+++++++
તંત્રીલેખ
ભારતની વિદેશ નીતિ 'વ્યૂહાત્મક સ્વાયત્તતા' અને 'રાષ્ટ્રીય હિત' પર આધારિત છે.
++++
ભારત અને રશિયાના સંબંધો દાયકાઓથી મૈત્રી પૂર્ણ રહ્યા છે જ્યારે તે સોવિયેત યુનિયન હતું ત્યારે રશિયામાંથી ગુજરાતી ભાષામાં પણ માહિતીપૂર્ણ મેગેઝીન બહાર પડતાં હતા. આ સમયે સોવિયેત યુનિયન નામ એક ગુજરાતી મેગેઝીન ખૂબ જ લોકપ્રિય હતું. ગુજરાતી ઉપરાંત બીજી ભારતીય ભાષામાં પણ રશિયાના મેગેઝીનનો ભારતમાં આવતા આના કારણે ભારત સાથેના સંબંધો વધુ વિકસિત થયા હતા. ભારત સાથેના તેના સાંસ્કૃતિક સંબંધ સદીઓ જુના છે આઝાદી પછીના સમયમાં આ સંબંધ વધુ વિકસિત થયા છે વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં યુદ્ધમય વાતાવરણ છે. અને રશિયા પોતે પણ યુક્રેન સાથે મહિનાઓથી યુદ્ધ કરી રહ્યું છે. આથી વિશ્વના ઘણા દેશો રશિયાના યુક્રેન સાથેના યુદ્ધને કારણે વિરુદ્ધમાં છે આમાં અમેરિકા સહિતના નાટો દેશનો ખાસ સમાવેશ થાય છે
આજે ભારતનું રશિયા અને અમેરિકા બંને સાથે સારા મૈત્રી પૂર્ણ સંબંધો જ છે તેવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા જઈ રહ્યા છે ત્યારે લોકો આશ્ચર્યચકિત છે.
ભારત-રશિયા વાર્ષિક સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ દ્વિપક્ષીય બેઠક નથી યોજાઈ. છેલ્લે 2021માં આવી બેઠક થઈ હતી
ભારત રશિયા સાથે પોતાના સંબંધોને આગળ લઈ જવા માટે ઉત્સુક છે. માત્ર સૈન્ય સામગ્રી માટે રશિયા પર પોતાની નિર્ભરતાના કારણે નહીં, પરંતુ એટલા માટે કારણ કે નવી દિલ્હી એક બહુધ્રુવીય વિશ્વને પ્રોત્સાહન આપવા માટે ઉત્સુક છે જ્યાં સરકાર દરેક પ્રકારના ભાગીદારો સાથે પોતાના હિતને આગળ વધારવાની સ્થિતિમાં છે."
આ યાત્રા રશિયાની ચીન સાથે નિકટતા સાથે પણ સંકળાયેલી છે. તેઓ કહે છે, "દિલ્હી માટે મૉસ્કો સાથે એક વિશિષ્ટ સંબંધો જાળવી રાખવા એ રશિયા અને બેઇજિંગ વચ્ચેની ઘનિષ્ઠતાને હળવી બનાવશે."
પીએમ મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનોને જોતાં એ સ્પષ્ટ છે કે ભારત તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે. ખાસ કરીને રશિયા સાથે, એક એવો દેશ જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે.”
રશિયાની આ મુલાકાતને કારણે ભારત અને ચીન વચ્ચેના સંબંધોનો તણાવ ઘટે તેવી પૂરી શક્યતા છે કારણ કે ચીન અને રશિયા વચ્ચે સારા સંબંધ છે અને એને કારણે ચીન પણ ભારત સાથે સંબંધ તનાવપૂર્ણ ન બને તે માટે પ્રયાસ કરશે એમ ભારતના રાજકીય નિરીક્ષકો માને છે.
મોદીએ છેલ્લે 2015માં મૉસ્કોની મુલાકાત લીધી હતી. પરંતુ 2019માં તેઓ આર્થિક ફોરમમાં ભાગ લેવા વ્લાદિવોસ્તોક ગયા હતા. પુતિન અને મોદી છેલ્લે 2022માં ઉઝબેકિસ્તાનના એસસીઓ શિખર સંમેલનમાં મળ્યા હતા. પુતિન 2021માં દિલ્હી પણ આવ્યા હતા.
મોદીની મૉસ્કો યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકા અને તેના યુરોપિયન સાથી દેશો રશિયાને વૈશ્વિકસ્તરે એકલું પાડી દેવા પ્રયાસ કરે છે. અને રશિયા પર આકરા પ્રતિબંધો ઝીંક્યા છે. તેમણે ઉચ્ચ સ્તરિય બેઠકો પણ ઘણી ઘટાડી દીધી છે.
યુરોપના દેશો રશિયા વિરુદ્ધ યુક્રેનને પોતાના રક્ષણ માટે મોટા પ્રમાણમાં સૈન્ય અને સામગ્રીની સહાયતા કરી રહ્યા છે, ત્યારે યુરોપના કોઈ પણ નેતા મૉસ્કોની મુલાકાત લે તો તેને યુરોપ સાથે વિશ્વાસઘાત તરીકે જોવામાં આવે છે.
સુરેશ ભટ્ટ
"પીએમ મોદી અને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદનોને જોતાં એ સ્પષ્ટ છે કે ભારત તમામ દેશો સાથે સારા સંબંધ રાખવા માગે છે. ખાસ કરીને રશિયા સાથે, એક એવો દેશ જેની સાથે સોવિયેત યુગથી ભારતના સંબંધો સારા રહ્યા છે.”
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें