રાજકીય સમસ્યાઓના સમાધાન માટે
રાષ્ટ્રનું બંધારણ આપણા માટે પથદર્શક
++++++
નવી સરકાર સત્તારૂઢ થઈ તેની સામે અનેક રાજકીય સામાજિક અને રાષ્ટ્રીય પડકારો ઊભા થયા છે. આ બાબતમાં નવી સરકાર આ તમામના સમાધાન માટે ન્યાયપાલિકા અને રાષ્ટ્રના બંધારણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. દેશમાં કોઈપણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણું બંધારણ તેમાં ચોક્કસ માર્ગદર્શન આપે છે.અને તે પ્રમાણે સરકાર પગલાં લે છે જેથી કરીને લોકશાહીના સનાતન મૂલ્યો જળવાઈ રહે તેના જતન માટે સરકાર દ્રઢ નિશ્ચય છે.
સંઘ પરિવાર સાથે બાબા સાહેબના ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી ગાંધીજી સુભાષબાબુ સાવરકર મદન મોહન માલવીય ચંદ્રશેખર આઝાદ રાજગુરુ એમ કેટલાય લોકો તેમના સંપર્કમાં આવ્યા તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા વધુ હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં એક વાત આવી કે વિષય ભલે જુદા જુદા હોય, વિચાર ભલે જુદા જુદા હોય પરંતુ રાષ્ટ્રનું હિત બધામાં સર્વોપરી હતું
બાબા સાહેબને સંઘ પરિવારના વરિષ્ઠ નેતાઓ સાથે ઘનિષ્ઠ સંપર્કો રહ્યા અને તેમની સાથે ચર્ચાઓ થઈ હતી. ગાંધીજી, સુભાષબાબુ, સાવરકર, મદનમોહન માલવિય, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, કેટ-કેટલાં લોકો તેમના સંપર્કમાં આવ્યા, તેમની સાથે તેઓ કામ કરતા કાર્યકર્તા હતા અને સૌના વિચાર જાણ્યા પછી તેમના ધ્યાનમાં આવી કે સૌના મનમાં એક વાત જરૂર છે. વિષય ભલે સૌના જુદા જુદા છે. પરંતુ લોક કલ્યાણ ની ભાવના બંનેમાં સમાન છે અને આથી જ સંઘ પરિવારના સર્વોચ્ચ નેતા બાબા સાહેબ પ્રત્યે સન્માનની નજર જોતા હતા.
ડૉ. બાબાસાહેબ આંબેડકર સાથે પણ પૂ. હેડગેવારજીનો સંપર્ક હતો. પૂનાના એક સંઘ શિક્ષા વર્ગમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આવ્યા હતા તે સમયે તેમની સાથે જે લોકો હતા તેમાંના એક સ્વતંત્રતા બાદ મહારાષ્ટ્રમાં ધારાસભ્ય પણ બન્યા હતા. તેઓએ પોતાની આત્મકથામાં પણ આ પ્રસંગ વર્ણવ્યો છે. તે વખતે સંઘ શિક્ષા વર્ગમાં ભોજનનો સમય હતો અને ભોજન શરૂ જ થવામાં હતું અને પૂ. હેડગેવારજીને ખબર પડી કે ડૉ. બાબાસાહેબ આવ્યા છે, ત્યારે તેઓએ ભોજન રોકી ખુદ ઊભા થઈ તેઓને લઈ આવ્યા હતા અને સાથે બેસી સૌએ આનંદપૂર્વક ભોજન લીધું હતું. ત્યાર બાદ ખુદ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીએ સંઘમાં જાતિ-ભેદ છે કે નહીં તે પરખવા સ્વયંસેવકો સાથે વાતચીત પણ કરી. બાદમાં બપોરના સમયે ડૉ. હેડગેવારજીનું બૌદ્ધિક નક્કી હતું. છતાં ડૉ. હેડગેવારજીએ બાબાસાહેબને બૌદ્ધિક આપવા કહ્યું, જેમાં બાબાસાહેબે સ્વયંસેવકોને ભારતમાંથી તમામ પ્રકારના ભેદ મિટાવવાની વાત કરી હતી. એક વાત આવી કે તમામના વિચાર ભલે અલગ અલગ હોય પરંતુ સૌના મનમાં એક જ વિચાર છે. આ તમામ તપસ્વીઓ જેના મનમાં એક જ સવાલ હતો કે વારંવાર આ દેશને જ આક્રમણખોરો સામે પરાજિત કેમ થવું પડ્યું. આક્રમણખોરો ખૂબ જ દૂરથી આવ્યા હતા અને આપણા દેશનું વાતાવરણ પણ તેમને અનુકૂળ ન હતું કે ન તો તેમને આપણા દેશની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન હતું. અન્ન-પાણી કે હવા તેમના અનુકૂળ ન હતાં અને તેમની સંખ્યા પણ મુઠ્ઠીભર હતી. જ્યારે આપણો દેશ સોનાની ચીડિયા ગણાતો હતો. આપણી પાસે જ્ઞાનનો ભંડાર હતો. આપણા શૂરવીરોની ધાક જગત આખામાં હતી છતાં મુઠ્ઠીભર આક્રમણકારીઓએ હજારો માઈલ દૂરથી આવી વારંવાર આપણને પરાજિત કર્યા હોવાનો ઇતિહાસ કેમ બન્યો ? હૂણોથી માંડી અંગ્રેજો સુધી આ ઇતિહાસનું પુનરાવર્તન થયું છે, કારણ કે આપણે સંગઠિત ન હતા. આપણી આ દુર્બળતાનાં કારણોને હટાવી એક સબળ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરવામાં આવશે નહીં ત્યાં સુધી આ વારંવાર થનારી બીમારી જવાની નથી. સમાજને શક્તિશાળી બનાવવાનું કામ કોઈકે તો કરવું પડશે એવું સૌને લાગતું હતું.
