रविवार, 7 जुलाई 2024

હાર્ટ એટેક

17 વર્ષનો ચીની બૅડ્મિન્ટન ખેલાડી રમતી વખતે હૃદયરોગના હુમલાનો થયો શિકાર

bombaysamachar.com/sports/a-17-year-old-chinese-badminton-player-suffered-a-heart-attack-while-playing

July 2, 2024

યોગ્યાકર્તા (ઇન્ડોનેશિયા): રમતગમતમાં હવે અગાઉ કરતાં સ્પર્ધાઓ વધુ રમાય છે, પરંતુ એની સાથે સ્પર્ધકો પણ ઘણા વધી ગયા છે એટલે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ પણ વધી ગઈ છે. આ સ્થિતિમાં પરિવાર, મિત્રો, સ્થાનિક વિસ્તાર તેમ જ સમગ્ર દેશ તરફથી બતાવાતી અપેક્ષાના પ્રચંડ પ્રેશરને કારણે ખેલાડી પર માનસિક દબાણ વધી જતું હોય છે. સફળ થવા માટે પ્લેયર પ્રૅક્ટિસ પૂરી કરવા ઊંઘ ઓછી કરે અને એમાં તેની શારીરિક સમસ્યાઓ વધતી જતી હોય છે. ખેલાડી મોટી ઉંમરનો હોય કે નાની વયનો, તેના દિલોદિમાગ પર જો પ્રેક્ષર આવી જાય અને તે સ્ટ્રેસ અનુભવે તો કંઈ પણ થઈ શકે.

આ પણ વાંચો: ક્રિકેટ રમતી વખતે હૃદયરોગના હુમલાથી ખેલાડીનું મૃત્યુ


રવિવારે ઇન્ડોનેશિયામાં આવું જ કંઈક બન્યું. ચીનનો 17 વર્ષનો બૅડ્મિન્ટન પ્લેયર હૃદયરોગના હુમલાને કારણે બૅડ્મિન્ટનની મૅચ રમતી વખતે જ ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.

ઇન્ડોનેશિયાના યોગ્યાકર્તા શહેરમાં એશિયન જુનિયર ચૅમ્પિયનશિપની ચાલી રહી છે જેમાં આ કરુણ ઘટના બની હતી.
ઝાન્ગ ઝિન્જે નામના આ ખેલાડી પર હૃદયરોગનો હુમલો થતાં જ તે રમતી વખતે અચાનક નીચે પડ્યો હતો. પડતાં જ તે થોડી ક્ષણ સુધી તરફડ્યો હતો અને બેહોશ થઈ ગયો હતો. કદાચ ત્યારે જ તેણે અંતિમ શ્ર્વાસ લીધો હતો. તેને તાબડતોબ તબીબી સારવાર અપાઈ હતી અને પછી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: આહારથી હૃદયરોગનો બચાવ

તેને બીજી હૉસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો જ્યાંના ફરજ પરના ડૉક્ટરે કહ્યું, ‘ઝાન્ગને અહીં લાવવામાં આવ્યો ત્યારે જ તેના હૃદયના ધબકારા બંધ થઈ ચૂક્યા હતા.’

ઝાન્ગને તબીબી સારવાર અપાયા પછી લગભગ ત્રણ કલાકે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

ચીનના બૅડ્મિન્ટન અસોસિયેશનના અધિકારીઓ ઇન્ડોનેશિયાના અધિકારીઓ સાથેના સંપર્કમાં જ છે. ઝાન્ગને સમયસર સારવાર મળી હતી કે કેમ એ વિશે તેઓ તેમની પાસેથી માહિતી મેળવી રહ્યા છે.


========================================

Heart Attack: જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો - Gujarati News | If you want to avoid heart attack keep these things in mind by doctor - if-you-want-to-avoid-heart-attack-keep-these-things-in-mind-by-doctor

tv9gujarati.com/health/if-you-want-to-avoid-heart-attack-keep-these-things-in-mind-by-doctor-au13811-562731.html

TV9 Gujarati

Heart Attack: જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો આ વાતોનું ધ્યાન રાખો

છેલ્લા કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે ખરાબ લાઈફસ્ટાઈલ, ખાવાની ખોટી આદતોના કારણે આવું થઈ રહ્યું છે.

Heart Attack: પ્રખ્યાત કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો. 58 વર્ષીય રાજુ શ્રીવાસ્તવ જીમમાં કસરત કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. તેમને AIIMSમાં વેન્ટિલેટર પર દાખલ કરવામાં આવ્યા છે અને તેમની હાલત નાજુક છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવામાં આવી રહ્યું છે કે લોકોને નાની ઉંમરમાં જ હૃદયની બીમારીઓ થઈ રહી છે. કોવિડ પછી આ સમસ્યા ઘણી વધી ગઈ છે. જો કે ડોકટરોનું કહેવું છે કે કેટલીક સાવચેતી રાખવાથી હાર્ટ એટેકના જોખમને ટાળી શકાય છે.

જીબી પંત હોસ્પિટલ, દિલ્હીના કાર્ડિયોલોજી વિભાગના ડો. મોહિત ગુપ્તાએ લોકોને કેટલાક નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે.

ડૉક્ટરની આ સલાહને અનુસરવાથી હૃદયની બીમારીઓથી બચી શકાશે

1. જો ડોક્ટરે D-Dimer ટેસ્ટ કરાવવાની સલાહ આપી હોય, તો તમે તેને કરાવી શકો છો, અવગણશો નહીં, પરંતુ દરેક વ્યક્તિ માટે કોરોનાના દર્દીઓ આવે તે જરૂરી નથી.

2.30 વર્ષની ઉંમરે, તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન અને દેખરેખ રાખવાની જરૂર છે.

3. વ્યાયામ કરો પરંતુ ધીમે ધીમે વધારો, અચાનક ક્ષમતા કરતા વધુ કસરત કરવાથી હૃદયને નુકસાન થઈ શકે છે.

4. બ્લડ ટેસ્ટ, શુગર ટેસ્ટ, ECG અને ફેમિલી હિસ્ટ્રીને ધ્યાનમાં રાખો.

5. ટ્રેડમિલ પર દોડતી વખતે વધુ પડતી કસરત ન કરો અને તમારી ક્ષમતાનું ધ્યાન રાખો

6. સુડોળ શરીર મેળવવા માટે ખોટા પૂરકનો ઉપયોગ કરશો નહીં

જીમમાં સાવધાની રાખો

રાજીવ ગાંધી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડૉ.અજીત જૈન કહે છે કે જિમ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. અચાનક ખૂબ ઝડપી વર્કઆઉટ ન કરો. આનાથી શરીરમાં ઓક્સિજનની જરૂરિયાત વધે છે, જે ફેફસાંને અસર કરે છે અને હૃદયના ધબકારા વધે છે. વધુ પડતો વ્યાયામ કરવાથી કાર્ડિયાક પેશીમાં ઓક્સિજનની અછત થઈ શકે છે, જે કાર્ડિયાક એરિથમિયા તરફ દોરી જાય છે, જે મૃત્યુ તરફ દોરી શકે છે. એટલા માટે એ મહત્વનું છે કે જીમમાં ક્યારેય અચાનક ફાસ્ટ વર્કઆઉટ ન કરો.

લક્ષણોથી વાકેફ રહેવું જરૂરી છે

ડો.જૈનના જણાવ્યા અનુસાર, લોકોએ હાર્ટ એટેકના લક્ષણો વિશે જાગૃત રહેવાની જરૂર છે. ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો છાતીના દુખાવાની અવગણના કરે છે. જે હાર્ટ એટેકનું મુખ્ય લક્ષણ છે. આવી સ્થિતિમાં બેદરકારી દાખવવામાં ન આવે તે જરૂરી છે. જો આમાંના કોઈપણ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો

આ છે હાર્ટ એટેકના લક્ષણો

છાતીનો દુખાવો

શ્વાસની તકલીફ

ઉબકા

થાકેલું હોવું

ડાબા હાથનો દુખાવો

પરસેવો

નર્વસનેસ

ખોરાકની કાળજી લો

ડૉ.જૈનના મતે હૃદયની બીમારીઓથી બચવા માટે આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ભોજનમાં તેલ, ઘી અને મેડાનો ઉપયોગ ઓછો કરો. તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિનનો સમાવેશ કરો. દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કસરત કરો. ધૂમ્રપાન કરશો નહીં અને દારૂનું સેવન કરશો નહીં. માનસિક તણાવ ન લો અને જીવનશૈલી યોગ્ય રાખો.

ઋષિ સુંનક

તંત્રીલેખ 
બ્રિટનમાં ઋષિ સુંનકનો સૂર્યાસ્ત
+++++++++
બ્રિટનની સામાન્ય ચૂંટણી પૂરી થઈ ભારતીય મૂળના ઋષિ સુનકે પોતાની હાર સ્વીકારી અને રાજીનામું આપ્યું આના કારણે બ્રિટનમાં રહેતા ભારતીય નાગરિકો પર તેનો સૌથી વધુ પ્રભાવ પડી રહ્યો છે આ ઉપરાંત આપણા દેશની વિદેશ નીતિ ઉપર પણ આનો પ્રભાવ પડશે. આજે રાજનીતિના નિષ્ણાંતો વિચારે છે કે બ્રિટનની સામાન્ય ચૂંટણીની ભારત પર શું અસર પડી શકશે?
બ્રિટનમાં લેબર પાર્ટીની જીતને કારણે ભારત પર અસર પડી શકે છે. હવે બ્રિટન સાથે મુક્ત વેપારના કરારોમાં વિલંબ થશે. આ અગાઉ જોઈએ તો લેબર પાર્ટીની વિઝા પોલિસી પર કડક વલણ રહ્યું છે. ઉપરાંત, યુરોપની સાથે બ્રિટન પર કાર્બન ટેક્સની ફેવરમાં છે. એટલે લેબર પાર્ટી કાર્બન ટેક્સમાં છૂટ આપવાના પક્ષમાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સખત મહેનત કરી છે. બંને નેતાઓ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સંમત થયા હતા, પરંતુ ઈલેક્શનને કારણે આ સોદો ફાઈનલ થયો નહોતો. ટૂંકમાં, નવી સરકાર બનતા હવે જૂના કરારો મુદ્દે પણ ફેરવિચારણા કરવામાં આવે તો નવાઈ નહીં, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું
 4 જુલાઈના રોજ બ્રિટનમાં મતદાન થયું હતું. હાલ મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ની કારમી હાર થઇ છે, વડાપ્રધાન ઋષિ સુનકે હાર સ્વીકારી લીધી છે, જોકે ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનમાં પોતાની બેઠકો જાળવી રાખી છે. બીજી તરફ લેબર પાર્ટીના કીર સ્ટારમેર બ્રિટનના નવા વડા પ્રધાન બને એ નક્કી છે. તેમણે જીત બદલ જમતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 318 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 67 બેઠકો જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં 650માંથી 454 બેઠકો માટે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં, લિબરલ ડેમોક્રેટ્સે 32 બેઠકો જીતી છે, સ્કોટિશ નેશનલ પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે. જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે.ઋષિ સુનકે કહ્યું કે લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારમરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો છે, હું હવે લંડન જઈશ. ત્યાં હું ચૂંટણી પરિણામો વિશે વિચાર-વિમર્શ કરીશ. વડાપ્રધાન પદ પર રહીને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું કામ કર્યું.
પાર્ટીને મળી રહેલું જંગી સમર્થન જોઈને કીર સ્ટારમેરે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જેમણે અમને વોટ નથી આપ્યો અમે તેમના માટે પણ કામ કરીશું. સ્ટારમેરે જનતાને કહ્યું કે હું તમારા માટે બોલીશ, તમારા માટે દરરોજ લડીશ, પરિવર્તન માટે તૈયાર છું. સ્ટારમે કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે.61 વર્ષીય કીર સ્ટારમેર ચાર વર્ષથી બ્રિટિશ સંસદમાં વિરોધ પક્ષના નેતા છે.સ્કોટલેન્ડમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેબર પાર્ટી ત્યાં 30થી વધુ સીટો જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિશ નેતા અનસ અનવરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમને સ્કોટલેન્ડમાં પણ બહુમતી મળશે. આ પરિવર્તનનો સમયગાળો છે. અમારી પ્રથમ પ્રાથમિકતા કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના શાસનને સમાપ્ત કરવાની છે, જેણે દેશને નુકસાન પહોંચાડ્યું છે. આવતીકાલથી મહત્વપૂર્ણ કામ શરૂ થશે. અમારું આગળનું પગલું 2026માં સ્કોટિશ સંસદીય ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
હાઉસ ઓફ કોમન્સમાં 650 સાંસદો સાથે બહુમતી સરકાર બનાવવા માટે, પાર્ટીને 326 બેઠકોની જરૂર છે. હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની જાહેરાત કરી હતી આમ બ્રિટનમાં સત્તા પરિવર્તનની ખૂબ મોટી અસર માત્ર ભારત પર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પણ પડશે તેમાં બે મત નથી 
સુરેશ ભટ્ટ


બ્રિટન ઇલેક્શન

UK General Election : Rishi Sunak, PM Modi

બ્રિટનની ચૂંટણીમાં Conservative party હાર્યા પછી પણ સુનકને PM મોદીએ આપ્યા અભિનંદન, જાણો કેમ?
 બ્રિટનના જનરલ ઈલેક્શન માં પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટી હારી ગયા પછી સુનક સહિત તમામ ભારતીય સમુદાયોને આંચકો લાગ્યો છે, જ્યારે સામે પક્ષે લેબર પાર્ટીની 650 બેઠકમાંથી 400 બેઠક પર જીત મેળવી છે. મૂળ ભારતીય બ્રિટનના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે ચૂંટણીમાં પોતાની હાર માની લીધી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને અભિનંદન આપ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યુકેના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા ઋષિ સુનકે પોતાની હાર માની લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુનકને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે યુકેએ તમારા નેતૃત્વ અને તમારા કાર્યકાળ દરમિયાન ભારત અને યુકેની વચ્ચે સંબંધોને ગાઢ બનાવવા મહત્ત્વનું યોગદાન આપ્યું એના માટે આભાર. એની સાથે પીએમ મોદીએ કહ્યું હતું કે ઋષિ સુનક અને તેમના પરિવારના ભવિષ્ય માટે શુભકામનાઓ.

બ્રિટનમાં તાજેતરમાં સંપન્ન થયેલા ચૂંટણીના પરિણામોમાં બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનકે હાર માની લીધી અને લેબર પાર્ટીના નેતા કિઅર સ્ટાર્મરને જીત માટે અભિનંદન આપ્યા હતા. પીએમ ઋષિ સુનકે કહ્યું હતું કે બ્રિટનની જનતાએ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. તેમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. મેં હારની જવાબદારી સ્વીકારી હતી. જોકે, ઋષિ સુનકે યોર્કશાયરે રિચમંડ સીટ પરથી પોતાની સીટ પર કબજો યથાવત રાખ્યો હતો.
સત્તામાં આવવા લેબર પાર્ટીએ બહુમતનો આંકડો પાર કર્યો છે.
2019ની ચૂંટણીમાં 650 સીટવાળી બ્રિટનની સંસદમાં કન્ઝર્વેટિવ પાર્ટીને 364 સીટ પર વિજય મળ્યો હતો અને બોરિસ જોન્સન વડા પ્રધાન બન્યા હતા. જોકે, અગાઉની તુલનામાં 47 સીટનો ફાયદો થયો છે. બીજી બાજુ બ્રિટનમાં લેબર પાર્ટી 14 વર્ષ પછી સત્તામાં વાપસી કરી છે. સત્તામાં આવવા માટે 650 બેઠકમાંથી 326 મેળવવી જરુરી છે, જેમાં લેબર પાર્ટીએ એ આંકડો પાર કર્યો છે. જોકે, બ્રિટનના વડા પ્રધાન રહી ચૂકેલા ઋષિ સુનકે ભલે પોતાની નોર્થ ઇંગ્લેન્ડની સીટ પર વિજય મેળવ્યો હોય, પરંતુ તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે લેબર પાર્ટીએ 400થી વધુ બેઠક મેળવીને સત્તામાં આવી રહી છે. બીજી બાજુ ઋષિ સુનકની પાર્ટી કન્ઝર્વેટિવ પાર્ટી 111 બેઠકની આસપાસ મળી શકે છે.
+++++
ભારત પર શું અસર પડી શકશે?
બ્રિટનમાં લેબર પાર્ટીની જીતને કારણે ભારત પર અસર પડી શકે છે. હવે બ્રિટન સાથે મુક્ત વેપારના કરારોમાં વિલંબ થશે. આ અગાઉ જોઈએ તો લેબર પાર્ટીની વિઝા પોલિસી પર કડક વલણ રહ્યું છે. ઉપરાંત, યુરોપની સાથે બ્રિટન પર કાર્બન ટેક્સની ફેવરમાં છે. એટલે લેબર પાર્ટી કાર્બન ટેક્સમાં છૂટ આપવાના પક્ષમાં નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સખત મહેનત કરી છે. બંને નેતાઓ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે સંમત થયા હતા, પરંતુ ઈલેક્શનને કારણે આ સોદો ફાઈનલ થયો નહોતો. ટૂંકમાં, નવી સરકાર બનતા હવે જૂના કરારો મુદ્દે પણ ફેરવિચારણા કરવામાં આવે તો નવાઈ નહીં, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું
 4 જુલાઈના રોજ બ્રિટનમાં મતદાન થયું હતું. હાલ મત ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટી(Conservative party)ની કારમી હાર થઇ રહી છે, વડાપ્રધાન ઋષિ સુનકે હાર સ્વીકારી લીધી છે, જોકે ઋષિ સુનકે રિચમન્ડ અને નોર્થલેર્ટનમાં પોતાની બેઠકો જાળવી રાખી છે. બીજી તરફ લેબર પાર્ટીના કીર સ્ટારમેર બ્રિટનના નવા વડા પ્રધાન બને એ નક્કી છે. તેમણે જીત બદલ જમતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પ્રારંભિક પરિણામોમાં, લેબર પાર્ટીએ 318 બેઠકો જીતી છે જ્યારે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી માત્ર 67 બેઠકો જીતવામાં સફળ રહી છે. અત્યાર સુધીમાં 650માંથી 454 બેઠકો માટે પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં, લિબરલ ડેમોક્રેટ્સે 32 બેઠકો જીતી છે, સ્કોટિશ નેશનલ પાર્ટીએ ચાર બેઠકો જીતી છે અને રિફોર્મ યુકેએ ચાર બેઠકો જીતી છે. જ્યારે ગ્રીન પાર્ટી અત્યાર સુધી માત્ર એક જ સીટ જીતવામાં સફળ રહી છે.ઋષિ સુનકે કહ્યું કે લેબર પાર્ટીએ આ સામાન્ય ચૂંટણી જીતી છે અને મેં કીર સ્ટારમરને તેમની જીત પર અભિનંદન આપવા ફોન કર્યો છે, હું હવે લંડન જઈશ. ત્યાં હું ચૂંટણી પરિણામો વિશે વિચાર-વિમર્શ કરીશ. વડાપ્રધાન પદ પર રહીને મેં મારા કાર્યકાળ દરમિયાન ઘણું કામ કર્યું.
પાર્ટીને મળી રહેલું જંગી સમર્થન જોઈને કીર સ્ટારમેરે જનતાનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે જેમણે અમને વોટ નથી આપ્યો અમે તેમના માટે પણ કામ કરીશું. સ્ટારમેરે જનતાને કહ્યું કે હું તમારા માટે બોલીશ, તમારા માટે દરરોજ લડીશ, પરિવર્તન માટે તૈયાર છું. સ્ટારમે કહ્યું કે પરિવર્તન હવે તમારા મતથી શરૂ થઈ રહ્યું છે.61 વર્ષીય કીર સ્ટારમેર ચાર વર્ષથી બ્રિટિશ સંસદમાં વિરોધ પક્ષના નેતા છે.સ્કોટલેન્ડમાં પણ લેબર પાર્ટીની જંગી જીતની શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લેબર પાર્ટી ત્યાં 30થી વધુ સીટો જીતી શકે છે. લેબર પાર્ટીના સ્કોટિશ નેતા અનસ અનવરે કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમને સ્કોટલેન્ડમાં પણ બહુમતી મળશે. આ પરિવર્તનનો સમયગાળો છે. અમારી પ્રથમ પ્રાથમિકતા કન્ઝર્વેટિવ સરકારના 14 વર્ષના શાસનને સમાપ્ત કરવાની છે, જેણે દેશને નુકસાન પહોંચાડ્યું છે. આવતીકાલથી મહત્વપૂર્ણ કામ શરૂ થશે. અમારું આગળનું પગલું 2026માં સ્કોટિશ સંસદીય ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
હાઉસ ઓફ કોમન્સમાં 650 સાંસદો સાથે બહુમતી સરકાર બનાવવા માટે, પાર્ટીને 326 બેઠકોની જરૂર છે. હારના સંકેતો મળ્યા બાદ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના રાજીનામાની જાહેરાત કરી છે.




તંત્રીલેખ

તંત્રીલેખ 

સ્માર્ટ વિલેજ આજના વિકાસની જરૂરિયાત

+++++++++++


ગુજરાતમાં અમદાવાદ સુરત વડોદરા શહેર ઝડપથી વિકાસ પામી રહ્યા છે. આ શહેરો સ્માર્ટ સિટી કહી શકાય ખરા? શહેરો મોટા હોય એનો અર્થ એવો નથી કે તે સ્માર્ટ સિટી હોઈ શકે.

સ્માર્ટ સિટી ની વ્યાખ્યા અલગ છે સામાન્ય સમજ એવી છે કે કોઈપણ શહેર નાનું હોય કે મોટું હોય તેમાં મૂળભૂત પાયાની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં હોય અને મોટાભાગના લોકો ગ્રીન પાવર નો ઉપયોગ કરતા હોય. આવા શહેરોમાં પ્રદુષણનું પ્રમાણ ઓછું હોય. મોટાભાગના લોકો સોલાર પાવરનો ઉપયોગ કરતા હોય મતલબ કે ગ્રીન પાવર પર આધારિત હોય અને તેમના નિવાસ્થાનો પણ ઇકો ફ્રેન્ડલી હોય તો જ તે શહેરની સ્માર્ટ સીટી કહી શકાય જો કે આમાં ઘણા મહત્વના મુદ્દા પણ છે સમગ્ર શહેરમાં ડિજિટલ નેટવર્ક ખૂબ જ હોવું જરૂરી છે આવી રીતે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પણ પ્રથમ કક્ષાની હોય તો જ તે શહેર સ્માર્ટ સિટી બની શકે

મોટા શહેરોના વિકાસની વાત આવે ત્યારે સૌથી પહેલા સ્માર્ટ સિટી નામનો શબ્દ સૌની યાદ આવે 

ઘણાને લાગે કે સ્માર્ટ એ વ્યક્તિ હોય સીટી કઈ ઓછું સ્માર્ટ હોય? સ્માર્ટ ફોન શબ્દ છે એવી રીતે સીટી માટે પણ સ્માર્ટ શબ્દ વપરાય છે ફોન જેવી રીતે ટેકનોલોજી નો પર્યાય ગણાય છે. એવી જ રીતે મોટા શહેરને આધુનિક રૂપ આપવાની જે વાત છે તે માટે શહેર માટે  સ્માર્ટ સિટી શબ્દ વપરાય છે.

