My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat, and "Sanjog News" was published in Amreli. My editorials and columns titled "Chopas" are regularly published in the Gujarati language in the evening daily Saurashtra published from Bhavnagar city of Gujarat, since 2004, which are posted here on the blog.
सोमवार, 8 जुलाई 2024
ગ્રીન હાઈડ્રોજન નો સૂર્યોદય એટલે ફ્યુઝન પાવર ટેકનોલોજી
પ્રાસંગીક
ગ્રીન હાઈડ્રોજન નો સૂર્યોદય એટલે ફ્યુઝન પાવર ટેકનોલોજી
+++++
ગ્રીન હાઈડ્રોજન ઉત્પન્ન કરો કરવો સહેલો નથી.જોકે પ્રયોગશાળામાં હાઈડ્રોજન ઉત્પન્ન પણ થઈ શકે છે પરંતુ તેને નિયંત્રિત કરવો મુશ્કેલ કામ છે કારણ કે તે ધડાકા સાથે ફાટે છે સળગે છે અને તેની આગ આસપાસમાં માની ન શકાય તેટલી વિસ્તરે છે અને ક્ષણવારમાં તો બધું બળીને ભસ્મીભૂત થઈ જાય તેવો ભયંકર આ વાયુ છે આથી ગ્રીન હાઈડ્રોજન ની વાતો કરવી સહેલી છે પરંતુ તેનો વહેવારમાં ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો પણ આજે સાત વાર વિચાર કરે છે.
++++++++
હવે વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસા કે ડીઝલ નો ઉપયોગ કરવાની બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. પાણીમાંથી પણ વીજળી બની શકે અને તેને ગ્રીન હાઈડ્રોજન કહેવામાં આવે છે કારણ કે પાણીમાં પણ હાઈડ્રોજન ના અણુ હોય છે જેને જુદા પાડી દેવાથી આપણને હાઈડ્રોજન પ્રાપ્ત થાય છે પરંતુ આ કાર્ય વાત કરીએ તેટલું સહેલું નથી તેનું કારણ એટલું જ છે કે હાઈડ્રોજન એવો ભયંકર વાયુ છે કે ધડાકા સાથે સળગે છે આ એનો સૌથી મોટો દુર્ગુણ છે અને એથી તેનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકો ડર અનુભવે છે આની પાછળની જે ટેકનોલોજી છે તેને ફ્યુઝન ટેકનોલોજી કહેવામાં આવે છે.
અમેરિકાએ જાપાન પર અણુ બોમ્બ નાખ્યો ભયાનક તબાહી થઈ આમ છતાં
બીજા વિશ્વયુદ્ધ પછી દરેક વિકસિત દેશ હાઈડ્રોજન બોમ્બ બનાવવા માટે, ફ્યુઝન ટેકનોલોજી વિકસાવવા માટે પાગલ બન્યો હતો. મોટાભાગનું સંશોધન ગુપ્ત રીતે ચાલતું હતું. પરંતુ જીનીવા ખાતે, ૧૯૫૮માં એટમિક એનર્જીનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા માટે, આંતરરાષ્ટ્રીય ધોરણે બીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ અહીં, ગુપ્તતાના પડદા હટાવી દીધા. ૧૯૭૦માં દ.કોરિયામાં, સિઓલ ખાતે આવેલ નેશનલ યુનિવર્સિટીમાં ન્યુક્લિયર ફ્યુઝન અને બેઝિક પ્લાઝમા રિસર્ચની શરૂઆત થઈ હતી. નાના પાયે પ્લાઝમા રિસર્ચ માટે તેમણે, પ્રથમ ટોકમેક ‘SNUT-79'ની શરૂઆત કરી હતી. ૧૯૭૦ના દાયકાના અંત ભાગમાં, કોરિયા એટમિક એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કે ટી વન નામનું ફ્યુઝન ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું હતું. કોરિયા (એડવાન્સ ઇન્સ્ટિટયુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ, પોતાનું સ્વતંત્ર રિએક્ટર વિકસાવ્યું. ત્યારબાદ, નેશનલ ફ્યુશન રિસર્ચ (ઇન્સ્ટિટ્યુટ દ્વારા હેનબીટ મિરર ડિવાઇસનું બાંધકામ કરવામાં આવ્યું.૧૯૯૫માં દક્ષિણ કોરિયાની સરકારે, જેને ખરેખર ફ્યુઝન ટેકનોલોજીનો વિકાસ કહેવાય, તેવું પ્રથમ પગલું ભર્યું. સરકારે આધુનિક કોરિયન સુપરકંડકટીંગ ટોકમેક એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જેને વિજ્ઞાનીઓ ‘કેસ્ટાર’ તરીકે ઓળખે છે. તાજેતરમાં સમાચારોમાં જ ચમકેલ, સૂર્ય કરતા સાત ગણા તાપમાન સર્જવાનો રેકોર્ડ, આ ‘કેસ્ટાર' ટોકમેકે સર્જ્યો છે.
ઈ.સ. ૨૦૦૩માં કોરિયા આંતરરાષ્ટ્રીય ધોરણે, ચાલતા ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપરિમેન્ટ રિએક્ટર ઈટર માં જોડાયું હતું. ૨૦૦૫માં કોરિયા નેશનલ સાયન્સ કાઉન્સિલ દ્વારા ફ્યુઝન એનર્જી ડેવલોપમેન્ટ નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. ૨૦૦૬માં તેને કોરિયન નેશનલ કોંગ્રેસ દ્વારા, કાયદો રચીને મંજૂરી આપવામાં આવી હતી. આ રીતે દક્ષિણ કોરિયાએ ફ્યુઝન ટેકનોલોજીમાં પોતાની પાપા પગલી ભરવાની શરૂઆત કરી હતી. દક્ષિણ કોરિયા ૨૦૪૦ સુધીમાં વ્યાપારી ધોરણે ફ્યુઝન પાવર પ્લાન્ટ નાખવાની ગણતરી કરી રહ્યું છે. પરંતુ આ કાર્ય માની શકાય તેટલું સરળ નથી વ્યાપારી ધોરણે હાઇડ્રોજનમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાનું કાર્ય માનીયે તેટલું સહેલું નથી કારણ કે તેમાં જોખમ ખૂબ છે ગ્રીન હાઈડ્રોજન ની બધા વાતો કરે છે એને માટે ઉજળા ભવિષ્યના સૂચનો પણ કરે છે પણ ગ્રીન હાઈડ્રોજન હકીકતની અંદર અતિ જોખમી પણ પુરવાર થઈ શકે છે
ફ્યુઝન ટેકનોલોજી દ્વારા વ્યાપારી ધોરણે ઉર્જા મેળવવાનું હજી સુધી શા માટે શક્ય બન્યું નથી? આવો સવાલ થવો સામાન્ય છે. આપણે જાણીએ છીએ કે સૂર્યની સપાટી ઉપર ખૂબ જ ઊંચું એટલે કે તાપમાન હોય છે. પ્રયોગશાળામાં ટેકનોલોજી દ્વારા ઉર્જા મેળવવાની થાય ત્યારે પણ, ખૂબ જ ઊંચું તાપમાન પેદા થતું હોય છે. વિજ્ઞાનીઓને મુખ્ય સમસ્યા અહીં નડે છે. આ ખૂબ જ ઓછું તાપમાન નિયંત્રિત કઈ રીતે કરવું. ખૂબ જ ઊંચા તાપમાને ઓગળી ન જાય તેવા, યંત્રની ડિઝાઈન કેવી રીતે કરવી? આ સમસ્યાનો ઉકેલ દરેક દેશ પોતાની રીતે અલગ અલગ ટેકનોલોજી વાપરીને કરે છે. ફ્યુઝન ટેકનોલોજીના સંશોધન, જે યાંત્રિક વિશાળ કદની રચના વપરાય છે. તેને વિજ્ઞાનીઓ ટોકમેક તરીકે ઓળખે છે. ટોરસ (ડૉનટ)ના આકારમાં પ્લાઝમાને સીમિત કરવા માટે શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોવાથી, તેને ટોકમૅક કહે છે. ટોકમૅકએ નિયંત્રિત થર્મોન્યુક્લિયર ફ્યુઝન પાવર ઉત્પન્ન કરવા માટે વિકસાવવામાં આવેલા, વિવિધ
પ્રકારના ચુંબકીય બંધિયાર ઉપકરણોમાંથી એક છે. ૨૦૧૬ સુધીમાં, તે પ્રાયોગિક ફ્યુઝન રિએક્ટરની રચના કરવા માટેનો પ્રથમ દાવેદાર ઉમેદવાર હતો. 'ટોકમેક' શબ્દ રશિયન ટૂંકાક્ષર પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ‘ચુંબકીય કોઇલ સાથે ટોરોઈડલ ચેમ્બર'. પ્રયોગશાળામાં જ્યારે ખૂબ જ ઉંચુ તાપમાન પેદા થાય છે ત્યારે, પદાર્થ પોતાની ત્રણેય અવસ્થા છોડીને, ચોથી અવસ્થા એટલે કે પ્લાઝમા સ્ટેટમાં આવી જાય છે. કોરિયાએ શરૂઆતમાં, કેસ્ટાર ટોકમેકમાં ઊંચા તાપમાન સામે ટકી રહેવા માટે, કાર્બનનો પ્રયોગ કર્યો હતો. પહેલા તેમાં સુધારા વધારા કરીને, કાર્બનના સ્થાને હવે ટંગસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આવતા વર્ષે થનારા આંતરરાષ્ટ્રીય પ્રયોગમાં એટલે કે ઇટરમાં પણ, કોરિયાએ વાપરેલ તંગસ્ટન ડાયવર્ટરનો ઉપયોગ કરવામાં આવશે. આમ કોરિયાએ તાજેતરમાં કરેલ પ્રયોગની વિગતો આંતરરાષ્ટ્રીય પ્રયોગ વખતે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. પ્રયોગશાળામાં હાઈડ્રોજન કેવી રીતે બની શકે? જો કે શાળા નં,, કોલેજની પ્રયોગશાળામાં હાઈડ્રોજન બનાવવો એકદમ સરળ છે પાણીમાં એસિડનું એક ટીપું નાખીને તેમાં નેગેટિવ અને પોઝિટિવ પોલ નાખીને આ કામ થઈ શકે છે એક તાંબાનો અને જસત નો એમ બે સળિયા લઈને તેને એસિડ યુક્ત પાણીમાં નાખી બંને તે છેડે બેટરીના ડીસી વોલ્ટેજ આપવાથી પાણીનું વિભાજન થાય છે તેમાંથી હાઈડ્રોજન અને ઓક્સિજન છૂટો પડે છે આ હાઈડ્રોજન અલ્પ પ્રમાણમાં હોવાથી તે સામાન્ય રીતે ઓછો જોખમી છે
પણ જો આ પ્રયોગમાં હાઈડ્રોજન વાયુના પરપોટા નું પ્રમાણ વધી ગયું હોય તો ચોક્કસ તે જોખમી બની શકે છે હવે હવે આપણે એ જોઈએ કે પ્રયોગશાળામાં ગ્રીન હાઈડ્રોજન કેવી રીતે ઉત્પન્ન થઈ શકે
સામાન્ય રીતે પ્રયોગશાળામાં ફ્યુઝન પ્રક્રિયા શરૂ કરવી હોય તો, પ્લાઝમા અવસ્થામાં તાપમાન ૧૦ કરોડ ડીગ્રી સેલ્સિયસ કરતા વધારે હોવું જોઈએ. સામાન્ય રીતે ધન વીજભાર ધરાવતા કણ (આયન) એકબીજાની નજીક આવવાની કોશિશ કરે છે ત્યારે, તેમની વચ્ચે લાગતા વિદ્યુત અપાકર્ષણના કારણે તેઓ એકબીજાની નજીક આવી શકતા નથી. તેમને એકબીજાની નજીક લાવવા માટે પણ, પુષ્કળ પ્રમાણમાં દબાણ આપવાની જરૂર પડે છે. આ ઉપરાંત તેમનું મિલન કરવા માટેની જગ્યા, એટલે કે સ્પેસ પણ નાની હોવી જોઈએ. આ માટે પ્રયોગશાળામાં માત્ર થોડી ક્ષણો માટે મીની સૂર્યનું સર્જન કરી શકે છે સૂર્ય જેવી પ્રક્રિયાની જ્યાં શરૂઆત થાય છે તે ક્ષણને વૈજ્ઞાનિકો ઇગ્નેશન તરીકે ઓળખે છે આ પ્રકારના પ્રયોગો અમેરિકા જાપાન કોરિયાની પ્રયોગશાળામાં થયા છે તાજેતરમાં કોરિયાના વૈજ્ઞાનિકો સૂર્ય કરતાં સાત ગણો વધારે તાપમાન પેદા કરી શક્યા છે સૂર્યના કેન્દ્ર ભાગમાં 1.5 કરોડ સેલ્સિયસ ગરમી હોય છે જ્યારે પ્રયોગશાળાના કે સ્ટાર ટોક મેકે નામના સાધનમાં 48 સેકન્ડ માટે 10 કરોડ સેલ્સિયસ નું તાપમાન પેદા કરીને એક રેકોર્ડ કરવામાં આવ્યો છે આ એક એવો પ્રયોગ છે જેને કારણે ગ્રીન હાઈડ્રોજન ના સપના સાકાર થઈ શકે તેમ છે પરંતુ આવા વાહનો જીવતા બોમ્બ જેવા બની જાય છે આથી તેનો વપરાશ ધીમે ધીમે વ્યાપારમાં ઘટી રહી હોય છે ટૂંકમાં ગ્રીન હાઈડ્રોજન ની જેટલી વાતો મોટા પ્રમાણમાં થાય છે તેટલા પ્રમાણમાં આ ગ્રીન હાઈડ્રોજન નો વ્યવહારિક ઉપયોગ કરો મુશ્કેલ છે કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે હાઈડ્રોજન વાયુ ભયાનક ધડાકા સાથે ફાટીને સળગે છે હવે જો વાહનમાં આ વાયુનો ઉપયોગ કરવામાં આવે તો અકસ્માત સમયે કેટલી જાનહાનિ થાય અને કેટલું પ્રદૂષણ ફેલાય તેનો વિચાર કરતા ની સાથે જ વૈજ્ઞાનિકોનો ગ્રીન હાઈડ્રોજન માટેનો ઉત્સાહક ઢીલો પડી જાય છે
સુરેશ ભટ્ટ
ભારતીયોનો યુએસનો ક્રેઝ કેમ ઘટતો નથી?
ભારતીયોનો યુએસનો ક્રેઝ કેમ ઘટતો નથી?
bombaysamachar.com/extra-affair/why-is-the-us-craze-of-indians-not-decreasing
લોકસભાની ચૂંટણીમાં ભાજપ શાસનમાં થયેલા જોરદાર વિકાસના દાવા વચ્ચે અમેરિકાએ ૨૦૨૨ના વર્ષમાં કેટલા વિદેશીઓને અમેરિકાની નાગરિકતા એટલે કે યુએસ સિટિઝનશિપ આપી તેના આંકડા બહાર પાડ્યા છે. આ આંકડા પ્રમાણે, ૨૦૨૨ના વર્ષમાં અમેરિકાએ કુલ ૯,૬૯,૩૮૦ વિદેશીઓને યુએસ સિટિઝનશિપ આપી ને તેમાં ૬૫૯૬૦ ભારતીયો છે.
૨૦૨૨માં યુએસ સિટિઝનશિપ મેળવનારા લોકોમાં ભારતીયો બીજા સ્થાને છે જ્યારે મેક્સિકો ૧,૨૮,૮૭૮ લોકો સાથે પહેલા નંબરે છે. ત્રીજા સ્થાને ફિલિપાઈન્સ. ચોથા સ્થાને ક્યૂબા, પાંચમા સ્થાને ડોમોનિક રીપબ્લિક, છઠ્ઠા સ્થાને વિયેતનામ અને ચીન છેક સાતમા સ્થાને છે. એક સમયે મેક્સિકો પછી બીજાં નબરે ચીન રહેતું પણ અમેરિકા સાથેના સંબંધો બગડતાં છેક સાતમા સ્થાને જતું રહ્યું છે.
ભારત માટે ચીન ક્યા નંબરે રહે છે ને ક્યા નંબરે નથી રહેતું એ મહત્ત્વનું નથી પણ ભારતીયો શું કરે છે એ મહત્ત્વનું છે. ભારત કોઈને ડ્યુઅલ સિટિઝનશિપ આપતું નથી તેથી આ ૬૫૯૬૦ ભારતીયોએ યુએસ સિટિઝનશિપ મેળવવા માટે ભારતીય નાગરિકતા છોડી દીધી છે એ કહેવાની જરૂર નથી. અમેરિકા જેને આવવું હોય એ બધાંને અમેરિકામાં ઘૂસવા દેતું નથી પણ પોતાને ફાવે તેને જ વિઝા આપે છે.
જે લોકો વિઝા લઈને અમેરિકામાં રહે છે અથવા તો પોતાના દેશમાં રહીને અમેરિકાની સિટિઝનશિપ મેળવવા પ્રયત્ન કરે છે તેમને અમેરિકા સિટિઝનશિપ આપે છે. અમેરિકાની સિટિઝનશિપ મેળવવાની પ્રક્રિયા મોંઘી છે તેથી બધાંને પરવડતી નથી. બીજું એ કે, અમેરિકા જેમને સિટઝનશીપ આપે છે એ બધાંનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ પણ ધ્યાનમાં લે છે. ગમે તે અભણને સિટિઝનશિપ આપી દેતું નથી. મતલબ કે, જેમને સિટિઝનશિપ મળે છે એ લોકો સુશિક્ષિત અને આર્થિક રીતે સધ્ધર હોય છે.
ભારતમાંથી પણ જેમને સિટિઝનશિપ મળી છે એ બધાંને પણ આ ધારાધોરણ લાગુ પડે જ છે એ જોતાં ભારતમાંથી જેમને સાદી ભાષામાં સારા કહેવાય એવાં ઘરનાં લોકો અમેરિકાની સિટિઝનશિપ મેળવીને ભાગી રહ્યાં છે એ સ્પષ્ટ છે. ભારત બહુ બદલાયું છે અને બહુ પ્રગતિ કરી રહ્યું છે એવા દાવા છતાં આ ૬૫૯૬૦ લોકો બદલાયેલા ભારતમાં રહેવા તૈયાર નથી એ વાત આ આંકડા પરથી સાબિત થાય છે.
આપણે છેલ્લા કેટલાક સમયથી સતત એક વાત સાંભળ્યા કરીએ છીએ કે, ભારતમાં યુવાઓ માટે જબરદસ્ત તકો ઊભી થઈ રહી છે ને અમેરિકા સહિતનાં દેશોનાં અર્થતંત્ર ડૂબવા માંડ્યાં છે. કહેવાતા વિકસિત દેશોનાં અર્થતંત્ર તૂટવાના આરે છે જ્યારે ભારતનું અર્થતંત્ર બહુ ઝડપથી તાકાતવર બની રહ્યું છે. આ ૬૫,૯૬૦ લોકોને આ વાતો આકર્ષી શકી નથી એ વાત આ આંકડા પરથી સાબિત થાય છે.
આ આંકડા બીજી પણ એક વાત સાબિત કરે છે કે, ગમે તેવા મોટા મોટા દાવા થાય પણ ભારતમાંથી બ્રેઈન ડ્રેઈન બંધ થયું નથી. બ્રેઈન ડ્રેઈનનો મતલબ છે કે દેશનાં ટેલેન્ટેડ લોકો દેશ છોડીને બીજા દેશમા સ્થાયી થઈ જાય અને ભારતના બદલે બીજા દેશના વિકાસમાં યોગદાન આપે. આ સ્થિતિ વરસોથી છે અને એ માટેનાં કારણો પણ બહુ જાણીતાં છે.
ભારતમાંથી જે લોકો વિદેશમાં ભાગે છે તેમાં મધ્યમ વર્ગનાં લોકોનું પ્રમાણ વધારે છે. તેનું કારણ એ છે કે, મધ્યમ વર્ગના યંગસ્ટર્સને ભારતમાં અનામત, નવી તકોનો અભાવ સહિતની સમસ્યાઓના કારણે ભાવિ ધૂંધળું લાગે છે. ભારતમાં શિક્ષણની સંસ્થાઓ છે પણ શિક્ષણનું સ્તર વૈશ્ર્વિક નથી. ભારતમાં સરકારી નોકરીઓ છે નહીં ને ખાનગીમાં વીસ-પચીસ હજારના સાવ તુચ્છ પગારમાં આખી જીંદગી ઢસરડો કરવો પડે એ પ્રકારનું શોષણ છે. તેની સરખામણીમાં અમેરિકા જેવા દેશોમાં પ્રમાણમા સારા પગાર મળે છે અને શાંતિની જીંદગી છે તેવી માન્યતાના કારણે યંગસ્ટર્સ અમેરિકા ભાગે છે. એ લોકો અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈને ભણે છે ને પછી ત્યાં જ સેટસ થઈ જાય છે.
જેમની ઉંમર ત્રીસ-પાંત્રીસ વરસ છે ને જેમનાં સંતાનો પાંચ-સાત વરસનાં હોય એ લોકો પોતાનાં સંતાનોને સારું ભવિષ્ય આપવા માટે અને પોતાનું ઘડપણ સુધરે એ માટે વિદેશ ભાગે છે. અમેરિકામાં તમે સામાજિક રીતે તમે મુક્ત જીવન જીવી શકો છે. અમેરિકામાં સિટિઝન બની ગયા પછી સામાજિક સુરક્ષા મળે છે. બિમાર પડો, બેરોજગાર થાઓ કે ઘડપણ આવે ત્યારે સરકાર જવાબદારી ઉઠાવે છે તેથી કોઈ ચિંતા રહેતી નથી જ્યારે ભારતમાં આખી જીંદગી ઢસરડા કર્યા પછી પણ ઘડપણમાં શાંતિ નથી મળતી.
અમેરિકા તરફના લોકોના આકર્ષણનું બીજું એક કારણ આપણા વિદેશમાં રહેતા એનઆરઆઈનાં બેવડાં ધોરણો છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓની માનસિકતા ચાવવાના જુદા અને બતાવવાના જુદા એવી છે. આ માનસિકતા પણ ગુજરાતીઓને વિદેશ તરફ ધકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
ભારતમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી ભારત બહુ બદલાઈ ગયું છે એવી વાતો બહુ સાંભળવા મળે છે. વિદેશમાં રહેતા ભારતીયો નરેન્દ્ર મોદીના શાસનનાં વખાણ કરવામાં સૌથી મોખરે હોય છે. મોદી અમેરિકા કે બીજા કોઈ દેશમાં જાય ત્યારે મોટી સંખ્યામાં ઉમટી પડતા ગુજરાતીઓ સહિતના ભારતીયો મોદી મોદીના નારા લગાવતા જોવા મળે છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ એક્ટિવ હોય એવાં વોટ્સએપ ગ્રૂપ જુઓ તો મોદીભક્તિથી ભર્યાં પડ્યાં હોય છે. મોદીના શાસનમાં ભારતમાં શું બદલાઈ ગયું ને કેવી ક્રાંતિ થઈ ગઈ તેની ગાથાઓથી ભરેલી પોસ્ટનો રીતસર મારો ચાલે છે.
આ જ ગુજરાતીઓ પાછા વિદેશ છોડીને ભારત પાછા આવવા તૈયાર નથી હોતા. જે ભારત બદલાઈ ગયેલું હોવાનું કહીને એ લોકો વખાણ કરે છે એ ભારતમાં પાછા આવીને રહેવાની તેમની તૈયારી નથી હોતી. બલ્કે કોઈ ભારત પાછા આવતા જ નથી. ભારત છોડીને અમેરિકા, યુકે, કેનેડા સહિતના દેશોમાં જવા માગતા ગુજરાતીઓનો આંકડો જુઓ અને મોદીના કારણે વિકસિત ભારતમાં પાછા આવેલા ગુજરાતીઓના આંકડાની તુલના કરશો તો આ વાત સમજાશે. વિદેશમાં જનારા ગુજરાતીઓ વિદેશમાં શું કરે છે એ ગુજરાતીઓ જાણતા હોય છે. મોટા ભાગના ગુજરાતી સાવ સામાન્ય કામો કરીને જ જીંદગી વિતાવે છે ને છતાં ગુજરાતમાં પાછા આવીને રહેતા નથી ત્યારે પોતે શું કરવા અહીં રહેવું જોઈએ એવું વિચારીને ગુજરાતીઓ વિદેશ ભાગે છે.
વિદેશમાં રહેતા ગુજરાતીઓની કરણી અને કથની સરખી થઈ જશે ત્યારે આ સ્થિતિ નહીં હોય.
રાજકીય સમસ્યાઓના સમાધાન માટે રાષ્ટ્રનું બંધારણ આપણા માટે પથદર્શક
પ્રાસંગિક
રાજકીય સમસ્યાઓના સમાધાન માટે
રાષ્ટ્રનું બંધારણ આપણા માટે પથદર્શક
++++++
નવી સરકાર સત્તારૂઢ થઈ તેની સામે અનેક રાજકીય સામાજિક અને રાષ્ટ્રીય પડકારો ઊભા થયા છે. આ બાબતમાં નવી સરકાર આ તમામના સમાધાન માટે ન્યાયપાલિકા અને રાષ્ટ્રના બંધારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. દેશમાં કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણું બંધારણ તેમાં ચોક્કસ માર્ગદર્શન આપે છે.અને તે પ્રમાણે સરકાર પગલાં લે છે જેથી કરીને લોકશાહીના સનાતન મૂલ્યો જળવાઈ રહે તેના જતન માટે સરકાર દ્રઢ નિશ્ચય છે.
સંઘ પરિવાર સાથે બાબા સાહેબના ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી ગાંધીજી સુભાષબાબુ સાવરકર મદન મોહન માલવીય ચંદ્રશેખર આઝાદ રાજગુરુ એમ કેટલાય લોકો તેમના સંપર્કમાં આવ્યા તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા વધુ હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં એક વાત આવી કે વિષય ભલે જુદા જુદા હોય, વિચાર ભલે જુદા જુદા હોય પરંતુ રાષ્ટ્રનું હિત બધામાં સર્વોપરી હતું
બાબા સાહેબને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી. ગાંધીજી, સુભાષબાબુ, સાવરકર, મદનમોહન માલવિય, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, કેટ-કેટલાં લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં આવી કે સૌના મનમાં એક વાત જરૂર છે. વિષય ભલે સૌના જુદા જુદા છે. પરંતુ લોક કલ્યાણ ની ભાવના બંનેમાં સમાન છે અને આથી જ સંઘ પરિવારના સર્વોચ્ચ નેતા બાબા સાહેબ પ્રત્યે સન્માનની નજર જોતા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ પૂ. હેડગેવારજીનો સંપર્ક હતો. પૂનાના એક સંઘ શિક્ષા વર્ગમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આવ્યા હતા તે સમયે તેમની સાથે જે લોકો હતા તેમાંના એક સ્વતંત્રતા બાદ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પણ બન્યા હતા. તેઓએ પોતાની આત્મકથામાં પણ આ પ્રસંગ વર્ણવ્યો છે. તે વખતે સંઘ શિક્ષા વર્ગમાં ભોજનનો સમય હતો અને ભોજન શરૂ જ થવામાં હતું અને પૂ. હેડગેવારજીને ખબર પડી કે ડૉ. બાબાસાહેબ આવ્યા છે, ત્યારે તેઓએ ભોજન રોકી ખુદ ઊભા થઈ તેઓને લઈ આવ્યા હતા અને સાથે બેસી સૌએ આનંદપૂર્વક ભોજન લીધું હતું. ત્યાર બાદ ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ સંઘમાં જાતિ-ભેદ છે કે નહીં તે પરખવા સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી. બાદમાં બપોરના સમયે ડૉ. હેડગેવારજીનું બૌદ્ધિક નક્કી હતું. છતાં ડૉ. હેડગેવારજીએ બાબાસાહેબને બૌદ્ધિક આપવા કહ્યું, જેમાં બાબાસાહેબે સ્વયંસેવકોને ભારતમાંથી તમામ પ્રકારના ભેદ મિટાવવાની વાત કરી હતી. એક વાત આવી કે તમામના વિચાર ભલે અલગ અલગ હોય પરંતુ સૌના મનમાં એક જ વિચાર છે. આ તમામ તપસ્વીઓ જેના મનમાં એક જ સવાલ હતો કે વારંવાર આ દેશને જ આક્રમણખોરો સામે પરાજિત કેમ થવું પડ્યું. આક્રમણખોરો ખૂબ જ દૂરથી આવ્યા હતા અને આપણા દેશનું વાતાવરણ પણ તેમને અનુકૂળ ન હતું કે ન તો તેમને આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન હતું. અન્ન-પાણી કે હવા તેમના અનુકૂળ ન હતાં અને તેમની સંખ્યા પણ મુઠ્ઠીભર હતી. જ્યારે આપણો દેશ સોનાની ચીડિયા ગણાતો હતો. આપણી પાસે જ્ઞાનનો ભંડાર હતો. આપણા શૂરવીરોની ધાક જગત આખામાં હતી છતાં મુઠ્ઠીભર આક્રમણકારીઓએ હજારો માઈલ દૂરથી આવી વારંવાર આપણને પરાજિત કર્યા હોવાનો ઇતિહાસ કેમ બન્યો ? હૂણોથી માંડી અંગ્રેજો સુધી આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે, કારણ કે આપણે સંગઠિત ન હતા. આપણી આ દુર્બળતાનાં કારણોને હટાવી એક સબળ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરવામાં આવશે નહીં ત્યાં સુધી આ વારંવાર થનારી બીમારી જવાની નથી. સમાજને શક્તિશાળી બનાવવાનું કામ કોઈકે તો કરવું પડશે એવું સૌને લાગતું હતું.
ડૉ. હેડગેવારજી પણ આવું જ માનતા હતા. ૧૯૧૧-૧૯૧૪ દરમિયાન તેઓ કલકત્તામાં હતા. તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ક્રાંતિકારી ત્રિલોક ચતુર્વેદીને મળવાનું થયું હતું ત્યારે તેઓએ તેમની સમક્ષ દેશની સ્વતંત્રતા ઝંખતા તમામ લોકોનો આ વિચાર છે એમ જણાવીને કહ્યું હતું કે, 'લાગે છે કે હવે આ કામ મારે જ કરવું પડશે. આ વાત ખુદ ત્રિલોક ચતુર્વેદીજીએ ડૉ.જીની જન્મશતાબ્દીની ઉજવણીની સમિતિના સદસ્ય બનાવવા માટે સંઘના કાર્યકર્તાઓ તેમની પાસે ગયા હતા ત્યારે સંઘના કાર્યકર્તાઓને જણાવી હતી.
એક શક્તિસંપન્ન, ભેદરહિત, ગુણસંપન્ન અને જીવનસંકલ્પના રૂપમાં દેશને શક્તિશાળી બનાવવાની ભાવના છે. એવા હિન્દુ સમાજના નિર્માણ માટે સંઘ શરૂ થયો હતો. ત્યારે ત્યાગ, બલિદાન અને પરિશ્રમ થકી સ્વતંત્રતા અપાવનાર આ તમામ મહાપુરુષોના સંકલ્પોને સત્ય સિદ્ધ કરનારો સમાજ ઘડવો પડશે. સંઘનું આ જ કાર્ય છે. સંઘ આના સિવાય બીજું કાંઈ ઇચ્છતો પણ નથી, પરમ વૈભવસંપન્ન વિશ્વગુરુ ભારત ભારતના સમાજ થકી જ બનશે. ત્યારે સ્વતંત્રતાના આ અમૃતકાળે આપણે સૌએ વિચાર કરવો પડશે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમના સમકાલીન તમામ મહાપુરુષો કે જેઓએ દેશ માટે પ્રમાણિકતાથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી કોઈને કોઈ ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેમણે લીધેલા સંકલ્પોને સત્ય સિદ્ધ કરવા માટે આપણે ત્યાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે ?
હાલમાં એવો પ્રચાર થઈ રહ્યો છે કે 2024 ની ચૂંટણીમાં જ્યાં સૌથી વધુ ભાજપે કામ કર્યું છે તે ઉત્તર પ્રદેશમાં જ ભાજપનું માની ન શકાય તેટલું ધોવાણ થયું છે આની પાછળ સંઘ પરિવારની રાજકીય ઈચ્છા શક્તિ નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ વસ્તુ બિલકુલ સાચી નથી આની ચોખવટ પણ થઈ ચૂકી છે.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને સ્વતંત્રતા મળી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં આપણે આપણું બંધારણ બનાવ્યું. આ બંધારણનું ભારતની સંસદમાં જ્યારે લોકાર્પણ થયું ત્યારે બાબાસાહેબ આંબેડકરે જે બે ભાષણ આપ્યાં હતાં. તે ભાષણ આપણે સૌ ભારતીયો માટે છે. જે સ્વતંત્રતા આપણા બધા વૌરોના ત્યાગ અને બલિદાનના કારણે આપણને પ્રાપ્ત થઈ. આપણા પૂર્વજોનાં કઠોર પરિશ્રમથી આપણને પ્રાપ્ત થઈ એ સ્વતંત્રતાના માટે સ્વયંને યોગ્ય બનાવ્યા. માટે આ બંને ભાષણો આપણા માટે પથ પ્રદર્શક છે. આપણે સૌ ભારતીયોએ આ ભાષણોને દર વર્ષે ૧૪ એપ્રિલ અને ૬ ડિસેમ્બરના રોજ અવશ્ય વાંચવા જોઈએ. આ ભાષણોનાં પ્રકાશમાં આપણો સૌ ચાલી રહ્યા છીએ કે નથી ચાલી રહ્યા તેનું આત્મચિંતન આપણે સૌએ કરવું જોઈએ. તે ભાષણમાં તેઓએ એકતાના મહત્ત્વને સમજાવ્યું છે. આ બંને ભાષણોમાં તેઓ જે કહે છે તે હું શબ્દશઃ નહીં પણ તેમાં રહેલા ભાવ બતાવું છું, કે આપણા દેશને કોઈ પરકીય શક્તિએ ખુદની શક્તિના બળે નહોતો જીત્યો. એકમેક વચ્ચેના ભેદોને કારણે, એકમેકની કારણે આપણે આપણા દેશને તે પરકીય તાકાતોને ચાંદીની થાળીમાં મૂકીને આપી દીધો હતો. બાકી આપણી સ્વતંત્રતાને છીનવી લેવાની કોઈની હિંમત ન હતી. આગળ તે કહે છે કે આજે આપણે આ સંસદમાં અલગ-અલગ વિચારધારા એમાં માનવામાં આપણે સૌ આ સંસદમાં સંસદના નાતો આપણે પોત-પોતાના અલગ અલગ કેમ્પ બનાવી બેઠા છીએ. પ્રજાતંત્રનું જે સ્વરૂપ આપણે સ્વીકાર્યું છે તેમાં આવું હોવું પણ જોઈએ. પરંતુ આપણે એ ધ્યાન રાખવું પડશે કે એકમેકના મતભેદોથી ઉપર આપણે સૌએ આ દેશ માટે રાજનૈતિક સ્વતંત્રતા અને આર્થિક સ્વતંત્રતાની જોગવાઈઓ બંધારણમાં કરેલું જ છે, પરંતુ સામાજિક સમતા વગર. આ આર્થિક, રાજનૈતિક સમતા - સ્વતંત્રતા પ્રત્યક્ષમાં આવી શકશે નહીં, માટે એના માટે શું કરીશું ? એને આપણે લાવવી પડશે. સમાજના ભેદોનો નાસ કરવો પડશે. આપણો સમાજ અલગ અલગ વર્ગોનો છે અને તેને એક કરવાનો છે એવું નથી. આપણે પહેલેથી જ એક સમાજ જ છીએ. પરંતુ વચ્ચે વચ્ચેના સમયગાળામાં આપણે ખુદ આપણા હાથે આ અલગ અલગ વર્ગ જાતિ વગેરેની નિર્માણ કરીને વચ્ચે અંતર ઊભું કર્યું અને વિદેશી લોકોએ તેનો લાભ ઉઠાવી તે અંતરને વધુ પહોળું કર્યું. આપણે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું પડશે એક બનવું પડશે.
કારણ કે છેવટે તો આપણે આપણાં સ્વપ્નોને સાકાર કરવાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પણ શા માટે કરવામાં આવી ? પૂ. ડૉ. હેડગેવારજી બાલ્યકાળથી જ દેશ માટે ચાલતાં તમામ કાર્યોમાં સક્રિય હતા. તેમના મનમાં દેશની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ ઇચ્છા હતી અને તેના માટે તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માનસિક તૈયારી કરી ચૂક્યા હતા. માતા-પિતાનો બાળપણમાં જ સ્વર્ગવાસ થયો હતો. જેથી ઘરનું બંધન-મોહ પણ તેમને ન હતો ઘર ચલાવવાનું દાયિત્વ પણ તેમના પાસે ન હતું માટે દેશ માટે ચાલતા હરેક કામમાં તેમણે સક્રિયતાથી ભાગ લીધો. સમાજસુધાર હોય કે પછી સમાજ પ્રબોધન હોય કે સમાજના આર્થિક સુધાર માટે સહકારી બેંક જેવા ઉપક્રમો હોય, સમાજના પ્રબોધન માટે વૃત્તપત્ર ચલાવવું, તેનું સંપાદન કરવાનું હોય. સ્વતંત્રતા માટે આંદોલનના માર્ગથી ચાલતું કોંગ્રેસનું કામ હોય કે પછી શસ્ત્રાચારથી અંગ્રેજોને ભગાવવાની આકાંક્ષા રાખવામાં ક્રાંતિકારીઓ માટેનું કામ હોય, જે જે પણ સમાજની ઉન્નતિ અને સ્વતંત્રતા માટે કાર્યો ચાલતાં હતા તેના માટે તેઓ કાર્યકર્તા બન્યા અને પ્રામાણિકતાથી તમામ કાર્યોનો તેઓએ અનુભવ લીધો. સ્વયં પણ આંખો ખુલ્લી રાખીને સમાજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ચિંતન કર્યું. અને આ તમામ કાર્યોમાં તેમના સમકાલીન જે કર્ણધારો હતા તેમની સાથે તેમના અનુભવો ની આપલે કરી હતી. આજે જ્યારે આપણા રાષ્ટ્ર સામે અનેક પડકારો ઊભા છે તેમાં ભાગલાવાદી પરિબળો સમાજના ભાગલા પડે તે માટે પ્રયત્ન કરે છે સમાજ તૂટે એટલે રાષ્ટ્ર માટે એક મોટી સમસ્યા ઉભી થાય દેશમાં જ રહેલા કેટલાક વિઘાતક તત્વો સામાજિક સમરસતાને તોડવા પ્રયાસો કરે છે ત્યારે બાબા સાહેબના વિચારો રાષ્ટ્રના નિર્માણ માટે સર્વોત્તમ પુરવાર થઈ શકે છે
સુરેશ ભટ્ટ
માનવીને યંત્ર બનાવવાના કારખાના
તંત્રી લેખ
માનવીને યંત્ર બનાવવાના કારખાના
+++++++++++++++++++
વિજ્ઞાન અને ટેકનોલોજી નો અભૂતપૂર્વ વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે તે મોટાભાગના માનવીઓને સમજાતું નથી.અમેરિકામાં તો હવે માનવીના મગજની અંદર કોમ્પ્યુટર ની માઈક્રો ચિપ્સ ફીટ કરવાના પ્રયોગો ચાલુ થઈ ગયા છે. અને આગામી થોડા વર્ષોમાં જીવતા જાગતા માનવીને યંત્ર બનાવી દેવાના પ્રયોગો પણ થશે
આ બધું ક્યાં જઈને અટકશે તે કોઈ કહી શકે તેમ નથી.
વિશ્વમાં ઈશ્વરનું સર્વોત્તમ સર્જન માનવી છે અને માનવીમાં સર્વોપરી છે તેનું મન. આ મનને કોમ્પ્યુટરથી કંટ્રોલ કરવાના પ્રયોગો શરૂ થઈ ચૂક્યા છે. માનવીના મગજમાં કોમ્પ્યુટરની ચીપ ફિટ કરવામાં આવી રહી છે. અમેરિકાની બ્લેક રોક યુરોટેક નામની કંપની આ પ્રકારનું કાર્ય કરી રહી છે.તેને ઘણા માણસોના મગજમાં આવી કોમ્પ્યુટર જીપ પ્લાન્ટ કરે છે
ઈલેક્ટ્રીક મોટર થી માંડીને અવકાશયાન બનાવીને એક ક્રાંતિ કરી છે તો બીજી બાજુ મંગળ ગ્રહ પર માનવીની સોસાયટી સ્થાપવાના સપના જોઈ રહેલા અમેરિકાના આધન કુબેર જે કાર્ય કરવા માટે છે તે કાર્ય સામાન્ય માનવી માટે અત્યંત ચોંકાવનારૂ છે. એમાં તે માનવીના મગજમાં કોમ્પ્યુટર ની ચીપ ફીટ કરવાના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે આ માટે એક નવી કંપનીની સ્થાપના કરવામાં આવી છે અને તે માનવીના મગજની અંદર કોમ્પ્યુટર ની ચીપ ફીટ કરવાનું ક્રાંતિકારી કામ શરૂ કરી દીધું છે. ન્યુરા લિંક નામ આપવામાં આવ્યું છે. આ કંપનીએ ઘણા માણસોના મગજમાં આવી ચિપ ઈમ્પ્લાન્ટ કરી ચૂકી છે. ન્યુરાલિંકની આ પહેલ મોટી છે, પરંતુ શરૂઆતમાં ફક્ત તે લોકોને જ ફાયદો થશે, જેમણે કોઈ કારણસર પોતાના અંગો ગુમાવ્યા હોય અથવા તેમના અંગો નકામા થઈ ગયા હોય. આવા દર્દીઓ માટે માત્ર વિચારીને ફોન, કોમ્પ્યુટર કે અન્ય આવા ઉપકરણોનો ઉપયોગ કરવાની ક્ષમતા વરદાન સાબિત થઈ શકે છે.
મગજમાં ફિટ કરવાની કોમ્પ્યુટર ચિપ એક ચમત્કાર તો છે જ પરંતુ એની હવે પછીની સંશોધન જનરેશન મનુષ્યને બ્રહ્માંડ સમજવામાં ઉપયોગી થશે. થોડી આગળ વાત કરીએ તો તેનાથી એવા લોકોને પણ ફાયદો થઈ શકે છે જેમના શારીરિક અંગો સ્વસ્થ છે, પરંતુ માનસિક બિમારીઓને કારણે તેઓ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, આ ચિપ માત્ર અલ્ઝાઈમર, પાર્કિન્સન્સના કેસમાં જ નહીં, પણ ડિપ્રેશન અને વ્યસનના કિસ્સામાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે રોગોની સારવાર આ પ્રયોગનું માત્ર એક પાસું છે. માત્ર મસ્ક જ નહીં, આ પ્રયોગ પર કામ કરતા અન્ય લોકોએ પણ ખરેખર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા માનવ મગજની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેથી આજે નહીં તો કાલે મામલો એ દિશામાં જશે.
મગજમાં ચિપ દ્વારા વિશ્વભરની માહિતી ડાઉનલોડ કરવાનો અને માહિતી સંગ્રહિત કરવાની માણસની ક્ષમતામાં વધારો કરવાનો વિચાર ખૂબ જ આકર્ષક છે. પરંતુ આમાં ખતરો પણ ઓછો નથી. એના પછીની નીચેની લીટી એ છે કે આવી ચિપ છ મહિના અથવા એક વર્ષ માટે નહીં, પરંતુ લાંબા સમય (૧૦-૨૦ વર્ષ અથવા તેથી વધુ) માટે સેવા આપશે. પરંતુ મગજ અને ચિપ વચ્ચેનો તાલમેલ આટલો લાંબો સમય ચાલશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ અભ્યાસ થયો નથી. જો કે, ન્યુરાલિંકનો વાસ્તવિક હેતુ મનુષ્ય અને કમ્પ્યુટરને જોડવાનો છે. આનો અર્થ એ થયો કે ભવિષ્યમાં આપણે ફક્ત વિચાર કરીને જ વસ્તુઓને નિયંત્રિત કરી શકીશું, તે સાયન્સ ફિક્શન ફિલ્મો જેવું લાગે છે. પરંતુ આ અંગે હજુ પણ ઘણા પ્રશ્નો છે. ઉદાહરણ તરીકે, શું આ ટેક્નોલોજીનો દુરુપયોગ થઈ શકે છે? હાલમાં, આ ટેક્નોલોજી તેના પ્રારંભિક તબક્કામાં છે અને તેની દૂરોગામી અસરને સમજવામાં વધુ સમય લાગશે.
માનવીના મગજમાં કોમ્પ્યુટરની ચિપ્સ ફીટ કરવાથી અને તેને જે રીતે પ્રોગ્રામિંગ કરવામાં આવશે તે રીતે માનવી વર્તન કરશે ટૂંકમાં માનવીના સંપૂર્ણ વર્તન પર તેના જીવન પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ નો કાબુ થઈ જશે અને કેવા પરિણામ આવશે તે તો હવે પછીનો સમય કહેશે. અમુક વૈજ્ઞાનિકોના મત પ્રમાણે આવા પ્રયોગ ખૂબ જોખમી ગણી શકાય કારણ કે કોમ્પ્યુટર પ્રોગ્રામમાં જો ગરબડ થશે તો માનવી બેફામ બની જશે અને કલ્પના બહારના તેના પરિણામો આવશે આના કારણે હવે પછીના યુગમાં શું બનશે તેની કલ્પના થઈ શકતી નથી ઇલોન મસ્ક જેવા અતિ ધનિક માનવીના તુક્કા માનવ જાતને ફાયદો ઓછો અને નુકસાન વધુ કરે તેવું ચોક્કસ બની શકે. મંગળ પર માનવ વસાહત સ્થાપવાથી કોનું કલ્યાણ થશે? તેનો પ્રશ્ન આજે કોઈ પાસે નથી. આજે કરોડો માનવીઓ બે હાલ સ્થિતિમાં ઝૂંપડપટ્ટીમાં વસી રહ્યા છે. લાખો બાળકો ભૂખે મરી રહ્યા છે. ત્યારે મંગળ પર માનવ વસાહસ આપવાની વાતો અર્થહિન લાગે છે જેની પાસે
અમાપ સંપત્તિ છે તે લોકો આવા તુક્કા નો અમલ કરીને શું સાબિત કરવા માંગે છે તે મોટાભાગના માણસોને સમજાતું નથી પરંતુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ વિકાસ માનવ જાતને ફાયદો કરશે કે નુકસાન કરશે તે આ જે કહેવું વધારે પડતું છે. શું થશે એ તો આગામી સમય જ બતાવી શકે.
સુરેશ ભટ્ટ
કેનેડા એટલે ભારત વિરોધી આતંકવાદનો ત્રીજો ખૂણો
પ્રાસંગિક
કેનેડા એટલે ભારત વિરોધી આતંકવાદનો ત્રીજો ખૂણો
+++++++
પાકિસ્તાન ચીન અને કેનેડા એવા દેશો છે જ્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓના મોટા અડ્ડા ચાલે છે જેમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે જ્યાં કટરવાદી ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.તો કેનેડામાં રહીને અમુક લોકો અલગ ખાલીસ્થાન માંગી રહ્યા છે જેને કેનેડાનો રાજકીય સપોર્ટ છે.
