शुक्रवार, 28 जून 2024

મોબાઇલ ડી ટોક્સ

તંત્રીલેખ

મોબાઈલ ડિટોક્સ
+++++++++
આજના સમયમાં ટેકનોલોજી વગર એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. અભણ માણસ પણ આજે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરતો થઈ ગયો છે.આ મોબાઈલ આપણા જીવનમાં એટલી હદ સુધી વણાઈ ગયો છે કે જેના વગર હવે ચાલી શકે તેમ નથી. એજ્યુકેશન થી માંડીને બિઝનેસ સુધી અને બિઝનેસથી માંડીને અવકાશ વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અતિ વ્યાપક બની ગયા છે ત્યારે મોબાઈલ ફોનની માયામાંથી નાના બાળકો મુક્ત થઈ શકતા નથી પરિણામે તેની માની ન શકાય તેવી આડ અસરો ઊભી થઈ રહી છે. ખાસ કરીને બાળકોના આરોગ્ય પર તેની જે અસર થઈ રહી છે તે જેવી તેવી નથી માત્ર બાળકો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ મોબાઈલના થી ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાથી આજે પીડાઈ રહ્યા છે.
માત્ર ચાર પાંચ વર્ષ પહેલા બે વર્ષના બાળકને રમકડા નો મોબાઇલ ફોન આપવામાં આવતો તો બાળકો તેનાથી રમતા પરંતુ હવે આવા નાના બાળકો નકલી મોબાઈલ ને ઘા કરીને ફેંકી દે છે. આજના બાળકો મોબાઇલથી મુક્ત રહી શકતા નથી બાળકોને મોબાઈલથી દૂર રાખવા આજે સૌથી મોટી સમસ્યા મા બાપ માટે બની ચૂકી છે મોબાઇલથી દૂર રહેવાની રીતને ડિજિટલ ડીટોક્ષ કહેવામાં આવે છે.
ડિજિટલ ડિટોક્સ વડે આ સ્માર્ટ રીતોથી બાળકોને મોબાઈલની લત છોડાવો
આજકાલ બાળકો વારંવાર મોબાઈલ ફોનમાં ખોવાયેલા રહે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તેઓ આ આદતમાંથી બહાર આવે અને જવાબદાર બને, તો તે માટેના કેટલાક સરળ રસ્તાઓ છે.
આ સરળ ઉપાયો અપનાવીને તમે બાળકોને મોબાઈલના વ્યસનમાંથી મુક્ત કરી શકો છો અને તેમને જીવનની અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપી શકો છો
બાળકો ક્યારે મોબાઈલનો ઉપયોગ કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. આનાથી તેઓ સમયની પાબંદીની આદત કેળવશે અને તેઓ હંમેશા મોબાઈલમાં ખોવાયેલા ન રહેવાનું શીખશે.
માત પિતા જો બાળકો સાથે વધુ સમય વિત આવે તો કેટલા સમય માટે તે મોબાઈલથી દૂર રહી શકશે.ભોજનના સમય અને પારિવારિક પ્રવૃત્તિઓ દરમિયાન મોબાઈલ ફોનને દૂર રાખો. આનાથી કૌટુંબિક બંધનો મજબૂત થશે અને બાળકો શીખશે કે જીવનની ખાસ ક્ષણોમાં મોબાઈલ કરતાં વધુ મહત્ત્વનું શું છે. બાળકોને જો
નવા શોખ અને રમતગમતમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેટલો સમય તે મોબાઈલથી દૂર રહીશ શકશે. બીજી પ્રવૃત્તિ માટે વ્યસ્ત થવાથી કેટલો સમય તે મોબાઈલથી દૂર રહેશે અને તેને કંઈક નવું ઇનોવેટિવ કરવાનું મન થશે.
ઘરના વડીલોએ દિવસમાં ચોક્કસ સમય માટે મોબાઈલ થી દૂર રહેવાનો સમય નક્કી કરવો જોઈએ ખાસ કરીને જમતી વખતે ટીવી અને મોબાઈલ સ્વીચ ઓફ રાખી શકાય.બપોરના સમયે આરામ સમયે પણ મોબાઇલને બંધ રાખી શકાય. પરંતુ કોઈ વાર ઈમરજન્સી ના મહત્વના ફોન ચૂકી ન જવાય તે માટે એક સાવ સાદો મોબાઈલ રાખી શકાય જેમાં સંદેશા ની આપ લે થઈ શકે પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ચલાવી ન શકાય મતલબ કે ઇન્ટરનેટ ડેટા વગર નો મોબાઇલ રાખી શકાય કે જેનાથી માત્ર સમાચારની આપ લે થઈ શકે સંદેશા મોકલી શકાય ને લઈ શકાય પરંતુ સોશિયલ મીડિયા આનાથી ખુલી ન શકે તેવો સાદો મોબાઈલ ઘરમાં રાખીને તે ચાલુ રાખવો જોઈએ. જોકે આવો મોબાઈલ આજના સમયમાં કોઈને ગમે નહીં તે પણ એક હકીકત છે. પરંતુ આજે મોટા ભાગના સાદુ જીવન જીવતા મોટા માણસો પણ સાવ સાદો ફોન રાખે છે.

બાળકોને મોબાઇલથી થતા ગેરફાયદા વિશે સમજણ આપો અને તેના માઠા પરિણામો વિશે
પરિણામો સમજાવો.બાળકોને કહો કે દરેક ક્રિયાના પરિણામો હોય છે. જો તેઓ મોબાઈલ પર વધુ સમય વિતાવે છે તો તેનાથી તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
પરિણામો સમજાવો. આજે આખી દુનિયા એક એવા યુગમાં જીવી રહી છે જ્યાં ઝડપ છે પરંતુ સલામતી નથી. સંપત્તિ છે પરંતુ સુખ નથી આ ટેકનોલોજીના યુગમાં ફેસીલીટીસ છે પરંતુ જીવને નિરાંત નથી.ડિગ્રી છે. પણ ડિગિ્નટી નથી. ટેક્નોલોજી સાથેનાં જોડાણોએ આપણા અંતરાત્મા સાથેના કનેકશનને ડિશકનેક્ટ કરી નાખ્યું છે. જેથી માતા-પિતા પોતાનાં બાળકો કરતાં વધુ મોબાઈલ જોડે જોડાયેલાં રહે છે
પરિણામે બાળકોના શારીરિક માનસિક વિકાસ પર ગંભીર અસર પહોંચે છે.
આ સમસ્યાના નિવારણ માટે વિશ્વમાં ‘મોબાઈલ ડિટોક્સ’ નામનો નવો કોન્સેપ્ટ ખબ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે. તેનો અર્થ એ થાય કે. ‘દિવસનાં ચોક્ક સમયગાળા દરમિયાન| સોશિયલ મીડિયા તેમજ મોબાઈલથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ રહેવું. મોબાઈલ ડિટોકિ્સંગની જરૂર ‘ફોક્સ્ડ લાઈફ’ જીવવા માટે ખૂબ જરૂરી છે. વ્યકિ્તગત જીવનમાં સામાજિક સંબંધોમાં ડિસ્ટ્રક્શન લાવ્યાં વગર.જે તે ક્ષણમાં લાઈવ રહીને જીવવા મોબાઇલ ડિટોક્સનો કોન્સેપ્ટ બાળકો તેમજ મોટેરાંએ અપનાવવા જેવો છે. આ કોન્સેપ્ટ આજના વર્તમાન યગમાં માણસને રોબોટિક માનસિક્તાથી બચાવવા માટે જરૂરી પણ છે. માનવીય સંબંધોમાં પ્રાણ પુરવા અને ફોકસિંગ લાઈફ જીવી પ્રકૃતિ, સમાજ, દેશ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું હશે તો પણ મોબાઈલ ડિટોક્સ ને જીવનમાં લાવવું ખૂબ જરૂરી છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ અન્ય કામો પ્રત્યે બે ધ્યાન બને છે.
સુરેશ ભટ્ટ