પણ ખરા અર્થમાં સ્માર્ટ સિટીનો અર્થ થાય શહેરી વસાહતને સરકાર દ્વારા મળતી સુવિધાને ટેકનોલોજી સાથે સંલગ્ન કરી વધુ સારી સુવિધા પૂરી પાડવી. આપણે જાણીએ છીએ કે ભારત એક લોકતાંત્રિક દેશ છે, જેમાં સરકારની પ્રજા પ્રત્યે કેટલીક ફરજો હોય છે. સરકાર પ્રજા પાસેથી કર સ્વરૂપે એકઠા કરેલા નાણાંમાંથી પ્રાથમિક સુવિધાઓ જેવી કે સ્વાસ્થ્ય, શિક્ષણ, રોડ-રસ્તાઓ, પાણી, સ્વચ્છતા વગેરે પૂરું પાડે, તે સરકારની એક સામાન્ય ફરજ છે. કારણ કે લોકતંત્રમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોક કલ્યાણ માટે છે. ભારત જેવા વધુ વસતી ગીચતા ધરાવતા દેશમાં ઉપર્યુક્ત સુવિધાઓ યથાયોગ્ય લોકો સુધી પહોંચાડવી હોય તો સ્માર્ટ સિટી આવશ્યક છે. કારણ કે ટેકનોલોજી વર્તમાન યુગનું એક એવું સાધન છે, જેનાથી ખૂબ ઓછા સમયગાળામાં લોકો સુધી પહોંચી શકાય છે અને તેમના સુધી પ્રાથમિક સુવિધાઓ સરળતાથી પહોંચાડી શકાય છે.


ભારતની કુલ વસતીની અંદાજિત 31% વસતી શહેરોમાં નિવાસ કરે છે. જેનો ભારતની અર્થવ્યવસ્થામાં ફાળો લગભગ 61%થી 62% જેટલો છે. તેથી જો ભારતે વિકાસશીલ દેશોની શ્રેણીમાંથી વિકસિત દેશોની શ્રેણી તરફ પ્રયાણ કરવું હોય તો 'સ્માર્ટ સિટી' આવશ્યક શરત છે.

• ભલે ભારતની વસતીના 31% લોકો શહેરોમાં વસવાટ કરતા હોય પરંતુ ભારતની વસતીના 69% લોકો 'આધુનિક ભારત'માં પણ હજુ ગામડાંમાં વસવાટ કરે છે. તેથી આપણે ખરા અર્થમાં લોકોને સ્માર્ટ સુવિધાઓ પૂરી પાડવી હોય તો 'સ્માર્ટ ગામડાં' પણ જરૂરી છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જેથી ગામડાંમાં નિવાસ કરતી વસતી પૈકીનો એક બહોળો વર્ગ કૃષિ સાથે સંકળાયેલો છે, જે કૃષિ પેદાશો શહેરો માટે એક આવશ્યકતા છે. આમ, શહેરી અર્થવ્યવસ્થાનો કેટલોક હિસ્સો ગ્રામ્ય/ગ્રામીણ ભારત તરફ દોહન પામે છે. બીજી એક મહત્ત્વની બાબત ગ્રામીણ લોકો છેલ્લાં ત્રણ દાયકામાં શહેરો તરફ સ્થળાંતર પામ્યા છે. જો સ્માર્ટ ગામડાં બનાવવામાં આવે તો ભારતની વસતીના કેટલાક લોકો ગામડા તરફ આકર્ષાયેલા રહેશે, ત્યાં રહીને જ વધુ આર્થિક પ્રવૃત્તિ કરી શકશે અને વિકાસ સાધશે. ઉત્તર પ્રદેશ સૌથી વધુ ગ્રામીણ વસતી અને ગામડાં ધરાવતું રાજ્ય છે. જ્યારે કેરળની વસતીની 92% ગ્રામીણ વસતી મોટા ગામડાંઓમાં નિવાસ કરે છે. આમ, કેરળ એક ગ્રામીણ વસતી તરફ અગ્રેસર હોવાછતાં પણ ભારતનું શિક્ષિત રાજ્ય છે, જે સ્માર્ટ સિટી સાથે સ્માર્ટ ગામડાંની જરૂરિયાતનું જવલંત ઉદાહરણ છે.

સ્માર્ટ ગામડાંની જરૂરિયાતનું જવલંત ઉદાહરણ છે.

તાજેતરમાં થયેલા એક સામાજિક આર્થિક સર્વે અનુસાર, ભારતની ગ્રામીણ વસતીની ત્રીજા ભાગની વસતી જમીનવિહોણી છે, જેમની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ મજૂરી છે. અંદાજે 13% ગ્રામ્ય વસતી એક રૂમ ધરાવતા કાચા મકાનમાં રહે છે. તેથી જો માત્ર સ્માર્ટ સિટી અને આર્થિક હિતો તરફ દૃષ્ટિ રાખીશું તો ગામડાંઓ વધુ પાયમાલ થશે, જેની અસર સમગ્ર ભારતની અર્થવ્યવસ્થા પર થશે. દાદાભાઈ નવરોજીના 'ધનના બહિર્ગમન'ના સિદ્ધાંત અનુસાર જેમ અંગ્રેજોએ ગ્રામીણ વ્યવસ્થા ધરાવતા ભારતના ધનનું દોહન કર્યું, જેથી બ્રિટન વધુ સમૃદ્ધ થયું, તેમ 'આધુનિક ભારત'ના ગ્રામીણ ધનનું શહેર તરફ દોહન પણ 'આધુનિક બહિર્ગમન'નો સિદ્ધાંત સાબિત થશે. આમ, એક 'અખંડ ભારતીય સંસ્કૃતિ'નું 'શહેરી સંસ્કૃતિ' અને 'ગ્રામીણ સંસ્કૃતિમાં' ખંડન થશે. જે ભારતીય બંધારણમાં સમાવિષ્ઠ ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા તથા બંધુતા જેવા સિદ્ધાંતો માટે એક ખતરો ઊભો કરી શકે છે.

સુરેશ ભટ્ટ

ભગવાન જગન્નાથની રથયાત્રા પ્રકરણ બીજું

ભગવાન જગન્નાથની રથયાત્રા પાર્ટ ટુ 
+++++++++++++
વિશ્વમાં જો કોઈ સર્વોપરી હોય તો તે છે ભગવાન જીવનનાથ જે વરસમાં એક વખત નગરયાત્રા કરે છે અને લોકોને દર્શના આપવા માટે સામે ચાલીને જાય છે જગન્નાથપુરી અમદાવાદ અને ભાવનગરમાં આજે રથયાત્રાનો વહેલી સવારથી પ્રારંભ થઈ ગયું ભાવનગરમાં નિવૃત સૈનિક સંગઠન દ્વારા ભગવાન જગન્નાથને ભવ્ય સલામી આપવામાં આવી હતી જે આ રથયાત્રાની સૌથી મોટી આકર્ષક બાબતે હતી.

સુપ્રીમ શક્તિ, ત્રિભુવનનાથ, સર્વજ્ઞા, પરમેશ્વર, સૃષ્ટિના રચયિતા, પાલનહાર, સંહારક, પરબ્રહ્મ, પુરુષોત્તમ, દયાનિધિ, બળશાળી, મનોહક, વિશ્વનો આધાર.

