My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat, and "Sanjog News" was published in Amreli. My editorials and columns titled "Chopas" are regularly published in the Gujarati language in the evening daily Saurashtra published from Bhavnagar city of Gujarat, since 2004, which are posted here on the blog.
मंगलवार, 25 जून 2024
ભારતનો અર્થ તંત્રપ્રાસંગિક ભારતના વિકાસની ગતિમાં બ્રેક મારવા ના ચાઇનાના નિષ્ફળ પ્રયાસો +++++++++++++++ ચીન ભારતની એક એવી વિકસતી તાકાત તરીકે જુએ છે જે તેની ક્ષમતા કરતા વધુ ઝડપે વિકાસ પામી રહી છે આ વસ્તુ વિસ્તારવાદી ચીનને જરાય ગમતી નથી. ++++++++++++++++ કાશ્મીરમાં ચૂંટણી સફળતાપૂર્વક થઈ અને પાકિસ્તાન તરફ પ્રેમ ધરાવતા ભારતના રાષ્ટ્રવિરોધીઓ ભુરાયા થયા. નવી સરકાર સત્તામાં આવે તેવા સમયે કાશ્મીરમાં આતંકી હુમલાઓ થયા વડાપ્રધાને તાત્કાલિક હાઈ લેવલની મીટીંગ બોલાવીને ઓપરેશન ઓલ આઉટ નો અમલ કરવા ઓર્ડર આપી દીધો અને લશ્કરને છૂટો આપી તેઓ ઇટાલીની વિદેશ યાત્રાએ ઉપડી ગયા. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ અને વિકાસના સપના સાકાર થાય તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને ગમે નહીં તે હકીકત છે બીજી બાજુ ભારતની ધરતી પર રહીને ભારતનો અન્નખાતા ભારત વિરોધીઓ તરત જ તે પાકિસ્તાનની અને ત્રાસવાદની તરફેણ કરવા જાહેર નિવેદનો કરવા લાગે છે અને ત્રાસવાદ સામે નમ્રતાથી વર્તી સમાધાન કરવા માટેની સુફિયાની સલાહો આપવા લાગે છે પરંતુ આ વસ્તુ શક્ય જ નથી કારણ કે આતંકવાદનો નાશ થવો જોઈએ. બીજી બાજુ સરહદ પર ચીન શાંત નથી બેઠું તે નવા નવા કન્સ્ટ્રક્શન કરે છે અને ઓચિંતા જ હડપલા કરી પોતાની આક્રમકતા વ્યક્ત કરે છે તેને ભય છે કે ભારતની આર્થિક ને લશ્કરી પ્રગતિ એક જી-2 વિશ્વ વ્યવસ્થા સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફેરવી શકે છે જી-2 એટલે એક એવી દુનિયા જેમાં અમેરિકા અને ચીન બે જ ધ્રુવ હોય ભારત આ સ્થિતિને પડકારી તેને જી -,3 ના ત્રિકોણ નું રૂપ આપી શકે છે જીન્નાભાઈ પાયાવ્યો નથી કોઈ પણ દેશની ભૂ રાજકીય તાકાતના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છ.કોઈ પણ દેશની ભૂ-રાજકીય તાકાત તેના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાનું અર્થતંત્ર નાનું અને લશ્કરી તાકાત ઓછી છે, પરંતુ સોફ્ટ પાવર મોટો છે. જ્યારે જાપાન દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં મોટી ભૂ-રાજકીય તાકાત નથી. બ્રિટનનું અર્થતંત્ર સારી સ્થિતિમાં નથી અને તેની સૈનિક ક્ષમતા પણ વધુ નથી, તેમ છતાં લાંબા સમયથી તેનો દુનિયા પર દબદબો છે. આ મોટું કારણ તેનો સોફ્ટ પાવર છે, એટલે કે અંગ્રેજી, ફિલ્મ, ટીવી, સાહિત્ય, સંગીત, રમત-ગમત, શૈક્ષણિક સંસ્થાઓ. ભારતમાં આજે પણ એ જરૂરી આત્મવિશ્વાસ આવ્યો નથી અને તે વિદેશીઓ પાસેથી માન્યતાની આશા રાખે છે. તેના કારણે તેના હાર્ડ પાવરને ટેકો મળતો નથી, જ્યારે કે તે દુનિયાની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર અને ચોથી સૌથી મોટી લશ્કરી તાકાત છે. તેમ છતાં તેના સોફ્ટ પાવરને દુનિયામાં જોઈએ તેવું સ્થાન મળતું નથી, જે સાંસ્કૃતિ વિવિધતાને કારણે અત્યંત સમૃદ્ધ છે. જૂન-2022માં ભારત બ્રિટનને પછાડીને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હતું. વૈશ્વિક અને ભારતીય નાણાસંસ્થાઓની વચ્ચે આ બાબતે સર્વસંમતિ સધાઈ ચૂકી છે કે, ભારતનો જીંડીપી આવતા વર્ષે 6%ના દરે વધશે અને ત્યાર પછી તે 7% થઈ જશે. રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામો અને ચીનમાં કોરોનાની સ્થિતિ પર ઘણું બધું આધાર રાખે છે. 