++++++
ભારતના અમુક શીખો પાકિસ્તાન કેનેડા ઇટાલી અને બ્રિટનમાં રહીને અલગ ખાલીસ્થાનની માંગ કરી રહ્યા છે.ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નીજજર હત્યામાં કેસમાં કેનેડાની સરકારે ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશના સંબંધો વણસ્યા છે. એક સમયે ભારતના સારા મિત્ર તરીકે વ્યાપારિક સંબંધો વિકસિત કરનાર કેનેડાનો પરિચય જાણવા જેવો છે
પાકિસ્તાન ચીન અને કેનેડા ભારતના વિરોધી દેશો છે ભારતની એકતાને તોડવા મથતા લોકો આ દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે જેનો ભારત સખત વિરોધ કરે છે.
ગત સપ્તાહે નિજ્જર હત્યા કેસમાં ત્રણ ભારતીય મૂળના આરોપીઓને કનેડાની કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ભારત સામે કરેલા આરોપોને કેનેડા સમર્થન કરવાનું ચાલુ રાખશે. કેસરી રંગના જમ્પસૂટ પહેરેલા ત્રણેય આરોપીઓ સરેની સ્થાનિક કોર્ટમાં હાજર થતાં, ખાલિસ્તાની તરફી પ્રદર્શનકારીઓ કોર્ટની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ બતાવ્યા હતા, પ્રદર્શનકારીઓ નિજ્જરની હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા એવા કોઈ નક્કર પુરાવા હજુ સુધી કેનેડાએ આપ્યા નથી. ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ભારતીય મૂળના ત્રણ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ગત શુક્રવારે ધરપકડ બાદ પ્રથમ વખત આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, જેનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડાના એડમન્ટનમાં રહેતા ભારતીય નાગરિકો કરણ બ્રાર(22), કમલપ્રીત સિંઘ (22) અને કરણપ્રીત સિંઘ(28)ની ગયા અઠવાડિયે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કેનેડા તેના નાગરિકોનું રક્ષણ કરવામાં કોઈ ચૂક નહીં રાખે.
તેમણે કહ્યું કે કેનેડાની સ્થિતિ હંમેશા સ્પષ્ટ રહી છે. અમારું કામ કેનેડિયનોનું રક્ષણ કરવાનું છે અને કેનેડિયનની ધરતી પર ભારતીય એજન્ટો દ્વારા કેનેડિયનની હત્યા કરવામાં આવી હોવાના આરોપો પર અમે અડગ છીએ.
કેનેડિયન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડની જાહેરાત કર્યા બાદ મેલાનીનું નિવેદન આવ્યું છે. જો કે, કેનેડિયન પોલીસ કર્મચારીઓએ ભારત સાથે આરોપીઓના કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા આપ્યા નથી.
ન્યાયાધીશ ડેલારામ જહાનીએ ત્રણેય શંકાસ્પદોની ટૂંકમાં પૂછપરછ કરી. બ્રાર અને કરણપ્રીત સિંહ 21 મેના રોજ ફરીથી કોર્ટમાં હાજર થશે. જોકે, અદાલતે કમલપ્રીત સિંહ માટે નવી તારીખ નક્કી કરવાની બાકી છે.
મંગવારે સ્થાનિક ખાલિસ્તાન સમર્થકો કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. સુનાવણીમાં હાજરી આપવા માંગતા વધારાના 50 લોકોને સમાવવા માટે કોર્ટહાઉસની અંદર એક અલગ ઓવરફ્લો રૂમ ખોલવામાં આવ્યો હતો. કોર્ટહાઉસની બહાર 100થી વધુ લોકોએ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો અને શીખ અલગતાવાદને સમર્થન આપતા પોસ્ટરો દર્શાવ્યા હતા.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવે અમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ મામલે સંવેદનશીલ છે અને અમે ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે. ભારતે અમારી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે.” તેમણે કહ્યું હતું કે અમેરિકાએ નવી દિલ્હી દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને સતત અપડેટ્સ આપવા કહ્યું છે.
ભારતની મુલાકાતના દિવસો પછી એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રશ્નોના જવાબમાં કેમ્પબેલે કહ્યું હતું કે, “અમે સ્પષ્ટ કર્યું છે કે અમે જવાબદારી ઈચ્છીએ છીએ અને અમે આ વિષય પર ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે અને તેઓએ પણ અમારી ચિંતાઓનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ મુદ્દો સીધો ભારત સરકારના નેતૃત્વના ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને તેમની પાસેથી સતત અપડેટ્સ માગ્યા છે.
નોંધનીય છે કે ગયા વર્ષે ગુરુવંત પન્નુનો અમેરિકામાં અકસ્માત થયો હતો. આ મામલામાં અમેરિકાએ ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
ગુપ્તાની 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય લોકોના સંપર્કમાં હતો. આ લોકો અમેરિકામાં રાજકીય કાર્યકર્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જે ભારતીય મૂળનો છે અને અમેરિકન નાગરિક છે. એક સમય એવો હતો કે જ્યારે ભારતને કેનેડા સાથે ખૂબ સારા મૈત્રી પૂર્ણ સંબંધ હતા પરંતુ કેનેડાની સરકારે ભારત વિરોધીઓને આશ્રય આપવાનું શરૂ કર્યું ત્યારથી ભારત સાથેના તેના સંબંધોમાં કડવાસ આવી ચૂકી છે ખાસ કરીને કેનેડામાં ભારત વિરોધી પરિબળો મોટા પ્રમાણમાં સક્રિય થઈ ચૂક્યા છે અને કેનેડાની સરકાર તેને અંદરખાનેથી મદદ પણ કરે છે કેનેડા એક એવો દેશ છે જેની પાસે અપાર કુદરતી ક્ષમતાઓ છે આમ છતાં તે અમેરિકા જેટલો વિકસિત નથી.કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. વિસ્તારમાં તે દુનિયામાં બીજા ક્રમે આવે છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, અને પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરેલ છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે. કેનેડાની દક્ષિણે તથા પશ્ચિમે યુ.એસ.એ. આવેલ છે. યુરોપીઅન પ્રજાના આગમન પહેલા ઘણા વર્ષોથી મૂળ નિવાસીઓ વસતા હતા, જેઓ હવે નેટિવ ઇન્ડિયન કે ફર્સ્ટ નેશનથી ઓળખાય છે. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપીઅન વંશના લોકોએ લગભગ સમગ્ર દેશ કબ્જે કરીને વસવાટ કર્યો હતો.કેનેડામાં સંસદીય પદ્ધતિથી સરકાર ચાલે છે પરંતુ બંધારણીય રાજાશાહીને પણ ચાલુ રાખી છે. પ્રધાન મંત્રી દેશની સરકારના વડા છે અને સંસદને જવાબદાર છે. ઇંગ્લેન્ડની રાણી દ્વારા નિયુક્ત થતા ગવર્નર જનરલ દેશના બંધારણીય વડા છે. કેનેડામાં સત્તાવાર રીતે બે ભાષાનું ચલણ છે - અંગ્રેજી અને ફ્રેન્ચ. માનવ સંશાધન વિકાસાંકમાં કેનેડા ખુબ જ આગળ છે. કેનેડા યુનો, નાટો, કોમનવેલ્થ, જી20 અને અન્ય આંતર રાષ્ટ્રીય સંસ્થાનોમાં સભ્ય દેશ છે
સુરેશ ભટ્ટ
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ની પરંપરા માનવીય ચેતના ના ઉચ્ચ શિખરો છે.
પ્રાસંગિક
++++++
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ની પરંપરા માનવીય ચેતના ના ઉચ્ચ શિખરો છે.
+++++
ભારતીય સંસ્કૃતિને નષ્ટ કરવા માટે સદીઓથી પ્રયાસો ચાલી રહ્યા છે પરંતુ તેને નષ્ટ કરવાવાળા ખાકમાં મળી ગયા પરંતુ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ આજે પણ અસ્તિત્વમાં જ છે. માનવ જાતના ભવિષ્યની તે એકમાત્ર આશા છે.
++++++++++(
જર્મની થી માંડી અમેરીકા સુધીના મોટાભાગના વિદ્વાનો એમ માને છે કે દુનિયામાં ભારતીય સંસ્કૃતિ સર્વોત્તમ છે તેનું કારણ તેના શાશ્વત અને ઉચ્ચ મૂલ્યો છે આના કારણે ભારતિય સંસ્કૃતિની વિશ્વ સંસ્કૃતિ માનવામાં આવે છે જોકે આની સામે સનાતન ધર્મ અને પ્રાચીન સંસ્કૃતિને ઉતારી પાડી તેને નષ્ટ કરવાના પ્રયાસો કરનાર લોકો પણ મોટી સંખ્યામાં જ છે. અને તે લોકો ભારતીય સંસ્કૃતિના જીવન મૂલ્યોને તોડી નાખવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે આમ છતાં ભારતીય સંસ્કૃતિ અણનમ છે.
ભારતનો આર્થિક વિકાસ તીવ્ર ગતિથી થઈ રહ્યો છે વિશ્વના ટોપ ટેન ઇકોનોમીમાં ભારતનો સમાવેશ થઈ જશે જેને કારણે
આજે આપણે વિકાસના ઉચ્ચ શિખરે પહોંચી ગયા છીએ, તો બીજી બાજુ અનેક વૈશ્વિક સંકટો પણ ઊભાં કર્યાં છે.
આજે આપણું વિશ્વ એક ઇલેક્ટ્રોનિક કોર્ટેજ જેવું બની ગયું છે એક વ્યક્તિ બીજી વ્યક્તિથી સાવ નજીક હોવા છતાં તે અમાપ અંતરે હોય તેવું આજે વાતાવરણ છે. Facebook પર હજારો ફ્રેન્ડસ હોવા છતાં સગા ભાઈ સાથે વાત કરવાનો સમય ન હોય તેવું આજે બની રહ્યું છે બીજી બાજુ લોકોનાં દિલો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. દુનિયામાં ઘૃણા, દ્વેષ, હિંસા, સંઘર્ષ, યુદ્ધો વગેરેમાં વધારો થયો છે. એકબીજા પ્રત્યે સદ્ભાવ, વિશ્વાસ તથા માનવીય મૂલ્યોનો નાશ થઈ ગયો છે.
આવી પરિસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિની મહત્તા પહેલાં કરતાં પણ વધારે જરૂરી બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિ પોતાનાં શાશ્વતમૂલ્યોના કારણે વિશ્વસંસ્કૃતિની ભૂમિકા નિભાવવામાં સક્ષમ છે. તે માણસના વ્યક્તિત્વને શુદ્ધ તથા પવિત્ર બનાવીને તેને દેવોપમ બનાવે છે. ભારતીય સંસ્કૃતિની મહાનતાની મુક્તકંઠે પ્રશંસા કરતાં વિશ્વવિખ્યાત કલા સમીક્ષક મેક્સમુલર કહે છે કે બીજા કોઈ દેશે ભારત જેવી ઉચ્ચ સંસ્કૃતિનું નિર્માણ કર્યું નથી. કોઈ પણ ધર્મને જીવનદર્શન સમજાવવામાં આટલી સફળતા મળી નથી. ભારતનું જ્ઞાન જેટલું ઉચ્ચ, સમૃદ્ધ તથા શક્તિશાળી છે એટલું બીજા કોઈ પણ દેશનું નથી.