પળમાં રાક્ષસોનો વિનાશ કરે એટલા શક્તિશાળી ને હૃદયની પ્રેમભક્તિથી રીઝીને ક્ષણમાં ભક્તોનાં દુખડા હરે એવા દયાળું. ભગવાન એટલે ભગવાન. તુલસીએ લખ્યું છે એમ રઘુવીરની છબી રઘુવીર જેવી. એમની બીજા કોઈ સાથે સરખામણી ન થાય. કૃષ્ણની સરખામણી કૃષ્ણ સાથે જ થાય. રામની સરખામણી રામ સાથે જ થાય. જગન્નાથની સરખામણી જગન્નાથ સાથે જ થાય. નરસિંહ મહેતાએ કહ્યું છે એમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનંત ભાસે. નામ જુદા હોય, સ્વરૂપ જુદું હોય, પણ પરમતત્ત્વ તો એક જ છે - પરમાત્મા.

આ પરમાત્માના અનેક સ્વરૂપમાં એક અતિ માનવીય સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથ. જગતના નાથનું આ સ્વરૂપ માણસને માણસ જેવું લાગે છે. આ એક એવા ભગવાન છે જે પરમ બળશાળી હોવા છતાં ભક્તોની જેમ જ બીમાર પડે છે, ભક્તોની જેમ જ એમને તાવ આવે છે, ભક્તોની જેમ જ એમને કમરનો દુખાવો થાય છે. ભક્તોની જેમ જ જરા અવસ્થા આવે છે ને સમય પૂરો થતાં તેમના હૃદયનું બીજી મૂર્તિમાં આરોપણ થાય છે. જૂની મૂર્તિ લીલા સંકેલીને સમાધિસ્થ થાય છે. ભગવાન જગન્નાથ ભગવાન તો છે જ, પરંતુ માણસને પોતાના જેવા લાગે એવા ભગવાન છે.

રથમાં બેસીને ભગવાન આજે આપણાં આંગણે પધાર્યા છે ત્યારે ચાલો તેમના ચરણોમાં પ્રેમપૂર્વક સમર્પિત થઈએ ને સાથે ભગવાન જગન્નાથ અને જગન્નાથપુરીના મંદિર વિશે આટલું જાણી લઈએ...

જ્યારે બે અષાઢ માસ આવે ત્યારે જગન્નાથની મૂર્તિ બદલાય છે

પરંપરાગત સનાતની પદ્ધતિથી તદ્ન વિપરીત ભગવાન જગન્નાથની મૂર્તિ સમયાંતરે બદલવામાં આવે છે. સનાતન ધર્મમાં મૂર્તિ, માળા અને મંત્ર બદલવામાં આવતા નથી. જે મૂર્તિ સામે માથું નમાવ્યું હોય એ જ મૂર્તિની જીવનભર સાધના કરવાની હોય છે, જે માળા ગુરુએ આપી હોય અથવા જે માળાથી જાપ થતાં હોય એ માળા ન બદલવી જોઈએ. જે ગુરુમંત્ર મળ્યો હોય એ સાધકે બદલવાનો હોતો નથી. એ હિસાબે મૂર્તિ બદલાય નહીં, પરંતુ ભગવાન જગન્નાથની લીલા નિરાળી છે. અતિ માનવીય એવા જગન્નાથની મૂર્તિ સામાન્ય રીતે ૧૨ કે ૧૯ વર્ષે બદલાય છે.

એની વિધિ પણ રસપ્રદ હોય છે. બે અષાઢ આવતા હોય એ વર્ષે મૂર્તિ બદલવાની હોય એટલે સૌથી પહેલાં તો મૂર્તિ બનાવવાની પ્રક્રિયા ચાલે. આમ તો ભગવાનની મૂર્તિ લાકડામાંથી નથી બનતી, પણ જગન્નાથની મૂર્તિ લાકડામાંથી બને છે. લીમડાને ભગવાનની મૂર્તિ બનવાનું સૌભાગ્ય મળ્યું છે. મૂર્તિ ઘડનારા કારીગરો પેઢી દર પેઢી એ કામ કરે છે. મંદિર પરિસરમાં સદીઓથી જે ખંડમાં મૂર્તિ બનાવવાનું કામ થાય છે ત્યાં મૂર્તિકારોને બોલાવીને મૂર્તિ બનાવવાનું કાર્ય શરૂ થાય છે. તે વખતે ટાંકણાંનો અવાજ બહાર ન સંભળાય તેની વિશેષ કાળજી રાખવામાં આવે છે. ખંડની બહાર કીર્તન ચાલે છે. કીર્તન કરનારાઓને પણ જાણ હોતી નથી કે અંદરના ઓરડામાં મૂર્તિનું નિર્માણ થઈ રહ્યું છે.

મૂર્તિ બદલવાનો સમય નજીક આવે તે પહેલાં મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથ બીમાર પડે છે. તેમને તાવ ચડે છે. તાવ અસહ્ય બને છેે ને દિવસે દિવસે વધતો જાય છે. જે દિવસે મૂર્તિ બદલવાની હોય એની આગલી રાતે ભગવાનની તબિયત અતિશય ખરાબ થાય છે. પછીના દિવસે મંદિરમાં સ્થાપિત મૂળ મૂર્તિમાંથી હૃદય બહાર લાવીને બીજી મૂર્તિમાં પ્રાણનું આરોપણ થાય છે. જગન્નાથ, બલરામ અને સુભદ્રા ત્રણેયની મૂર્તિમાં આ પ્રક્રિયા થયા બાદ નવી મૂર્તિની મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે. મૂર્તિની સાથે સુદર્શન ચક્ર પણ બદલાય છે. 

મંદિર પરિસરની સુરક્ષા ગરૂડના શિરે

ગરૂડ ભગવાન વિષ્ણુનું વાહન છે. શ્રીવિષ્ણુના અવતાર જગન્નાથ પ્રભુના મંદિરની સુરક્ષા ગરૂડની જવાબદારીમાં આવે છે. પક્ષીઓના રાજા ગરૂડની આમાન્યા જાળવવા માટે એકેય પક્ષી ભગવાન જગન્નાથના મંદિર પરથી ઉડતું નથી. આ માત્ર દંતકથા નથી. આજેય દર્શનાર્થીઓ એની ચકાસણી કરે છે, પરંતુ ક્યારેય કોઈએ એકેય પક્ષીને મંદિર પરિસરની બરાબર ઉપરથી ઉડતું ભાળ્યું નથી. પક્ષી મંદિર પરથી ઉડે તો શું થાય એ કોઈને ખબર નથી, પણ પક્ષીઓ ઉડતા નથી. અને હા, મંદિર પરિસર નોફ્લાય ઝોનમાં હોવાથી વિમાનો ય ઉડતા નથી.

સુદર્શન ચક્ર અને ધ્વજા

સુદર્શન ચક્રનું જગન્નાથ મંદિરમાં ખાસ મહત્ત્વ છે. સુદર્શન ચક્ર માત્ર ભગવાન ધારણ કરે એવું હથિયાર નથી. અહીં એની પૂજા સૂર્યના પ્રતીક તરીકે થાય છે. જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે ચક્રની પૂજા થાય એટલે તેને ચતુર્ધામમૂર્તિની પૂજા કરી કહેવાય. ઘણાં વિદ્વાનો વિશાળ અર્થમાં સુભદ્રા, ભગવાન જગન્નાથ અને બલરામને અનુક્રમે બ્રહ્મા-વિષ્ણુ-મહેશના પ્રતીક ગણે છે ને સુદર્શન ચક્રને સૂર્યનું પ્રતીક કહે છે.

સુદર્શન ચક્ર મંદિરના શિખર પર ધ્વજાની સાથે પણ જોવા મળે છે. શહેરના કોઈ પણ ભાગમાંથી નજર કરો, સુદર્શન ચક્ર કાયમ આપણી સન્મુખ હોય એવું જ લાગે છે. ધ્વજાની વિશેષતા એ છે કે જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિરૂદ્ધ દિશામાં લહેરાય છે. જગન્નાથના સેંકડો ભક્તો માટે આ શ્રદ્ધાનો વિષય છે. એમાં સાબિતીની જરૂર રહેતી નથી. શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક ધ્વજ અને ચક્રને જોઈને નત મસ્તક થઈ જાય છે.