31 માર્ચ, 2023ના રોજ ભારતનો નોમિનલ જીડીપી અંદાજિત રીતે 3.60 ટ્રિલિયન ડોલરનો થવાની સંભાવના વિશ્વબેન્કના તાજા અનુમાનોમાં જણાવાયું છે. ત્યાર પછી ભારત જર્મની અને જાપાનની નજીક પહોંચી જશે. વર્તમાનમાં જર્મની દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને 31 માર્ચ, 2023ના રોજ તેના 4.3 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રબનવાનું પૂર્વાનુમાન છે. જાપાન ત્રીજા ક્રમે છે અને તે 5.1 ટ્રિલયનના આંકડાને પાર કરી શકે છે. જર્મની અને જાપાનનો વાર્ષિક વિકાસ દર ક્રમશઃ 1.4% અને 0.8% રહેવાનો અંદાજ છે. વર્તમાન વિકાસ દર અનુસાર ભારત 2025-26 સુધી જર્મની અને 2027-28 સુધી જાપાનને પછાડીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. આ એટલી મોટી સિદ્ધિ છે કે જેને ઓછી આંકવી ભૂલ કહેવાશે. 2010 સુધી ભારત દુનિયાનું નવમું સૌથી મોટું અર્થતંત્ર હતું અને ઈટાલી જેવા દેશ તેનાથી આગળ હતા. 2014માં ભારત એક પગથિયું પાછળ ખસીને 10મા ક્રમે પહોંચી ગયું હતું. એ સમયે આપણો જીડીપી 2.04 ટ્રિલિયન ડોલર હતો, પરંતુ ત્યાર પછીના દસ વર્ષમાં જીડીપી વધીને લગભગ બમણો થઈ ગયો છે. તેમ છતાં ભારત પોતાની સામેના વર્તમાન ભૂ- રાજકીય પડકારોને કારણે દુનિયામાં પ્રભાવશાળી સ્થિતિમાં બેસી શક્યું નથી. ચીન-પાકિસ્તાન ગઠબંધન તેના ઉદયમાં અવરોધ નાખવા સક્ષમ છે. ચીનની થિન્ક ટેન્ક એવા ફોરકાસ્ટિંગ-ટૂલ્સનો ઉપયોગ કરે છે, જેની મદદથી વિવિધ દેશોની આગામી અનેક દાયકાની આર્થિક પ્રગતિનો અંદાજ લગાવી શકાય છે. ડેટા મુજબ આગામી 20 વર્ષમાં ભારત અને ચીનના જીડીપીનું અંતર ધીમે-ધીમે ઘટતું જશે. 2030ના દાયકામાં અમેરિકા અને ભારતનું સંયુક્ત અર્થતંત્ર ચીનથી મોટું થઈ જશે અને એશિયા- પ્રશાંત વિસ્તારમાં તેમનું સૈનિક ગઠબંધન પણ ઓછું તાકાતવાળું રહેવાનું નથી. ભારતની પ્રગતિથી ચીન ડરી રહ્યું છે. જિનપિંગ ભારતને એવી વિકસતી તાકાત તરીકે જૂએ છે, જે ક્ષમતા કરતાં વધુ આગળ નીકળી ગયું છે. એલએસી પર ચીનની આક્રમકતાનું મૂળ આ જ છે. જોકે, ચીનની વૃદ્ધ થતી જઈ રહેલી વસતી, આંતરિક અસહમતી અને તૂટી રહેલા અર્થતંત્રને કારણે જિનપિંગની મહત્ત્વાકાંક્ષાઓ નિષ્ફળ થઈ શકે છે. ભારત સામે તો એક જ લક્ષ્ય હોવું જોઈએ - સેનાનું આધુનિકીકરણ કરવાની સાથે પોતાના સોફ્ટ પાવરને આગામી કેટલાક વર્ષમાં દુનિયાભરમાં ફેલાવી દેવો. સુરેશ ભટ્ટ
રાષ્ટ્રની એકતા માટે બંધારણ સર્વોપરી છે
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે
tntrilekh shanti paritoshik
tntrilekh shanti paritoshik
વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાહો પર નજર
નાખતાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને
મળી શકે, એ સવાલ મૂંઝવનારો હતો.
દુનિયાભરમાં ઠેકઠેકાણે અશાંતિ અને સંઘર્ષ
ચાલે છે. ક્યાંક અંદરોઅંદર, ક્યાંક દેશ-દેશ
વચ્ચે. આખી સ્થિતિ રામ વગરના રામાયણ
જેવી છે. એમાં કોઇને શાંતિના નોબેલ
પારિતોષિક માટે હકદાર ગણવાનું અઘરું પડે.
શાંતિનું નોબેલ પારિતોષિક
મેળવી ચૂકેલા અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા હુમલાખોર
દેખાયા વિના અંતિમવાદી સંગઠન
આઇએસઆઇએસનો પ્રભાવ કેવી રીતે
રોકવો તેની ફિરાકમાં હોય ત્યારે તો ખાસ.
એવી પણ અટકળો હતી કે આ વર્ષે કોઇ પણ
વ્યક્તિ કે સંસ્થાને આ સન્માન માટે યોગ્ય
ગણવામાં ન આવે એવું બને.
પરંતુ સંસ્થાઓ અને સન્માનો કાઢીને
બેઠા પછી બને ત્યાં સુધી એવી ભાવના રહે કે
મૂળ હાર્દને તાણીતુુસીને પણ કોઇ નામ જાહેર
થઇ શકે તો સારું. એમાં પણ એ નોબેલ
પારિતોષિકની અને ખાસ કરીને શાંતિના નોબેલ
પારિતોષિકની વાત હોય, ત્યારે તેનો ઇતિહાસ
ખાસ્સો ભમરાળો છે.
તેની સૌથી જાણીતી ગરબડોમાંની એક
ગાંધીજીને શાંતિના નોબેલ પારિતોષિકથી ધરાર
વંચિત રાખવાની છે. એ વિશે ઘણું લખાઇ ચૂક્યું
છે અને પછીનાં વર્ષોમાં નોબેલ સમિતિએ
ભૂલનો એકરાર પણ કર્યો છે.
અગાઉના ભેદભાવ પછી ગાંધીજીને શાંતિનું
નોબેલ પારિતોષિક આપવાનું વિચારાયું એ જ
વર્ષે તેમની હત્યા થઇ. એટલે મરણોત્તર
નોબેલ પારિતોષિક જાહેર ન
કરવાના ધારા પ્રમાણે, કમિટીએ ‘આ વર્ષે કોઇ
જીવીત વ્યક્તિ શાંતિના નોબેલ પારિતોષિક
માટે લાયક નથી’ એવી, ગાંધીજી તરફ મોઘમ
ઇશારો કરતી નોંધ સાથે વર્ષ ખાલી જવા દીધું.
એ જ ગાંધીજીને ત્યાર પછી તો એકથી વધુ
વખત નોબેલ કમિટીએ યાદ કર્યા છે. આ વખતે
પણ
પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝઇની સાથે
ભારતીય કર્મશીલ કૈલાશ સત્યાર્થીનું નામ
શાંતિના નોબેલ પારિતોષિક માટે જાહેર
કરતી વખતે કમિટીના પ્રવક્તાએ ગાંધીજીને
યાદ કર્યા અને કહ્યું કે બાળકોના હકો માટે
અને તેમને મજૂરીના ચક્કરમાંથી છોડાવવા માટે
કૈલાશ સત્યાર્થીએ અનેક આંદોલનો-
ચળવળો કરી છે અને એ
બધી ગાંધીજીના માર્ગે, સદંતર અહિંસક રીતે
કરી છે. (મલાલાના અનેક ગણા વધારે
પ્રતાપી પૂર્વસૂરુ ખાન અબ્દુલગફ્ફાર ખાન-
બાદશાહખાન- નોબેલ શાંતિ પારિતોષિક માટે
એકદમ યોગ્ય હતા, પણ એ તો સમિતિને
કદી દેખાયા જ નહીં.) કૈલાશ સત્યાર્થીનું નામ
બહુમતી ભારતીયોએ પહેલી વાર નોબેલ
પારિતોષિક નિમિત્તે જ સાંભળ્યું, એ પણ એક
વાસ્તવિકતા છે. તેમને બાળકોના શોષણ
સામેની કામગીરી માટે નોબેલ કમિટીએ પસંદ
કર્યા છે. એટલે ટૂંક સમયમાં તેમને ભારતીય
નાગરિક સન્માનો પણ મળશે.