ભારતીય સંસ્કૃતિના જ્ઞાન તથા વિજ્ઞાનથી મુગ્ધ થયેલા જર્મન વિદ્વાન મેક્સમૂલર આગળ લખે છે કે જો મને કોઈ પૂછે કે માનવીય મસ્તકની સૂક્ષ્મતમ શક્તિઓને વિકસિત કરવામાં કયા દેશે સફળતા મેળવી છે, જીવનની મોટામાં મોટી સમસ્યાઓ પર વિચાર કર્યો છે તો હું ભારતવર્ષ તરફ ઇશારો કરીશ. પોતાની સાંસ્કૃતિક વિશેષતાઓના કારણે ભારત પાસે આજે દુનિયાને બહુ મોટી આશા છે. વિશ્વ લોકોને દિશાબોધ કરાવવા માટે અને સાંસ્કૃતિક નેતૃત્વ કરવા માટે ભારત પાસે અપેક્ષા રાખી રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિની વિકાસયાત્રા હજારો વર્ષોથી ચાલી આવી છે. મિસર, બેબીલોન, ગ્રીસ, રોમન તથા સુમેર જેવી પ્રાચીન સંસ્કૃતિઓના આજે માત્ર અવશેષો રહી ગયા છે. તેમનો વૈભવ નષ્ટ થઈ ગયો છે અને તે બધી સંસ્કૃતિઓ વિલીન થઈ ગઈ છે. ઈતિહાસના વિશેષજ્ઞો સિવાય બીજાકોઈને એમના વિશે કોઈ જ્ઞાન નથી.
ભારતીય સંસ્કૃતિની આ અમરતાનું કારણ તેનો સર્વધર્મ સમભાવ અને ઉચ્ચ અધ્યાત્મ, તેના અમરગ્રંથો જેવા કે વેદો, ઉપનિષદો, સ્મૃતિઓ, ષડ્દર્શન, રામાયણ, મહાભારત વગેરે છે. અહીંની પુણ્યભૂમિમાં યથાસમયે દિવ્ય આત્માઓ અને મહાપુરુષો નિરંતર પેદા થતા રહ્યા છે. તેઓ માત્ર ભારતને જ નહિ, પરંતુ સમગ્ર વિશ્વને સજ્ઞાનનો પ્રકાશ આપતા રહ્યા છે. આ જ કારણે ભારતીય સંસ્કૃતિનું અસ્તિત્વ આજે પણ યથાવત્ ટકી રહ્યું છે. અનેક આક્રમણખોરોએ તેનો નાશ કરવા માટે ભયંકર પ્રહારો કર્યા, પરંતુ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ અધ્યાત્મની સામે તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા.
આધ્યાત્મિકતા ભારતીય સંસ્કૃતિને સમજવાની ગોલ્ડન કી છે. આપણું ઉચ્ચ અધ્યાત્મ તેને બીજી સંસ્કૃતિઓથી અલગ પાડે છે. આપણા દેશમાં આત્મા તથા પરમાત્મા વિશે જેટલું ચિંતન કરવામાં આવ્યું છે એટલું બીજે ક્યાંય નહિ થયું હોય. શ્રી અરવિંદ લખે છે કે ભારતીય સંસ્કૃતિમાં ધર્મ દ્વારા ક્રિયાશીલ થયેલું દર્શન અને એ દર્શન એટલે કે તત્ત્વજ્ઞાન દ્વારા આલોકિત ધર્મ જ નેતૃત્વ કરતો આવ્યો છે. બીજી બધી કલાઓ, કાવ્ય વગેરે તો માત્ર તેનું અનુસરણ કરે છે. નિઃસંદેહ ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વે અપનાવવા યોગ્ય એક માત્ર સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ આરંભથી જ આધ્યાત્મિક, અંતર્મુખી, ધાર્મિક તથા દાર્શનિક સંસ્કૃતિ રહી છે અને આજે પણ તેનું એ સ્વરૂપ ટકી રહ્યું છે. અહીં આધ્યાત્મિક મહાપુરુષોને જેટલી પ્રતિષ્ઠા મળી છે એટલી શ્રીમંતો તથા સત્તાધીશોને મળી નથી.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા તેની સર્વવ્યાપકતા તથા સમગ્રતા છે. જીવનની સંપૂર્ણ શુદ્ધિ તથા પવિત્રતા, સમાજનો સર્વાંગી વિકાસ અને આત્માનાઉત્કર્ષનું જે ચિંતન અહીં જોવા મળે છે તે અન્યત્ર દુર્લભ છે. જે વિચારશીલ અને સત્યનું સંશોધન કરનારા વિદેશીઓએ ભારતીય સંસ્કૃતિના શાશ્વત ચિંતનપ્રવાહમાં થોડીક પણ ડૂબકી મારી છે તેઓ હંમેશને માટે ભારતીય સંસ્કૃતિના ચાહક બની ગયા.
દરેક યુગમાં તથા દરેક દેશમાં ભારતીય સંસ્કૃતિના આવા ચાહકોની લાંબી યાદી જોવા મળશે. તેઓ આપણી સંસ્કૃતિના ઊંડા તત્ત્વજ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયા હતા. ભારતીય સંસ્કૃતિએ જીવનના દરેક પાસા પર પ્રકાશ પાડયો છે. જીવનની લૌકિક તથા આધ્યાત્મિક ઉન્નતિ માટે ધર્મ, અર્થ, કામ તથા મોક્ષનું અદ્ભુત ચિંતન આપણને આપ્યું છે.
માનવ જીવનની સાર્થકતા વિશે ભારતીય સંસ્કૃતિ ઉચ્ચસ્તર ની વિચારધારા ધરાવે છે.જીવનનો ક્રમિક વિકાસ કરીને તેને ચરમ ઉત્કર્ષ સુધી પહોંચાડનારી વર્ણાશ્રમ વ્યવસ્થા ભારતીય સંસ્કૃતિની અનોખી વિશેષતા છે. સમયના પ્રવાહ સાથે એમાં થોડી વિકૃતિઓ આવી ગઈ છે, એમ છતાં એની પાછળ રહેલું તત્ત્વજ્ઞાન તથા સંદેશ અદ્ભુત તથા વિચારણીય છે. ભારતીય સંસ્કૃતિના વિકાસમાં કદાચ બીજી સંસ્કૃતિઓનું પણ થોડુંઘણું યોગદાન રહ્યું હશે. આર્યો, અનાર્યો, શક, હૂણ, ગ્રીક, કુષાણ, પારસી વગેરે અનેક પ્રજાઓ અહીં આવી અને આપણી સંસ્કૃતિમાં સમાઈ ગઈ. ભારતીય સંસ્કૃતિ અત્યંત ઉદાર છે. તેણે બધાનો સ્વીકાર કરી લીધો.
ભારતીય સંસ્કૃતિની આ સમન્વયકારી દૃષ્ટિ અદ્ભુત અને વિરલ છે. તે એક મહાસાગરની જેમ અનેક ઉત્તમ વિચારધારાઓને પોતાની અંદર સમાવી લે છે. તેણે બીજી સંસ્કૃતિઓની વિચારધારા, જ્ઞાન, તત્ત્વદર્શન, કલા વગેરેને આત્મસાત્ કરી લીધાં છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા છે.
ભારતીય સંસ્કૃતિની બીજી એક વિશેષતા તેની ઉદારતા તથા સહિષ્ણુતા છે. “એકં સદ્વિપ્રા બહુધા વદન્તિ” આ વેદવાક્યમાં તેનું ચિંતન બીજરૂપમાં જોવા મળે છે. ઈશ્વર એક જ છે, ભલે તેનાં નામ જુદાં જુદાં હોય. આપણા ધર્મમાં ૩૩ કોટિ દેવીદેવતાઓ માનવામાં આવ્યાં છે. બીજા ધર્મોનાં દેવીદેવતાઓનો પણ વિરોધ કરવામાં આવ્યો નથી કારણ કે ભારતીય સંસ્કૃતિ એવા કોઈ ભેદભાવમાં માનતી નથી. સમગ્ર વિશ્વમાં એક જ પરમાત્મા છે અને લોકો તેમને જુદા જુદા સ્વરૂપે પૂજે છે. આવી માન્યતા માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ જોવા મળે છે.એના કારણે આપણી સંસ્કૃતિમાં ધાર્મિક દ્વેષ તથા વેરઝેર જોવા મળતાં નથી. આપણા કોઈ પણ સમ્રાટે બીજા ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી નથી. સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ પાળતા હોવા છતાં બીજા ધર્મોનો આદર કરતા હતા તથા બ્રાહ્મણોને દાન આપતા હતા. તેઓ બધા સંપ્રદાયો વચ્ચે મેળ રહે એવો પ્રયાસ કરતા હતા. એના માટે વાણીનો સંયમ, ઉદારતા તથા સહિષ્ણુતા જરૂરી છે. લોકો ભલે પોતાના સંપ્રદાયનો આદર કરે, પરંતુ બીજા સંપ્રદાયોની નિંદા ન કરવી જોઈએ.
આપણી સંસ્કૃતિમાં સત્ય, ન્યાય, અહિંસા, શાંતિ, પ્રેમ, ઉદારતા વગેરે ગુણોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપનિષદોનું મહાવાક્ય “સત્યમેવ જયતે” આજે પણ આપણા રાષ્ટ્રનું પ્રેરક વાક્ય છે. ભારતીય સંસ્કૃતિની બીજી એક વિશેષતા કર્મફળનો સિદ્ધાંત છે. ભગવદ્ ગીતામાં આ સિદ્ધાંતને ઉત્તમ રીતે સમજાવવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખથી તેનો સંદેશ મેળવીને વિષાદગ્રસ્ત થયેલો અર્જુન ધર્મયુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે. માત્ર ધર્મ દ્વારા નહિ, પરંતુ ઉત્તમ કર્મો દ્વારા માણસ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ધર્મયુક્ત કર્મ મોક્ષ. મેળવવાનું સાધન છે. કુકર્મો મનુષ્યને અધોગતિ તથા પતન તરફ લઈ જાય છે, જ્યારે સત્કર્મથી માણસનું ઉત્થાન થાય છે અને તે મોક્ષના માર્ગે આગળ વધે છે. માણસનો આ લોક અને પરલોક સુધરી જાય છે.
દુનિયાએ સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિને સર્વશ્રેષ્ઠ માની છે એનું કારણ તેનાં શાશ્વત અને ઉચ્ચમૂલ્યો છે. “આત્મવત્ સર્વભૂતેષુ” અને “વસુધૈવ કુટુંબકમ્” જેવું ઉદાત્ત અને મહાન જીવનદર્શન ભારતીય સંસ્કૃતિને વિશ્વસંસ્કૃતિ બનાવી દે છે. આટલી બધી ઉદારતા, ઉદાત્તતા તથા મહાનતા દુનિયાની બીજી કોઈ સંસ્કૃતિમાં જોવા મળતી નથી.
Sureshbhatt
અમેરિકામાં ચૂંટણીનો જંગ જામતો જાય છે
પ્રાસંગિક
++++++
અમેરિકામાં ચૂંટણીનો જંગ જામતો જાય છે
+++++
2024ની ચૂંટણીનાં પડઘમ વાગે છે, ત્યારે વિસ્કોગ્ઝીનમાં યોજાયેલી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે રામસ્વામીની ભારોભાર પ્રશંસા કરી હતી
વોશિંગ્ટન : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચે રસાકસી જામવાની છે ત્યારે ટ્રમ્પના 'રનિંગ-મેઇટ' (સાથી) કોણ હશે તે અંગે ઈન્ટરનેટ પર સામેલ ચર્ચામાં વિવેક રામસ્વામીનું નામ ઉપપ્રમુખપદ માટે જોર પકડી રહ્યું છે.
સહજ છે કે વિશ્વની સૌથી પ્રબળ લશ્કરી અને આર્થિક સત્તાના પ્રમુખપદની ચૂંટણી ઉપર વિશ્વભરના બુદ્ધિજીવીઓની નજર મંડાઈ રહી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેઓના 'સાથી' તરીકે વિવેક રામસ્વામીને રાખશે તે લગભગ નિશ્ચિત બન્યું છે. ગઈ ચૂંટણીમાં ટ્રમ્પે તેમના રનિંગ મેટ તરીકે માઇક મેન્સને રાખ્યા હતા પરંતુ આ વખતે યુ.એસ.માં આવી વસેલાઓને પણ નજરમાં રાખી ટ્રમ્પ રામસ્વામીને પસંદ કરે તે વધુ શક્ય લાગે છે.
આ પૂર્વે માર્ચમાં ટ્રમ્પે જ તેઓના ઉપપ્રમુખ તરીકે વિવેક રામસ્વામીને પસંદ કરશે ? તે પ્રશ્નને જ ફગાવી દીધો હતો. પરંતુ હવે ચક્ર આગળ ચાલ્યું છે. ટ્રમ્પની ગણતરી સ્પષ્ટ બની ગઈ છે. વિસ્કોગ્ઝીનમાં યોજાયેલી રેલીમાં તેઓએ ખુલ્લી રીતે રામસ્વામીને તેમના રનિંગ મેઇટ તરીકે જાહેર કરતાં કહ્યું હતું કે, 'વિવેક એક તેજસ્વી વ્યક્તિ છે. તેનો વહીવટી બાબતો ઉપર પણ પૂરો કાબુ છે. હું જે કંઈ કહું છું તે તેએો પૂરૃં કરીને જ ઝંપે છે. તે વી.પી. તરીકે નહીં હોય તો પણ એક યા બીજી રીતે અમારી (રીપબ્લિકન્સ સાથે) જોડાયેલા રહેશે.'
વિવેક રામસ્વામીએ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિને બીરદાવતા તેઓએ યુ.એસ.ના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન સાથે સરખાવ્યા હતા.
ઈન્ટરનેટ પર ઘણાએ તે ગણતરીને બિરદાવી હતી. રામસ્વામીના પ્રવકતાએ પણ કહ્યું હતું કે આ અંગે ઘણી અને ઘણી ગણતરીઓ ચાલે છે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રેસમાં પણ તે વાત ચર્ચાઈ રહી છે પરંતુ હું તમોને ખાતરી પૂર્વક કહું છું કે જો આપણે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટી કાઢશું તો તેઓ તેમની 'અમેરિકા ફર્સ્ટ નીતિને વધુ ઉંચા સ્તરે લઈ જશે.'
એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો વિવેકને ટ્રમ્પ તેમના રનિંગ મેઇટ તરીકે રાખશે, તો જ હું તેઓને મત આપીશ.
ટૂંકમાં ભારતીય વંશના આ કરોડપતિ ધંધાદારી રામસ્વામી જો ટ્રમ્પ વિજયી થશે તો તેઓ અમેરિકાના ઉપપ્રમુખપદે નિશ્ચિત છે. અત્યારે પણ જો બાયડેનની સાથે ઉપપ્રમુખપદે ભારતીય વંશના કમલા હેરિસ જ છે.અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી પર સમગ્ર દુનિયાની નજર છે, કારણ કે, રાષ્ટ્રપતિના બદલાવાની સાથે જ અમેરિકાની વિદેશનીતિ અને વ્હાઇટ હાઉસના નિર્ણય વિશ્વના અલગ અલગ હિસ્સાઓ પર પોતાનો પ્રભાવ છોડતા હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુરુવારે ડેમોક્રેટિક જો બાયડન (Joe Biden) અને રિપબ્લિક પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વચ્ચે પહેલી ડિબેટ થઈ હતી. તો જાણીએ અમેરિકામાં ચૂંટણી યોજાયા બાદ ભારત અને ચીન જેવા દેશો પર શું અસર પડશે?અમેરિકાની ચૂંટણી પર ચીનની નજર
અમેરિકાની ચૂંટણી પણ જે દેશોની નજર છે તેમાં ચીન (China) મુખ્ય દેશ છે. બેજિંગમાં બીબીસીના સંવાદદાતા લોરા બીકરે જણાવ્યું હતું કે, ચીન અમેરિકા વચ્ચે સૌથી મોટો મતભેદ તાઇવાનને લઈને છે. અમેરિકાના ચૂંટણી દરમિયાન બંને ઉમેદવારોએ બેજિંગ પ્રત્યે કડક વલણ અપનાવવાની વાત કહી છે. ચીનના જે રીતે આગળ વધી રહ્યું છે તેનો મુકાબલો કરવા માટે તેમની આર્થિક નીતિઓ એક સમાન છે પરંતુ ચીનના ક્ષેત્રે પ્રભાવને ખાળવા માટે તેમનો દ્રષ્ટિકોણ ઘણો જ અલગ છે.બંને વચ્ચે સૌથી મોટું અંતર તાઇવાનને લઈને છે. બાયડને ઘણી વખત તાઇવાનની રક્ષા કરવાની વાત કરી છે. બીજી તરફ ટ્રમ્પે તાઇવાન પર અમેરિકન વ્યવસાયોને નબળા કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક અમેરિકન બિલનો પણ વિરોધ વ્યક્ત કર્યો છે જેનાથી તાઇવાનને મદદ મળે છે. આથી એક સવાલ એવો પણ ઉભો થયો છે કે શું જરૂર પડશે ત્યારે અમેરિકા તાઇવાનની મદદ કરશે કે કેમ?રિપોર્ટ અનુસાર વ્હાઇટ હાઉસની નજરમાં ભારત સારી સ્થિતિમાં છે. અમેરિકા ભારતને ચીનના ભૂરાજકીય વિપક્ષ તરીકે જુવે છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે જે 2030 સુધી ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ મહિનાની શરૂઆતમાં જ ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદી (Indian PM Narendra Modi) ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા છે. ભારત પર તાજેતરના વર્ષોમાં જ લોકતાંત્રિક રીતે પાછળ રહેવા અને આર્થિક ચિત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ લાગ્યો છે પરંતુ ભારતના રણનીતિક મહત્વને જોતા આ વાત અમેરિકા માટે મહત્વ રાખતી નથી. અમેરિકાની ચૂંટણીમાં કોઈપણ જીતે, તેનાથી વૈશ્વિક મંચ પર કામ કરી રહેલા ભારત પર કોઈ અસર નહીં પડે, કારણ કે બંને ઉમેદવારો સાથે ભારતના એકસરખા સંબંધોભારતના વડાપ્રધાનના બાઈડેન-ટ્રમ્પ બંને સાથે ગાઠ સંબંધ
જો બાયડન રાષ્ટ્રપતિ બનશે તો અમેરિકાનો ભારતની તરફેણનો દ્રષ્ટિકોણ યથાવત્ રહેશે અને બંને દેશો વચ્ચેનો વ્યાપારિક સંબંધોમાં વધુ ગાઢ બનશે. ગત વર્ષે જ નરેન્દ્ર મોદી સત્તાવાર રાજકીય યાત્રા માટે વોશિંગ્ટન ગયા હતા. અહીં પ્રધાનમંત્રી મોદીના સન્માનમાં વ્હાઇટ હાઉસમાં એક ભવ્ય સ્વાગત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો અને તેમણે કોંગ્રેસના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું હતું. બીજી તરફ જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી ચૂંટણી જીતે છે તો પણ ખાસ ફર્ક પડવાનો નથી. તેઓ ઘણી વખત નરેન્દ્ર મોદીનાં વખાણ કરી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ તરીકે 2020માં ભારતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાત (Gujarat) ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત થયું હતું. આમ અમેરિકાની ચૂંટણી બાઈડેન જીતે કે પછી ટ્રમ્પ, ભારત પર તેની કોઈ અસર થવાની નથી
ભારતની વિદેશ નીતિ 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' અને 'રાષ્ટ્રીય હિત' પર આધારિત છે.
+++++++
તંત્રીલેખ
ભારતની વિદેશ નીતિ 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' અને 'રાષ્ટ્રીય હિત' પર આધારિત છે.
++++
ભારત અને રશિયાના સંબંધો દાયકાઓથી મૈત્રી પૂર્ણ રહ્યા છે જ્યારે તે સોવિયેત યુનિયન હતું ત્યારે રશિયામાંથી ગુજરાતી ભાષામાં પણ માહિતીપૂર્ણ મેગેઝીન બહાર પડતાં હતા. આ સમયે સોવિયેત યુનિયન નામ એક ગુજરાતી મેગેઝીન ખૂબ જ લોકપ્રિય હતું. ગુજરાતી ઉપરાંત બીજી ભારતીય ભાષામાં પણ રશિયાના મેગેઝીનનો ભારતમાં આવતા આના કારણે ભારત સાથેના સંબંધો વધુ વિકસિત થયા હતા. ભારત સાથેના તેના સાંસ્કૃતિક સંબંધ સદીઓ જુના છે આઝાદી પછીના સમયમાં આ સંબંધ વધુ વિકસિત થયા છે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં યુદ્ધમય વાતાવરણ છે. અને રશિયા પોતે પણ યુક્રેન સાથે મહિનાઓથી યુદ્ધ કરી રહ્યું છે. આથી વિશ્વના ઘણા દેશો રશિયાના યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિરુદ્ધમાં છે આમાં અમેરિકા સહિતના નાટો દેશનો ખાસ સમાવેશ થાય છે
આજે ભારતનું રશિયા અને અમેરિકા બંને સાથે સારા મૈત્રી પૂર્ણ સંબંધો જ છે તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જઈ રહ્યા છે ત્યારે લોકો આશ્ચર્યચકિત છે.
ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ દ્વિપક્ષીય બેઠક નથી યોજાઈ. છેલ્લે 2021માં આવી બેઠક થઈ હતી
ભારત રશિયા સાથે પોતાના સંબંધોને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. માત્ર સૈન્ય સામગ્રી માટે રશિયા પર પોતાની નિર્ભરતાના કારણે નહીં, પરંતુ એટલા માટે કારણ કે નવી દિલ્હી એક બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે જ્યાં સરકાર દરેક પ્રકારના ભાગીદારો સાથે પોતાના હિતને આગળ વધારવાની સ્થિતિમાં છે."
આ યાત્રા રશિયાની ચીન સાથે નિકટતા સાથે પણ સંકળાયેલી છે. તેઓ કહે છે, "દિલ્હી માટે મૉસ્કો સાથે એક વિશિષ્ટ સંબંધો જાળવી રાખવા એ રશિયા અને બેઇજિંગ વચ્ચેની ઘનિષ્ઠતાને હળવી બનાવશે."
પીએમ મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનોને જોતાં એ સ્પષ્ટ છે કે ભારત તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે. ખાસ કરીને રશિયા સાથે, એક એવો દેશ જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે.”
રશિયાની આ મુલાકાતને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો તણાવ ઘટે તેવી પૂરી શક્યતા છે કારણ કે ચીન અને રશિયા વચ્ચે સારા સંબંધ છે અને એને કારણે ચીન પણ ભારત સાથે સંબંધ તનાવપૂર્ણ ન બને તે માટે પ્રયાસ કરશે એમ ભારતના રાજકીય નિરીક્ષકો માને છે.
મોદીએ છેલ્લે 2015માં મૉસ્કોની મુલાકાત લીધી હતી. પરંતુ 2019માં તેઓ આર્થિક ફોરમમાં ભાગ લેવા વ્લાદિવોસ્તોક ગયા હતા. પુતિન અને મોદી છેલ્લે 2022માં ઉઝબેકિસ્તાનના એસસીઓ શિખર સંમેલનમાં મળ્યા હતા. પુતિન 2021માં દિલ્હી પણ આવ્યા હતા.
મોદીની મૉસ્કો યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો રશિયાને વૈશ્વિકસ્તરે એકલું પાડી દેવા પ્રયાસ કરે છે. અને રશિયા પર આકરા પ્રતિબંધો ઝીંક્યા છે. તેમણે ઉચ્ચ સ્તરિય બેઠકો પણ ઘણી ઘટાડી દીધી છે.
યુરોપના દેશો રશિયા વિરુદ્ધ યુક્રેનને પોતાના રક્ષણ માટે મોટા પ્રમાણમાં સૈન્ય અને સામગ્રીની સહાયતા કરી રહ્યા છે, ત્યારે યુરોપના કોઈ પણ નેતા મૉસ્કોની મુલાકાત લે તો તેને યુરોપ સાથે વિશ્વાસઘાત તરીકે જોવામાં આવે છે.
સુરેશ ભટ્ટ
"પીએમ મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનોને જોતાં એ સ્પષ્ટ છે કે ભારત તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે. ખાસ કરીને રશિયા સાથે, એક એવો દેશ જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે.”
