલે ટૂંક સમયમાં તેમને ભારતીય
નાગરિક સન્માનો પણ મળશે.

સત્યાર્થીની સરખામણીમાં મલાલા યુસુફઝઇ
એક ‘સેલિબ્રિટી’ છે. પાકિસ્તાનના સ્વાત
વેલી પ્રદેશમાં બાળકીઓના ભણતર માટે
ઝુંબેશ ચલાવનારી મલાલાને બે વર્ષ
પહેલાં તાલીબાનોએ ગોળી મારી હતી.તેમ
છતાં મલાલા હિંમત હારી નહીં અને છોકરીઓને
શિક્ષણ અપાવવા માટેનું કામ ચાલુ રાખ્યું.
જોેકે તાલિબાની હુમલા પછી આંતરરાષ્ટ્રિય
પ્રસાર માધ્યમોમાં મલાાલાનો ભારે
જયજયકાર થયો. એવું પણ કહેવાયું કે
મલાલાને તેના નક્કર કામની સામે
મળેલી પ્રસિદ્ધિ અપ્રમાણસરની અથવા પશ્ચિમી પ્રસાર માધ્યમોની આવા કોઇ પ્રતીક માટેની ભૂખનું પરિણામ છે.
પાકિસ્તાનમાં અસલામતીના પ્રશ્નો પછી હાલ
બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની મલાલા માટે
રૃઢિચુસ્ત પાકિસ્તાનીઓને
જુદા પ્રકારનો વાંધો છે- અને તેની સાથે સંમત
થઇ શકાય એમ નથી. પરંતુ
મલાલાની અપ્રમાણસરની પ્રસિદ્ધિ અને તેને
એક પ્રતીક
બનાવી દેવાની તાલાવેલી ચોક્કસપણે
વિચારવા જેવા મુદ્દા છે.
તેમાં મલાલાના કામને કે તેની હિંમતને
ઓછી આંક્યા વિના, હઇસો હઇસોથી દૂર
રહેવાની જ વાત છે. ઇન્ટરનેટ અને સોશ્યલ
નેટવર્કિંગના આ યુગમાં અહોભાવ અને
ધીક્કાર ઘણી વાર
હવામાંથી ઝીલી લેવામાં આવે છે. ત્યાર
પછી વ્યક્તિનું કામ નહીં, પણ કેવળ તેનું નામ
એક પ્રતીક બની જાય છે.
મલાલા જેવી સત્તર વર્ષની હિંમતબાજ
છોકરીને લડતનું પ્રતીક બનાવવાથી કે
તેનાં વખાણ
કરવાથી થતી ‘ફીલગુડ’ની લાગણી લોકોને
બાકીની જવાબદારીમાંથી કે બીજું કંઇ
નહીં કર્યાના અપરાધભાવમાંથી મુક્તિ પણ
આપી શકે છે. એમાં મલાલાનો કશો વાંક નથી.
કોઇ પણ નોબેલ પારિતોષિક સામાન્ય રીતે
ચોક્કસ વર્ષનું અપાતું હોવા છતાં, તેનું
મહત્ત્વ અને તેનો વ્યાપ લાઇફટાઇમ
અચીવમેન્ટ પ્રકારનાં હોય છે. એ દૃષ્ટિએ
મલાલાને નોબેલ પારિતોષિક થોડું પ્રદાન માટે
અને ઘણું બધું પ્રોત્સાહન માટે અપાયું હોય
એવું લાગે છે. નોબેલ કમિટીના પ્રવક્તાએ
ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે એક ભારતીય અને
એક પાકિસ્તાની, એક હિંદુ અને એક મુસ્લિમને
આ પારિતોષિક એનાયત કરવાનું પણ મહત્ત્વ
છે. આ પ્રકારનો સુમેળ સાંભળવામાં બહુ
સારો લાગે, પણ તેનાથી નવી આશાનો સંચાર
થાય કે વૈશ્વિક અશાંતિનું વાતાવરણ બદલાય
એવું અત્યારે તો જણાતું નથી.

સૌજન્ય: ગુજરાત સમાચાર