સત્યાર્થીની સરખામણીમાં મલાલા યુસુફઝઇ
એક ‘સેલિબ્રિટી’ છે. પાકિસ્તાનના સ્વાત
વેલી પ્રદેશમાં બાળકીઓના ભણતર માટે
ઝુંબેશ ચલાવનારી મલાલાને બે વર્ષ
પહેલાં તાલીબાનોએ ગોળી મારી હતી.તેમ
છતાં મલાલા હિંમત હારી નહીં અને છોકરીઓને
શિક્ષણ અપાવવા માટેનું કામ ચાલુ રાખ્યું.
જોેકે તાલિબાની હુમલા પછી આંતરરાષ્ટ્રિય
પ્રસાર માધ્યમોમાં મલાાલાનો ભારે
જયજયકાર થયો. એવું પણ કહેવાયું કે
મલાલાને તેના નક્કર કામની સામે
મળેલી પ્રસિદ્ધિ અપ્રમાણસરની અથવા પશ્ચિમી પ્રસાર માધ્યમોની આવા કોઇ પ્રતીક માટેની ભૂખનું પરિણામ છે.
પાકિસ્તાનમાં અસલામતીના પ્રશ્નો પછી હાલ
બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની મલાલા માટે
રૃઢિચુસ્ત પાકિસ્તાનીઓને
જુદા પ્રકારનો વાંધો છે- અને તેની સાથે સંમત
થઇ શકાય એમ નથી. પરંતુ
મલાલાની અપ્રમાણસરની પ્રસિદ્ધિ અને તેને
એક પ્રતીક
બનાવી દેવાની તાલાવેલી ચોક્કસપણે
વિચારવા જેવા મુદ્દા છે.
તેમાં મલાલાના કામને કે તેની હિંમતને
ઓછી આંક્યા વિના, હઇસો હઇસોથી દૂર
રહેવાની જ વાત છે. ઇન્ટરનેટ અને સોશ્યલ
નેટવર્કિંગના આ યુગમાં અહોભાવ અને
ધીક્કાર ઘણી વાર
હવામાંથી ઝીલી લેવામાં આવે છે. ત્યાર
પછી વ્યક્તિનું કામ નહીં, પણ કેવળ તેનું નામ
એક પ્રતીક બની જાય છે.
મલાલા જેવી સત્તર વર્ષની હિંમતબાજ
છોકરીને લડતનું પ્રતીક બનાવવાથી કે
તેનાં વખાણ
કરવાથી થતી ‘ફીલગુડ’ની લાગણી લોકોને
બાકીની જવાબદારીમાંથી કે બીજું કંઇ
નહીં કર્યાના અપરાધભાવમાંથી મુક્તિ પણ
આપી શકે છે. એમાં મલાલાનો કશો વાંક નથી.
કોઇ પણ નોબેલ પારિતોષિક સામાન્ય રીતે
ચોક્કસ વર્ષનું અપાતું હોવા છતાં, તેનું
મહત્ત્વ અને તેનો વ્યાપ લાઇફટાઇમ
અચીવમેન્ટ પ્રકારનાં હોય છે. એ દૃષ્ટિએ
મલાલાને નોબેલ પારિતોષિક થોડું પ્રદાન માટે
અને ઘણું બધું પ્રોત્સાહન માટે અપાયું હોય
એવું લાગે છે. નોબેલ કમિટીના પ્રવક્તાએ
ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે એક ભારતીય અને
એક પાકિસ્તાની, એક હિંદુ અને એક મુસ્લિમને
આ પારિતોષિક એનાયત કરવાનું પણ મહત્ત્વ
છે. આ પ્રકારનો સુમેળ સાંભળવામાં બહુ
સારો લાગે, પણ તેનાથી નવી આશાનો સંચાર
થાય કે વૈશ્વિક અશાંતિનું વાતાવરણ બદલાય
એવું અત્યારે તો જણાતું નથી.
સૌજન્ય: ગુજરાત સમાચાર
-
प्रासंगिक ======= मोबाइल फोन के अचानक बंद होने से दुनिया में बड़ी उथल-पुथल मच जाएगी। =========================== == मोबाइल फोन का युग अचा...
-
+++++++ તંત્રીલેખ ભારતની વિદેશ નીતિ 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' અને 'રાષ્ટ્રીય હિત' પર આધારિત છે. ++++ ભારત અને રશિયાના સંબંધો ...
-
Sunita Williams ની સ્પેશ વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, ISRO ચીફે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી bombaysamachar.com/science-and-technology/...