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરતમાં
ચોપાસ
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરતમાં
++++++++++
વિશ્વમાં સુપર પાવર તરીકે નંબર વન રહેલા અમેરિકાની યુએસ ડિફેન્સ હેડ ક્વાર્ટર્સ વિશ્વની સૌથી મોટી બિલ્ડીંગ નુ સ્થાન હતું પરંતુ હવે તેમાં સુરત નંબર વન છે
++++++++
અમેરિકાની ડિફેન્સ ઓફિસ પેન્ટાગોન 1943માં બનીને તૈયાર થઈ ત્યારથી માંડી અત્યાર સુધી વિશ્વમાં આટલી મોટી ઓફિસ બિલ્ડીંગ કોઈ દેશમાં બની નથી પરંતુ હવે ભારતમાં ડાયમંડ સિટી ગણાતા સુરતમાં એના કરતાં પણ મોટી સુપર બિલ્ડીંગ બની ચૂકી છે હવે
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ પેન્ટાગોન નહીં પણ સુરતની નવી ઇમારત ડાયમંડ બુર્સ છે
પેન્ટાગોન એ યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સનું મુખ્ય મથક છે, વર્જિનિયાના આર્લિંગ્ટન કાઉન્ટીમાં, વોશિંગ્ટન, ડી.સી.થી પોટોમેક નદીની પેલે પાર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. જેનું બાંધકામ ૧૫ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ પૂર્ણ થયું. ત્યારથી આજ સુધી વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકેનું ટેગ અને ગર્વ અમેરિકાના નાગરિકો લેતા રહ્યા છે. ચોક્કસ ગર્વને લાયક પણ રહ્યું જ છે, પેન્ટાગોન ડિફેન્સ ઓફિસ ૬૫ લાખ ચોરસ ફૂટનું બાંધકામ ધરાવે છે. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૪૧ના રોજ ખાતમુહૂર્ત થયું હતું અને ૧૫ જાન્યુઆરી, ૧૯૪૩ના રોજ ઈમારત સમર્પિત કરવામાં આવી હતી.
વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ નો પરિચય મેળવતા પહેલા અમેરિકા ના સુપર પાવર અને તેના સ્થાન વિશે જાણવું જરૂરી છે
સામાન્યપણે સંદર્ભમાં લેવાતું ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પચાસ રાજ્યો અને એક સંઘીય જિલ્લાનું બનેલું સંઘીય (ફેડેરલ) બંધારણીય પ્રજાસત્તાક છે.દેશ મુખ્યત્વે મધ્ય ઉત્તર અમેરિકામાં આવેલો છે, જ્યાં તેના 48 સમીપ-વર્તી રાજ્યો અને પાટનગર જિલ્લો વોશિંગ્ટન ડી.સી. પ્રશાંત મહસાગર અને એટલાન્ટિક મહાસાગરની વચ્ચે આવેલા છે, જેમની ઉત્તરમાં કેનેડા અને દક્ષિણમાં મેક્સિકોની સરહદો છે. અલાસ્કાનું રાજ્ય ખંડની ઉત્તર-પશ્ચિમે આવેલું છે અને તેની પૂર્વમાં કેનેડા અને પશ્ચિમમાં બેરિંગની સામુદ્રધુનીની પેલે પાર રશિયા આવેલું છે. હવાઈ રાજ્ય પ્રશાંત મહાસાગરના મધ્યમાં આવેલો દ્વીપસમૂહ છે.દેશના કેટલાંક પ્રદેશો કેરેબીયન સાગરમાં અને પ્રશાંત મહસાગરમાં પણ આવેલા છે.અંદાજે 30.5 કરોડની વસતી સાથે 37.9 કરોડ ચોરસ માઇલ (98.3 લાખ ચોરસ કિલોમીટર) વિસ્તાર ધરાવતું ધી યુનાઇટેટ સ્ટેટ્સ કુલ વિસ્તાર પ્રમાણે ત્રીજા કે ચોથા ક્રમનો સૌથી મોટો અને જમીન ક્ષેત્ર તથા વસતી પ્રમાણે ત્રીજો સૌથી મોટો દેશ છે.ધી યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના સૌથી વધારે વંશીય રીતે વૈવિધ્યપૂર્ણ અને બહુસાંસ્કૃતિક રાષ્ટ્રો પૈકીનો એક છે અને ઘણા દેશોમાંથી કાયમી વસવાટ માટે મોટા પાયે સ્થળાંતર કરનારા લોકોનો બનેલો છે. અમેરિકી અર્થતંત્ર 2008માં અંદાજે 1430 અબજ યુએસ $ (US$)(નોમિનલ જીડીપીના આધારે વિશ્વના કુલ જીડીપીના 23 ટકા અને સમતુલ્ય ખરીદ શક્તિએ લગભગ 23 ટકા)ના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) સાથે વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે.
આ દેશની સ્થાપના એટલાન્ટિકના કાંઠે આવેલા ગ્રેટ બ્રિટનના 13 સંસ્થાનોએ કરી હતી. 4 જુલાઈ, 1776માં તેમણે સ્વતંત્રતાનું જાહેરનામું કર્યું હતું, જેણે ગ્રેટ યુનાઇટેડ કિંગડમથી અલગ પડીને તેમની સ્વતંત્રતાની અને એક સહકારયુક્ત સંઘની રચનાની જાહેરાત કરી હતી.બળવાખોર રાજ્યોએ સ્વતંત્રતાના પ્રથમ સફળ સંસ્થાનવાદી યુદ્ધ, અમેરિકી ક્રાન્તિ યુદ્ધમાં ગ્રેટ બ્રિટનને હાર આપી હતી.ફિલાડેલ્ફીયા સંમેલને 17 સપ્ટેમ્બર, 1787એ હાલના યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને અપનાવ્યું હતું, ત્યાર પછીના વર્ષે તેને બહાલી મળતાં રાજ્યો એક મજબૂત કેન્દ્રીય સરકાર સાથે એક પ્રજાસત્તાકના ભાગ બન્યા હતા.1791માં બહાલી આપવામાં આવેલા દસ બંધારણીય સુધારા ધરાવતા હક પત્રકે ઘણા બધા બૂનિયાદી નાગરિક અધિકારો અને મુક્તિઓની ખાત્રી આપી હતી.
19મી સદીમાં યુનાઇટેડ સ્ટેટ્સે ફ્રાન્સ, સ્પેન, બ્રિટન, મેક્સિકો અને રશિયા પાસેથી જમીન ખરીદી અને ટેક્સાસ પ્રજાસત્તાક તથા હવાઈ પ્રજાસત્તાકનું વિલીનીકરણ કર્યું હતું. રાજ્યોના હકો અને ગુલામી પ્રથાના વિસ્તાર અંગે કૃષિપ્રધાન દક્ષિણ અને ઔદ્યોગિક ઉત્તરવચ્ચે થયેલા વિવાદોએ 1860ના અમેરિકી આંતરવિગ્રહને જન્મ આપ્યો હતો.ઉત્તરના વિજયે દેશના કાયમી ભાગલા થતા અટકાવ્યા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં કાનૂની ગુલામીનો અંત આવ્યો હતો.1870 સુધીમાં, દેશનું અર્થતંત્ર દુનિયામાં સૌથી મોટું બન્યું હતું. સ્પેન-અમેરિકી યુદ્ધ અને પહેલા વિશ્વ યુદ્ધે લશ્કરી સત્તા તરીકેના દેશના દરજ્જાને અનુમોદન આપ્યું હતું. 1945માં, બીજા વિશ્વયુદ્ધમાંથી બહાર આવેલો યુનાઇટેડ સ્ટેટ્સ અણુ શસ્ત્રો ધરાવતા પ્રથમ દેશ, સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા સમિતિના કાયમી સભ્ય અને નાટો (NATO)ના સ્થાપક સભ્ય તરીકે સ્થાપિત થયું હતું. શીત યુદ્ધના અંતે એક માત્ર મહાસત્તા તરીકે યુનાઇટેડ સ્ટેટ્સ રહ્યું હતું. દેશ વૈશ્વિક લશ્કરી ખર્ચના લગભગ 50 ટકા ધરાવે છે અને વિશ્વમાં અગ્રણી આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક બળ છે.
હવે અમેરિકાની જ ન્યૂઝ ચેનલે માહિતી આપી છે કે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતે વધુ એક સિદ્ધિ મેળવી છે. સુરત ખાતે આવેલી ડાયમંડ બુર્સની બિલ્ડિંગ હવે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન પ્રાપ્ત કરે છે. સુરત ડાયમંડ બુર્સની ફ્લોર સાઈઝ લગભગ ૭૧ લાખ ચોરસ ફૂટ કરતાં પણ વધારે છે. આમ, SDB પાસે પેન્ટાગોન કરતાં લગભગ ૬ લાખ ચોરસ ફૂટ વધુ ફ્લોર સ્પેસ છે. નવ ટાવરમાં પથરાયેલું આ બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ છે અને નવીનીકરણ તેમજ ગ્રીન એનર્જીમાં સર્વોચ્ચ એવું પ્લેટિનિયમ ગ્રેડેશન પણ ધરાવે છે. જોકે પેન્ટાગોન બિલ્ડિંગ ૨૯ એકર વિસ્તાર ધરાવે છે. બીજી તરફ, SDB ૩૫ એકરથી વધુ જમીન પર કબજો ધરાવે છે.
કુલ ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. દુનિયાભરમાં જેમ્સ કેપિટલના નામે પ્રસિદ્ધ આ બિલ્ડિંગ 'વન સ્ટોપ ડેસ્ટિનેશન'ની જેમ રહેશે. અહીં હીરાના પૉલિશિંગ, કટિંગથી માંડી હીરાના વેપાર સાથે સંકળાયેલા તમામ વેપારીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. નવ ઈમારતો એકબીજા સાથે
જોડાયેલી છે. આટલું મોટું બાંધકામ હોય ત્યારે મોટા પ્રમાણમાં પાવરનો વપરાશ થાય સાથે જ પ્રદૂષણ થતું હોય છે, પરંતુ સુરત ડાયમંડ બુર્સને ગ્રીન ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું છે. નેચરલ વેન્ટિલેશનનો ઉપયોગ કરીને ઠંડું રાખવામાં આવે છે જ્યારે કોમન એરિયામાં સોલર એનર્જીનો ઉપયોગ થાય છે. તેથી આ સાઈઝની સામાન્ય બિલ્ડિંગમાં જે એનર્જીનો વપરાશ થાય તેના કરતાં ૫૦ ટકા એનર્જીથી આ ઓફિસનું કામ ચલાવી શકાશે.
અહીં બેંકો પણ ખૂલશે. આનાથી વેપારીઓને નાણાકીય વ્યવહારો કરવામાં સરળતા રહેશે. હીરાની હરાજી માટે એક ઓક્શન હાઉસ પણ હશે. વિદેશી કંપનીઓ હીરાની હરાજી કરી શકે તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આમેય સુરત ડાયમંડ ક્ષેત્રે વિશ્વપટલ પર ચમકતું જ રહ્યું છે. આખા વિશ્વના ૯૦ ટકા જેટલા હીરા સુરત ખાતે જ પૉલિશ કરવામાં આવે છે.
તારીખ ૨૧ નવેમ્બરના રોજ અમેરિકાનો આ તાજ આધિકારિક રીતે છીનવાઈ જશે અને ભારત, ગુજરાત, સુરત આ તાજને ધારણ કરશે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી', વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અને હવે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ, એમ ત્રણ ત્રણ સિદ્ધિઓ આજે ગુજરાતનું ગૌરવ છે
સુરેશ ભટ્ટ
-
प्रासंगिक ======= मोबाइल फोन के अचानक बंद होने से दुनिया में बड़ी उथल-पुथल मच जाएगी। =========================== == मोबाइल फोन का युग अचा...
-
+++++++ તંત્રીલેખ ભારતની વિદેશ નીતિ 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' અને 'રાષ્ટ્રીય હિત' પર આધારિત છે. ++++ ભારત અને રશિયાના સંબંધો ...
-
Sunita Williams ની સ્પેશ વાપસીને લઇને આવ્યા સારા સમાચાર, ISRO ચીફે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી bombaysamachar.com/science-and-technology/...