કેનેડા એટલે ભારત વિરોધી આતંકવાદીઓનો ત્રીજો ખૂણો

પ્રાસંગિક 

કેનેડા એટલે ભારત વિરોધી આતંકવાદનો ત્રીજો ખૂણો
+++++++
પાકિસ્તાન ચીન અને કેનેડા એવા દેશો છે જ્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓના મોટા અડ્ડા ચાલે છે જેમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે જ્યાં કટરવાદી ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.તો કેનેડામાં રહીને અમુક લોકો અલગ ખાલીસ્થાન માંગી રહ્યા છે જેને કેનેડાનો રાજકીય સપોર્ટ છે.
++++++
ભારતના અમુક શીખો પાકિસ્તાન કેનેડા ઇટાલી અને બ્રિટનમાં રહીને અલગ ખાલીસ્થાનની માંગ કરી રહ્યા છે.ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નીજજર હત્યામાં કેસમાં કેનેડાની સરકારે ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશના સંબંધો વણસ્યા છે. એક સમયે ભારતના સારા મિત્ર તરીકે વ્યાપારિક સંબંધો વિકસિત કરનાર કેનેડાનો પરિચય જાણવા જેવો છે
પાકિસ્તાન ચીન અને કેનેડા ભારતના વિરોધી દેશો છે ભારતની એકતાને તોડવા મથતા લોકો આ દેશની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે જેનો ભારત સખત વિરોધ કરે છે.
ગત સપ્તાહે નિજ્જર હત્યા કેસમાં ત્રણ ભારતીય મૂળના આરોપીઓને કનેડાની કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ભારત સામે કરેલા આરોપોને કેનેડા સમર્થન કરવાનું ચાલુ રાખશે. કેસરી રંગના જમ્પસૂટ પહેરેલા ત્રણેય આરોપીઓ સરેની સ્થાનિક કોર્ટમાં હાજર થતાં, ખાલિસ્તાની તરફી પ્રદર્શનકારીઓ કોર્ટની બહાર સૂત્રોચ્ચાર કર્યા અને પ્લેકાર્ડ બતાવ્યા હતા, પ્રદર્શનકારીઓ નિજ્જરની હત્યા માટે ભારત સરકારને જવાબદાર ઠેરવી રહ્યા છે.
હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા એવા કોઈ નક્કર પુરાવા હજુ સુધી કેનેડાએ આપ્યા નથી. ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ભારતીય મૂળના ત્રણ આરોપીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ગત શુક્રવારે ધરપકડ બાદ પ્રથમ વખત આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, જેનો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડાના એડમન્ટનમાં રહેતા ભારતીય નાગરિકો કરણ બ્રાર(22), કમલપ્રીત સિંઘ (22) અને કરણપ્રીત સિંઘ(28)ની ગયા અઠવાડિયે શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ફર્સ્ટ-ડિગ્રી હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. કેનેડા તેના નાગરિકોનું રક્ષણ કરવામાં કોઈ ચૂક નહીં રાખે.
તેમણે કહ્યું કે કેનેડાની સ્થિતિ હંમેશા સ્પષ્ટ રહી છે. અમારું કામ કેનેડિયનોનું રક્ષણ કરવાનું છે અને કેનેડિયનની ધરતી પર ભારતીય એજન્ટો દ્વારા કેનેડિયનની હત્યા કરવામાં આવી હોવાના આરોપો પર અમે અડગ છીએ.
કેનેડિયન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડની જાહેરાત કર્યા બાદ મેલાનીનું નિવેદન આવ્યું છે. જો કે, કેનેડિયન પોલીસ કર્મચારીઓએ ભારત સાથે આરોપીઓના કોઈ સંબંધ હોવાના કોઈ પુરાવા આપ્યા નથી.
ન્યાયાધીશ ડેલારામ જહાનીએ ત્રણેય શંકાસ્પદોની ટૂંકમાં પૂછપરછ કરી. બ્રાર અને કરણપ્રીત સિંહ 21 મેના રોજ ફરીથી કોર્ટમાં હાજર થશે. જોકે, અદાલતે કમલપ્રીત સિંહ માટે નવી તારીખ નક્કી કરવાની બાકી છે.
મંગવારે સ્થાનિક ખાલિસ્તાન સમર્થકો કોર્ટની બહાર ઉમટી પડ્યા હતા. સુનાવણીમાં હાજરી આપવા માંગતા વધારાના 50 લોકોને સમાવવા માટે કોર્ટહાઉસની અંદર એક અલગ ઓવરફ્લો રૂમ ખોલવામાં આવ્યો હતો. કોર્ટહાઉસની બહાર 100થી વધુ લોકોએ ખાલિસ્તાનનો ઝંડો લહેરાવ્યો હતો અને શીખ અલગતાવાદને સમર્થન આપતા પોસ્ટરો દર્શાવ્યા હતા.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવે અમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ મામલે સંવેદનશીલ છે અને અમે ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે. ભારતે અમારી ચિંતાઓને ધ્યાનમાં લીધી છે.” તેમણે કહ્યું હતું કે અમેરિકાએ નવી દિલ્હી દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિને સતત અપડેટ્સ આપવા કહ્યું છે.

ભારતની મુલાકાતના દિવસો પછી એક ઓનલાઈન પ્રેસ બ્રીફિંગ દરમિયાન પ્રશ્નોના જવાબમાં કેમ્પબેલે કહ્યું હતું કે, “અમે સ્પષ્ટ કર્યું છે કે અમે જવાબદારી ઈચ્છીએ છીએ અને અમે આ વિષય પર ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે અને તેઓએ પણ અમારી ચિંતાઓનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. આ મુદ્દો સીધો ભારત સરકારના નેતૃત્વના ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને તેમની પાસેથી સતત અપડેટ્સ માગ્યા છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ગુરુવંત પન્નુનો અમેરિકામાં અકસ્માત થયો હતો. આ મામલામાં અમેરિકાએ ગયા વર્ષે જૂનમાં નિખિલ ગુપ્તા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ કાવતરામાં ભારતીય સરકારી કર્મચારી સાથે કામ કરવાનો આરોપ મૂક્યો હતો.
ગુપ્તાની 30 જૂન 2023ના રોજ ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે નિખિલ ગુપ્તાને ચેક રિપબ્લિકથી અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે ભારત સરકારનો એક અધિકારી, જેનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, તે નિખિલ ગુપ્તા અને અન્ય લોકોના સંપર્કમાં હતો. આ લોકો અમેરિકામાં રાજકીય કાર્યકર્તા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા, જે ભારતીય મૂળનો છે અને અમેરિકન નાગરિક છે. એક સમય એવો હતો કે જ્યારે ભારતને કેનેડા સાથે ખૂબ સારા મૈત્રી પૂર્ણ સંબંધ હતા પરંતુ કેનેડાની સરકારે ભારત વિરોધીઓને આશ્રય આપવાનું શરૂ કર્યું ત્યારથી ભારત સાથેના તેના સંબંધોમાં કડવાસ આવી ચૂકી છે ખાસ કરીને કેનેડામાં ભારત વિરોધી પરિબળો મોટા પ્રમાણમાં સક્રિય થઈ ચૂક્યા છે અને કેનેડાની સરકાર તેને અંદરખાનેથી મદદ પણ કરે છે કેનેડા એક એવો દેશ છે જેની પાસે અપાર કુદરતી ક્ષમતાઓ છે આમ છતાં તે અમેરિકા જેટલો વિકસિત નથી.કેનેડા એક ઉત્તર અમેરિકન દેશ છે. વિસ્તારમાં તે દુનિયામાં બીજા ક્રમે આવે છે. તે ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, અને પૂર્વ એટલાન્ટિક મહાસાગરમાંથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી વિસ્તરેલ છે અને ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે. કેનેડાની દક્ષિણે તથા પશ્ચિમે યુ.એસ.એ. આવેલ છે. યુરોપીઅન પ્રજાના આગમન પહેલા ઘણા વર્ષોથી મૂળ નિવાસીઓ વસતા હતા, જેઓ હવે નેટિવ ઇન્ડિયન કે ફર્સ્ટ નેશનથી ઓળખાય છે. સોળમી અને સત્તરમી સદીમાં યુરોપીઅન વંશના લોકોએ લગભગ સમગ્ર દેશ કબ્જે કરીને વસવાટ કર્યો હતો.કેનેડામાં સંસદીય પદ્ધતિથી સરકાર ચાલે છે પરંતુ બંધારણીય રાજાશાહીને પણ ચાલુ રાખી છે. પ્રધાન મંત્રી દેશની સરકારના વડા છે અને સંસદને જવાબદાર છે. ઇંગ્લેન્ડની રાણી દ્વારા નિયુક્ત થતા ગવર્નર જનરલ દેશના બંધારણીય વડા છે. કેનેડામાં સત્તાવાર રીતે બે ભાષાનું ચલણ છે - અંગ્રેજી અને ફ્રેન્ચ. માનવ સંશાધન વિકાસાંકમાં કેનેડા ખુબ જ આગળ છે. કેનેડા યુનો, નાટો, કોમનવેલ્થ, જી20 અને અન્ય આંતર રાષ્ટ્રીય સંસ્થાનોમાં સભ્ય દેશ છે
સુરેશ ભટ્ટ

મોબાઈલ ડીટોક્સ

તંત્રીલેખ

મોબાઈલ ડિટોક્સ
+++++++++
આજના સમયમાં ટેકનોલોજી વગર એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. અભણ માણસ પણ આજે સ્માર્ટ ફોન નો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરતો થઈ ગયો છે.આ મોબાઈલ આપણા જીવનમાં એટલી હદ સુધી વણાઈ ગયો છે કે જેના વગર હવે ચાલી શકે તેમ નથી. એજ્યુકેશન થી માંડીને બિઝનેસ સુધી અને બિઝનેસથી માંડીને અવકાશ વિજ્ઞાન સુધીના તમામ ક્ષેત્રોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી અતિ વ્યાપક બની ગયા છે ત્યારે મોબાઈલ ફોનની માયામાંથી નાના બાળકો મુક્ત થઈ શકતા નથી પરિણામે તેની માની ન શકાય તેવી આડ અસરો ઊભી થઈ રહી છે. ખાસ કરીને બાળકોના આરોગ્ય પર તેની જે અસર થઈ રહી છે તે જેવી તેવી નથી માત્ર બાળકો જ નહીં પરંતુ મોટી ઉંમરના લોકો પણ મોબાઈલના થી ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક માનસિક સમસ્યાથી આજે પીડાઈ રહ્યા છે.
માત્ર ચાર પાંચ વર્ષ પહેલા બે વર્ષના બાળકને રમકડા નો મોબાઇલ ફોન આપવામાં આવતો તો બાળકો તેનાથી રમતા પરંતુ હવે આવા નાના બાળકો નકલી મોબાઈલ ને ઘા કરીને ફેંકી દે છે. આજના બાળકો મોબાઇલથી મુક્ત રહી શકતા નથી બાળકોને મોબાઈલથી દૂર રાખવા આજે સૌથી મોટી સમસ્યા મા બાપ માટે બની ચૂકી છે મોબાઇલથી દૂર રહેવાની રીતને ડિજિટલ ડીટોક્ષ કહેવામાં આવે છે.
ડિજિટલ ડિટોક્સ વડે આ સ્માર્ટ રીતોથી બાળકોને મોબાઈલની લત છોડાવો
આજકાલ બાળકો વારંવાર મોબાઈલ ફોનમાં ખોવાયેલા રહે છે. પરંતુ જો તમે ઈચ્છો છો કે તેઓ આ આદતમાંથી બહાર આવે અને જવાબદાર બને, તો તે માટેના કેટલાક સરળ રસ્તાઓ છે.
આ સરળ ઉપાયો અપનાવીને તમે બાળકોને મોબાઈલના વ્યસનમાંથી મુક્ત કરી શકો છો અને તેમને જીવનની અન્ય મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપી શકો છો
બાળકો ક્યારે મોબાઈલનો ઉપયોગ કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. આનાથી તેઓ સમયની પાબંદીની આદત કેળવશે અને તેઓ હંમેશા મોબાઈલમાં ખોવાયેલા ન રહેવાનું શીખશે.
માત પિતા જો બાળકો સાથે વધુ સમય વિત આવે તો કેટલા સમય માટે તે મોબાઈલથી દૂર રહી શકશે.ભોજનના સમય અને પારિવારિક પ્રવૃત્તિઓ દરમિયાન મોબાઈલ ફોનને દૂર રાખો. આનાથી કૌટુંબિક બંધનો મજબૂત થશે અને બાળકો શીખશે કે જીવનની ખાસ ક્ષણોમાં મોબાઈલ કરતાં વધુ મહત્ત્વનું શું છે. બાળકોને જો
નવા શોખ અને રમતગમતમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેટલો સમય તે મોબાઈલથી દૂર રહીશ શકશે. બીજી પ્રવૃત્તિ માટે વ્યસ્ત થવાથી કેટલો સમય તે મોબાઈલથી દૂર રહેશે અને તેને કંઈક નવું ઇનોવેટિવ કરવાનું મન થશે.
ઘરના વડીલોએ દિવસમાં ચોક્કસ સમય માટે મોબાઈલ થી દૂર રહેવાનો સમય નક્કી કરવો જોઈએ ખાસ કરીને જમતી વખતે ટીવી અને મોબાઈલ સ્વીચ ઓફ રાખી શકાય.બપોરના સમયે આરામ સમયે પણ મોબાઇલને બંધ રાખી શકાય. પરંતુ કોઈ વાર ઈમરજન્સી ના મહત્વના ફોન ચૂકી ન જવાય તે માટે એક સાવ સાદો મોબાઈલ રાખી શકાય જેમાં સંદેશા ની આપ લે થઈ શકે પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ચલાવી ન શકાય મતલબ કે ઇન્ટરનેટ ડેટા વગર નો મોબાઇલ રાખી શકાય કે જેનાથી માત્ર સમાચારની આપ લે થઈ શકે સંદેશા મોકલી શકાય ને લઈ શકાય પરંતુ સોશિયલ મીડિયા આનાથી ખુલી ન શકે તેવો સાદો મોબાઈલ ઘરમાં રાખીને તે ચાલુ રાખવો જોઈએ. જોકે આવો મોબાઈલ આજના સમયમાં કોઈને ગમે નહીં તે પણ એક હકીકત છે. પરંતુ આજે મોટા ભાગના સાદુ જીવન જીવતા મોટા માણસો પણ સાવ સાદો ફોન રાખે છે.