ભગવાનની સમાધિમાં જન્મ-મૃત્યુનો શાશ્વત સંદેશો

બે અષાઢનો સંયોગ જે વર્ષે રચાય એ વર્ષે ભગવાન જન્મ-મૃત્યુની લીલા કરે છે. નવી મૂર્તિના સ્થાપન પછી જૂની મૂર્તિની પણ ચોક્કસ વિધિ થાય છે. ભગવાન જગન્નાથની જૂની મૂર્તિને મંદિર પરિસરમાં ડાબી તરફ સમાધિ આપવામાં આવે છે. જગન્નાથ મંદિર પરિસરના બધા જ મંદિરોના દર્શન થયા પછી છેલ્લે આ સમાધિના દર્શન પણ થાય છે. ત્યાં પૂર્વજોનાં આત્માની શાંતિ માટે સંકલ્પ કરવામાં આવે છે અને એવો મેસેજ આપવામાં આવે છે કે ભગવાન સ્વયં મૃત્યુની લીલા રચે છે. જન્મ છે ત્યાં મૃત્યુ નિશ્વિત છે એ શાશ્વત સંદેશો ભગવાનનાં સમાધિ સ્થળેથી મળે છે. ૧૨ કે ૧૯ વર્ષે જ્યારે બે અષાઢ માસ આવે ત્યારે ફરીથી એ જ સ્થળે ભગવાનની મૂર્તિને સમાધિ આપવામાં આવે છે. આ ક્રમ સદીઓથી ચાલતો આવે છે. ભગવાનના સમાધિ સ્થળની વિશેષતા એ છે કે આખાય મંદિર પરિસરનો એ સૌથી શાંત વિસ્તાર છે - નિરવ શાંતિ, નિશબ્દ એકાંત. 

જગન્નાથપુરી મંદિર પર જગન્નાથનો અંકુશ નથી

જગન્નાથપુરી મંદિર ભારતની સ્ત્રી-પુરુષ સમાનતાની મહાન પરંપરાને દર્શાવે છે. જગતના નાથના આ મંદિરનો અંકુશ વિમલા દેવી પાસે છે. વિમલા દેવીને કેટલાક દર્શનોમાં અન્નપૂર્ણા પણ કહે છે. મંદિર પરિસરમાં લક્ષ્મીનું મંદિર છે, પરંતુ જગન્નાથ-બલરામ-સુભદ્રા અને લક્ષ્મી/રૂકમણીજી સહિત આખાય પરિવારના ગાર્ડિયન/સંરક્ષક વિમલા દેવી છે. વિમલા દેવી ભગવાન જગન્નાથના ભાભી છે. તેમને ઓડિશાની વૈષ્ણવ પરંપરા પ્રમાણે બલરામનાં પત્ની કહેવામાં આવે છે. વિષ્ણુપુરાણમાં બલરામનાં પત્નીનું નામ રેવતી દેવી છે. એ રેવતી દેવી અહીં વિમલા દેવીના નામથી પૂજાય છે. પ્રસાદનો થાળ તેમને ધરાવાય છે એ પછી જગન્નાથના મંદિર સુધી પહોંચે છે. ભગવાનના જેટલા ભક્તો આવે છે એ પ્રસાદ મેળવ્યા વગર ન જાય એ પરિવારના સંરક્ષણ તરીકે વિમલા દેવીની જવાબદારી છે અને અન્નપૂર્ણા સ્વરૂપ વિમલા દેવી એની પૂરી કાળજી રાખે છે એટલે ગમે તેટલા ભક્તો જગન્નાથને મળવા આવે, પ્રસાદ લીધા વગર જતા નથી.

મહાપ્રસાદ ક્યારેય વધતો નથી, ક્યારેય ઘટતો નથી

જગન્નાથ મંદિરમાં વિમલા દેવી (અન્નપૂર્ણા)નું રસોઈઘર છે. એમાં ૨૫૦ જેટલા ચૂલા છે. ત્યાં માટીના મોટા ઘડાઓમાં મહાપ્રસાદ તૈયાર થાય છે. ઉડિયામાં એ ઘડા અટિકાના નામથી ઓળખાય છે. રસોઈઘરમાં એકેય ઈલેક્ટ્રિક ઉપકરણનો ઉપયોગ થતો નથી. બધું જ પરંપરાગત પદ્ધતિથી થાય છે. સેવકોની જુદી જુદી ટૂકડીઓ પોતાને સોંપાયેલી સેવા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક વર્ષોવર્ષ કરે છે. સેવકોની એક ટૂકડી ગંગા અને યમુના કુંડમાંથી મોટા મોટા ઘડામાં પાણી ભરીને રસોઈઘરમાં પહોંચાડે છે. બંને કુંડ રસોઈઘરની બહુ નજીક છે. મહાપ્રસાદ નક્કી કરેલા સમયે શરૂ થાય છે અને થાળ ધરવાના સમયે પાકી જાય છે. મોટાભાગના રસોઈયા માને છે કે તેઓ માત્ર નિમિત્ત છે. મહાપ્રસાદ તો વિમલા દેવી બનાવે છે.

મહાપ્રસાદ બનાવવા માટે ૮૦૦ સેવકો દરરોજ ૧૦-૧૨ કલાક સેવા આપે છે. ભગવાનને ૫૬ ભોગનો થાળ પીરસાય છે, એમાં લસણ, ડુંગળી, બટેટા, ગોબી અને ટામેટાનો ક્યારેય ઉપયોગ થતો નથી. મહાપ્રસાદમાં દાળ-ભાત, અલગ અલગ બે-ચાર શાક, મીઠી પૂરી, બુંદી મુખ્ય છે. મહાપ્રસાદ ઘડામાં અનેક સેવકો 'બાજુ હટીએ.. રાસ્તા દે...' એવું બોલતા શ્રદ્ધાળુઓની વચ્ચેથી પસાર થઈને પ્રસાદ વિતરણના સ્થળ સુધી પહોંચાડતા રહે છે. એમનો ઉત્સાહ, એમની સ્ફૂર્તિ જોઈને લાગે કે એમનામાં ચોક્કસ જગન્નાથ જ જોમ ભરે છે!

મહાપ્રસાદની ખાસિયત એ છે કે કેટલા શ્રદ્ધાળુઓ આવશે એનો બિલકુલ અંદાજ ન હોય છતાં દિવસ પૂરો થાય ત્યારે પ્રસાદ ક્યારેય ઘટયો હોય એવું બનતું નથી. વધી પડયો હોય એવુંય નથી બનતું. તેને શ્રદ્ધાળુઓ અને મંદિર મેનેજમેન્ટ જગન્નાથનો ચમત્કાર માને છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા

ચોપાસ

જગતના નાથની નગરયાત્રા

++++


ભક્તો ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારેમાસ જાય છે,પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે. અષાઢી બીજ ના પવિત્ર દિવસે જગતનો નાથ ભક્તજનોના દિલને દ્વારે દર્શન આપવા જશે. 

+++++++

વિશ્વની અંદર સૌથી મોટી કોઈ ભગવાનની રથયાત્રા હોય તો તે જગન્નાથપુરીની છે જે એક વિશ્વ રેકોર્ડ છે દેશ વિદેશમાંથી હજારો લોકો આ રથયાત્રાના દર્શન કરવા જગન્નાથપુરીમાં જાય છે આવી જ રીતે અમદાવાદની રથયાત્રા ગુજરાતની સૌથી મોટી છે અને બીજા ક્રમે આવે છે ભાવનગરની રથયાત્રા ભાવનગરની રથયાત્રા એક અનોખો ઇતિહાસ ધરાવે છે જે સૌ કોઈ જાણતા હોવાથી તેનું પુનરાવર્તન કરવાને બદલે ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે કંઈક અનોખી વાત કરીએ


જગન્નાથપુરી  અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથનું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે

જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક વાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારિકા આવ્યાં હતાં. તેમણે પોતાના બંને ભાઈઓને નગરદર્શનની ઇચ્છા જણાવી. શ્રીકૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડયાં અને તેઓ અલગ-અલગ રથ પર સવાર થઈ ગયા. સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ-બહેનો નગરયાત્રા પર નીકળી પડયાં. સુભદ્રાજીની નગરયાત્રાની ઇચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી ઉત્સવ ચાલે છે.

 

શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગેચંગે રથયાત્રા નીકળે છે. રથ પર સવાર શ્રીકૃષ્ણ, બલભદ્ર અને શુભદ્રાજીનાં દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાનથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે. રથયાત્રાની ત્રણે મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે. તેની પાછળ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા. એક વાર રાજા ઇન્દ્રદ્યુમ્નને ઇચ્છા થઈ કે ભગવાન જગન્નાથ,બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો. એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા. એવામાં સમુદ્રમાં એક મોટું કાષ્ઠ (લાકડું) તરતું જોયું. તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ઠમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો! પરંતુ એક સમસ્યા ઊભી થઈ, તે હતી યોગ્ય શિલ્પીની શોધ. એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા. વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા. આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે, તે મૂર્તિ તો બનાવશે, પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. રાજાએ શરતનો સ્વીકાર કર્યો, પછી વિશ્વકર્મા હાલમાં જ્યાં જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે જ એક ઘરમાં મૂર્તિનિર્માણના કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા. રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે? ઘણાં દિવસો સુધી તે ઘરનાં દ્વાર બંધ રહ્યાં. મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધાપીધા વગર કેવી રીતે કામ કરી શકશે? પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યા હશે. મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી, તેથી મહારાજાએ દ્વાર ખોલાવતાં ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી. આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયાં. તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે, "હે નરેશ! દુઃખી ન થશો, અમે આ જ રૂપમાં રહેવા માગીએ છીએ. મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરીને તેની સ્થાપના કરાવો."

જગન્નાથની રથયાત્રામાં શ્રીકૃષ્ણની સાથે રાધાજી કે રુક્મિણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેમની મૂર્તિ અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે.

 

એક વાર દ્વારિકામાં શ્રીકૃષ્ણ રુક્મિણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે-રાધે બોલવા લાગ્યા. મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી પણ શ્રીકૃષ્ણએ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા. રુક્મિણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે, જેને પ્રભુ આપણી આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી. રાધાજીની શ્રીકૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતાં હશે, તેથી બધી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવે. પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી, પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે, "ઠીક છે, પરંતુ પહેલાં સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભાં રાખો, કોઈ પણ અંદર ન આવવું જોઈએ, પછી તે કૃષ્ણ કે બલભદ્ર જ કેમ ન હોય!"

 

માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં શ્રીકૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જોકે, સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા, પરંતુ શ્રીકૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી. જે સાંભળીને શ્રીકૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમરસનો અનુભવ કરવા લાગ્યા. બીજી તરફ સુભદ્રાજી પણ ભાવવિહ્વળ થઈ ગયાં. એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત્ થઈ ગયાં.

 

નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે, "હે પ્રભુ, તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્થ રૂપનાં મેં દર્શન કર્યાં છે, તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશાં સુશોભિત રહે" અને પ્રભુએ નારદજીને વરદાન આપતાં તથાસ્તુ કહ્યું.

 અને ભગવાન જગન્નાથની સ્થાપના થઈ

 અમદાવાદમાં નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 140  વર્ષ જૂની છે. ત્યારે આ રથયાત્રા કોણે શરુ કરી, કોણે સ્થાપના કરી, અને સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું. તેની વાત પણ રસપ્રદ છે


 કોણે શરુ કરી રથયાત્રા ? એ સવાલ આજે ઘણાના મનમાં ઉદભવે છે.

140 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.

 

જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી ? 

આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા, અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી. 

 કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ ? તેની વાત પણ અનોખી છે

 

140  વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું  મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભકતોને પ્રેમભાવથી જમાડે છે. આવી જ રીતે ભાવનગરની રથયાત્રા સ્વ.ભીખુભાઈ ભટ્ટે શરૂ કરેલી એ પરંપરા આજે પણ ચાલુ છે અષાઢી બીજનો દિવસ ભાવનગર માટે જાણે બીજી દિવાળી હોય તે રીતે લોકો અતિશય ભક્તિ ભાવથી ભગવાનના દર્શન કરે છે અને ભગવાનની નગરીયાત્રા ને પ્રેમ ભાવથી નિહાળે છે

સુરેશ ભટ્ટ


 

વેટ લોસ

सेवन करें जिससे आपके शरीर में अतिरिक्त कैलोरी को संतुलित किया जा सके।ऐसा कर के आप अपने वज़न घटाने के मिशन को दाबारा ट्रैक पर ला सकते हैं।

In case you have a concern or query you can always consult a specialist & get answers to your questions!
240 people found this helpful

तेजी से वजन कम करने के 10 बेहद आसान तरीके - By Dr. T. Srinivasulu | Lybrate
Profile Image
General Physician • 16 Years Exp.
MD - General Medicine
Topic Image
हम में से अधिकतर लोग हर बार नए साल पर फिट होने का औऱ वज़न कम करने का प्रण लेते हैं।पर हर बीतते महीने के साथ ना तो अपने लक्ष्य की तरफ बढ़ने का प्रयास करते हैं और ना ही उसे हासिल कर पाते हैं। सच्चाई तो ये है कि साल खत्म होने तक हमारा वज़न पिछले साल की तुलना में कई किलो बढ़ चुका होता है। देखा जाए तो वज़न कम करना एक साधना की तरह है आपको अपने मनचाहे फास्ट फूड से मुंह मोड़ना पड़ता है औऱ बिस्तर के आराम को त्याग कर थोड़ा पसीना बहाना पड़ता है। पर कई ऐसे आसान तरीके भी जिन्हें अपनाकर आप वज़न घटाने की यात्रा को कम अड़चनों के साथ पार कर सकते हैं।बस आपको अपने खाने पीने और लाइफ स्टाइल में थोड़ा सा फेरबदल करना होगा औऱ फिर आप भी फैट से फिट तक के लक्ष्य को आसानी से हासिल कर सकेंगे।  

1.भरपूर पानी पिएं
पानी हमारे जीवन के लिए ही नहीं बल्कि हमारे शरीर की मशीनरी को सुचारू रूप से नियंत्रित रखने के लिए भी महत्वपूर्ण है। वज़न कम करने का पहला पड़ाव है कि अपने पानी के इनटेक को सुधारें. दिन भर में कम से कम चार लीटर पानी पीना आवश्यक है।इससे आपके शरीर की गंदगी बाहर निकलेगी। वाटर रिटेंशन की समस्या खत्म होगी और पाचन क्रिया सुधरेगी।वास्तव में इस दावे में सच्चाई है कि पानी पीने से वजन घटाने में मदद मिल सकती है।जानकार मानते हैं कि अधिक पानी पीने से आपकी कैलोरी बर्न करने की क्षमता भी बढ़ जाती है । इसलिए जल ही जीवन है को मंत्र को आत्मसात कर लें।

2. चीनी से दूरी बनाएं
आपका वज़न बढ़ाने में सबसे बड़ा हाथ चीनी का होता है। दिन भर में चाय कॉफी , कोल्ड ड्रिंक्स के सहारे आप काम निपटाते रहते हैं। इसके बाद लंच औऱ डिनर के बाद मीठा खाकर मन को संतुष्ट करते हैं। पर वज़न कम करना है तो इस रुटीन को छोड़ना होगा। अगर आप चाय औऱ कॉफी में चीनी बंद नहीं कर सकते तो इसे धीरे धीरे कम करना शुरु करें। खाने के बाद मीठा खाने का मन हो तो कोई फल खा लें। चीनी न केवल खाली कैलोरी में अधिक होती है, बल्कि आपके मेटाबालिज़्म को भी धीमा कर देती है। इससे मोटापा और दिल से जुड़ी समस्याएं होती हैं।

3. प्रोटीन का सेवन बढ़ाएं
वजन कम करने के लिए उच्च प्रोटीन आहार को एक सफल रणनीति के रूप में देखा जा सकता है । हाई प्रोटीन आहार लेने से आपके मेटाबालिज़्म में सुधार होता है,पेट भरा होने का एहसास देर तक बना रहता है और शरीर को भरपूर ऊर्जा भी मिलती है।प्रोटीन के सेवन से ट्राइग्लिसराइड्स, रक्तचाप नियंत्रित रहता है और मोटापा तेज़ी से कम होता है। यदि आपके खाने में प्रोटीन का मात्रा कम है तो इसे सुधारें। अपने आहार में अधिक प्रोटीन शामिल करें। रोजाना दाल, अंडे, पनीर और सोया उत्पादों का सेवन करें। इससे आप वज़न घटाने कि दिशा में एक कदम औऱ बढ़ सकते हैं।

4. वॉक करना शुरु करें
वज़न घटाने के लिए आहार के साथ शरिर का सक्रिय रहना भी ज़रूरी है। काउच पर बड़े रहकर वज़न कम करने का सपना बस सपना बनकर ही रह जाता हरै। इसलिए खुद को पुश करें और घर के आसपास किसी खुली जगह में वॉक करने का नियम बना लें। वजन घटाने के लिए आदर्श रूप से आपको रोजाना कम से कम 45 मिनट के लिए तेजी से चलना चाहिए। लेकिन अगर आप ऐसा नहीं कर सकते हैं तो सुबह और शाम आधा घंटा टहलने की कोशिश करें। आप शुरुआत 10 मिनट की वॉक से भी कर सकते हैं। धीरे धीरे अपने शरीर सहनशक्ति के हिसाब से इस समय को बढ़ाते जाइए। जानकार मानते हैं कि पैदल चलने से आंतरिक अंगों की मालिश होती है और मेटाबॉलिज्म बढ़ाने में मदद मिलती है। हर भोजन के बाद 1000 कदम चलने की कोशिश करें। अगर आप जल्दी वजन कम करना चाहते हैं तो यह सबसे अच्छा मंत्र है।

5. खाने में फाइबर का मात्रा बढ़ाएं
तला भुना ,मसालेदार खाना सबके मन को भाता है। खासकर मैदे से बनी चीज़ें तो हमारे खानपान का हिस्सा बन चुकी हैं। पर वज़न घटाने के लिए इन चीजों से दूरी बनानी पड़ेगी। अपने आहार में मैदा हटाकर फाइबर युक्त चीज़ें शामिल करें। फाइबर न केवल कोलेस्ट्रॉल को कम करता है, बल्कि आंत को साफ रखता है और आपको लंबे समय तक तृप्त भी रखता है। जब कोई वजन कम करना चाहता है तो रेशेदार खाना खाना बहुत जरूरी है। अगर आप जल्दी वजन कम करना चाहते हैं तो अपने आहार में साइलियम भूसी, चिया बीज, फल और हरी सब्जियां शामिल करें।

6. खाने में तेल पर रखें लगाम
भारतीय घरों में पराठा पूड़ी औऱ मसालेदार वाली चीज़ें अधिक खाई जाती हैं । ऐसी अधिकतर डिशों में तेल की एक परत ऊपर से ही तैरती हुई दिख जाती है। यही तेल आपके वज़न कम करने के सपने की राह में अड़चन है। आदर्श रूप से, आपके पास एक महीने में 900 ग्राम से अधिक तेल नहीं होना चाहिए। आप कितना तेल खा रहे हैं, इस पर नज़र रखें और इसका आपके वजन पर स्पष्ट प्रभाव पड़ेगा। कोशिश करें की सब्ज़ियों में तेल नाम मात्र ही डालें। औऱ पूड़ी पराठे के मोह को भी त्याग दें तभी आपकी फिट होने की कोशिश रंग ला सकेगी।

7. खाने को धीरे धीरे चबाएं
कई शोधों में इस बात का खुलासा हुआ है कि अगर हम अपना खाना धीरे धीरे देर तक चबाकर खाते हें तो में ही पेट भरा होने का एहसास होता है।जानकार मानते हैं कि आप अपने खाने के दौरान प्रत्येक निवाले का स्वाद लें और जानबूझकर इसे देर तक चबाते रहें ।खाना तभी निगलें जब खाना पूरी तरह से चबा लिया जाए ।दरअसल धीरे-धीरे भोजन करने से न केवल हम अपने भोजन का अधिक आनंद लेते हैं बल्कि हमें तृप्ति के बेहतर संकेत भी मिलते हैं।

8. खाना छोड़ें नहीं
वज़न घटाने की चाह में कई बार लोग खाना स्किप करने लगते हैं ।खुद को लम्बे समय तक भूखा रखकर कैलोरी नियंत्रित करने की कोशिश करते हैं।पर ये तरीका ठीक नहीं हैं। शरीर को काम करने के लिए ऊर्जा की आवश्यकता होती है। इसलिए अपनी भूख का सम्मान करें और अपने शरीर को यह सोचने की अनुमति न दें कि यह भूखा है। जानकार मानते हैं कि दिन में चार बार खाएं पर थोड़ा थोड़ा कर के खाएं। दिन भर में एक बार ज़रूरत से ज्यादा खाने से आपका मकसद हल नहीं होने वाला।

9. खाने के समय और पोर्शन को अनुशासित करें
दिनभर में आप जो कुछ भी खा रहे हैं उसका समय सुनिश्चित करें। साथ ही कोशिश करें की सुबह का नाश्ता भरपूर हो पर लंच उससे कुछ छोटा हो और डिनर में बहुत हल्का खाना लें। जो अपना वजन कम करना चाहते हैं और समग्र स्वास्थ्य में सुधार करना चाहते हैं वे इस नियम का पालन करेंगे तो उन्हें अच्छे परिणाम मिल सकते हैं। विशेषज्ञ मानते हैं कि शाम सात बजे के बाद कुछ नहीं खाना चाहिए।आप अपना डिनर 7 बजे तक कर लें औऱ फिर अगले सुबह अच्छा औप पौष्टिक नाश्ता लें। ऐशा करने से आपके शरीर को भोजन पचाने का पूरा समय मिल सकेगा औऱ आप करा वज़न नियंत्रित होगा।

10. चीट मील के बाद कैलोरी का संतुलन बनाएं
कोई भी व्यक्ति हमेशा खाने को लेकर पूरी तरह अनुशासित नहीं रह सकता । कई बार शादी ,पार्टियों या किसी त्योहार के मौके पर हम तेल मसालों से भरपूर खाना खा ही लेते हैं। पर आप इस खाने से मिली एक्सट्रा कैलोरीज़ को आने वाले दिनों में कैसे नियंत्रित करते हैं ये महत्वपूर्ण है। बिंज ईटिंग के बाद अगले दो तीन दिनों तक हल्का खाना खाएं। पानी अधिक पिएं और खीरे ,छाछ औऱ तरबूज जैसी चीज़ों का सेवन करें जिससे आपके शरीर में अतिरिक्त कैलोरी को संतुलित किया जा सके।ऐसा कर के आप अपने वज़न घटाने के मिशन को दाबारा ट्रैक पर ला सकते हैं।

In case you have a concern or query you can always consult a specialist & get answers to your questions!
240 people found this helpful
facebooktwitterwhatsapp
Thank
Consult
Appointment
RELATED QUESTIONS