બાળકોને મોબાઇલથી થતા ગેરફાયદા વિશે સમજણ આપો અને તેના માઠા પરિણામો વિશે
પરિણામો સમજાવો.બાળકોને કહો કે દરેક ક્રિયાના પરિણામો હોય છે. જો તેઓ મોબાઈલ પર વધુ સમય વિતાવે છે તો તેનાથી તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.
પરિણામો સમજાવો. આજે આખી દુનિયા એક એવા યુગમાં જીવી રહી છે જ્યાં ઝડપ છે પરંતુ સલામતી નથી. સંપત્તિ છે પરંતુ સુખ નથી આ ટેકનોલોજીના યુગમાં ફેસીલીટીસ છે પરંતુ જીવને નિરાંત નથી.ડિગ્રી છે. પણ ડિગિ્નટી નથી. ટેક્નોલોજી સાથેનાં જોડાણોએ આપણા અંતરાત્મા સાથેના કનેકશનને ડિશકનેક્ટ કરી નાખ્યું છે. જેથી માતા-પિતા પોતાનાં બાળકો કરતાં વધુ મોબાઈલ જોડે જોડાયેલાં રહે છે
પરિણામે બાળકોના શારીરિક માનસિક વિકાસ પર ગંભીર અસર પહોંચે છે.
આ સમસ્યાના નિવારણ માટે વિશ્વમાં ‘મોબાઈલ ડિટોક્સ’ નામનો નવો કોન્સેપ્ટ ખબ ઝડપથી પ્રચલિત થઈ રહ્યો છે. તેનો અર્થ એ થાય કે. ‘દિવસનાં ચોક્ક સમયગાળા દરમિયાન| સોશિયલ મીડિયા તેમજ મોબાઈલથી સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ રહેવું. મોબાઈલ ડિટોકિ્સંગની જરૂર ‘ફોક્સ્ડ લાઈફ’ જીવવા માટે ખૂબ જરૂરી છે. વ્યકિ્તગત જીવનમાં સામાજિક સંબંધોમાં ડિસ્ટ્રક્શન લાવ્યાં વગર.જે તે ક્ષણમાં લાઈવ રહીને જીવવા મોબાઇલ ડિટોક્સનો કોન્સેપ્ટ બાળકો તેમજ મોટેરાંએ અપનાવવા જેવો છે. આ કોન્સેપ્ટ આજના વર્તમાન યગમાં માણસને રોબોટિક માનસિક્તાથી બચાવવા માટે જરૂરી પણ છે. માનવીય સંબંધોમાં પ્રાણ પુરવા અને ફોકસિંગ લાઈફ જીવી પ્રકૃતિ, સમાજ, દેશ માટે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવું હશે તો પણ મોબાઈલ ડિટોક્સ ને જીવનમાં લાવવું ખૂબ જરૂરી છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેનાર વ્યક્તિ અન્ય કામો પ્રત્યે બે ધ્યાન બને છે.
સુરેશ ભટ્ટ