ડૉ. હેડગેવારજી પણ આવું જ માનતા હતા. ૧૯૧૧-૧૯૧૪ દરમિયાન તેઓ કલકત્તામાં હતા. તે વખતે ત્યાંના પ્રસિદ્ધ ક્રાંતિકારી ત્રિલોક ચતુર્વેદીને મળવાનું થયું હતું ત્યારે તેઓએ તેમની સમક્ષ દેશની સ્વતંત્રતા ઝંખતા તમામ લોકોનો આ વિચાર છે એમ જણાવીને કહ્યું હતું કે, 'લાગે છે કે હવે આ કામ મારે જ કરવું પડશે. આ વાત ખુદ ત્રિલોક ચતુર્વેદીજીએ ડૉ.જીની જન્મશતાબ્દીની ઉજવણીની સમિતિના સદસ્ય બનાવવા માટે સંઘના કાર્યકર્તાઓ તેમની પાસે ગયા હતા ત્યારે સંઘના કાર્યકર્તાઓને જણાવી હતી.
એક શક્તિસંપન્ન, ભેદરહિત, ગુણસંપન્ન અને જીવનસંકલ્પના રૂપમાં દેશને શક્તિશાળી બનાવવાની ભાવના છે. એવા હિન્દુ સમાજના નિર્માણ માટે સંઘ શરૂ થયો હતો. ત્યારે ત્યાગ, બલિદાન અને પરિશ્રમ થકી સ્વતંત્રતા અપાવનાર આ તમામ મહાપુરુષોના સંકલ્પોને સત્ય સિદ્ધ કરનારો સમાજ ઘડવો પડશે. સંઘનું આ જ કાર્ય છે. સંઘ આના સિવાય બીજું કાંઈ ઇચ્છતો પણ નથી, પરમ વૈભવસંપન્ન વિશ્વગુરુ ભારત ભારતના સમાજ થકી જ બનશે. ત્યારે સ્વતંત્રતાના આ અમૃતકાળે આપણે સૌએ વિચાર કરવો પડશે કે, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને તેમના સમકાલીન તમામ મહાપુરુષો કે જેઓએ દેશ માટે પ્રમાણિકતાથી, નિઃસ્વાર્થ બુદ્ધિથી કોઈને કોઈ ક્ષેત્રમાં કામ કર્યું હતું, તેમણે લીધેલા સંકલ્પોને સત્ય સિદ્ધ કરવા માટે આપણે ત્યાં કેવા પ્રયાસો થઈ રહ્યા છે ?
હાલમાં એવો પ્રચાર થઈ રહ્યો છે કે 2024 ની ચૂંટણીમાં જ્યાં સૌથી વધુ ભાજપે કામ કર્યું છે તે ઉત્તર પ્રદેશમાં જ ભાજપનું માની ન શકાય તેટલું ધોવાણ થયું છે આની પાછળ સંઘ પરિવારની રાજકીય ઈચ્છા શક્તિ નહિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ આ વસ્તુ બિલકુલ સાચી નથી આની ચોખવટ પણ થઈ ચૂકી છે.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આપણને સ્વતંત્રતા મળી. ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં આપણે આપણું બંધારણ બનાવ્યું. આ બંધારણનું ભારતની સંસદમાં જ્યારે લોકાર્પણ થયું ત્યારે બાબાસાહેબ આંબેડકરે જે બે ભાષણ આપ્યાં હતાં. તે ભાષણ આપણે સૌ ભારતીયો માટે છે. જે સ્વતંત્રતા આપણા બધા વૌરોના ત્યાગ અને બલિદાનના કારણે આપણને પ્રાપ્ત થઈ. આપણા પૂર્વજોનાં કઠોર પરિશ્રમથી આપણને પ્રાપ્ત થઈ એ સ્વતંત્રતાના માટે સ્વયંને યોગ્ય બનાવ્યા. માટે આ બંને ભાષણો આપણા માટે પથ પ્રદર્શક છે. આપણે સૌ ભારતીયોએ આ ભાષણોને દર વર્ષે ૧૪ એપ્રિલ અને ૬ ડિસેમ્બરના રોજ અવશ્ય વાંચવા જોઈએ. આ ભાષણોનાં પ્રકાશમાં આપણો સૌ ચાલી રહ્યા છીએ કે નથી ચાલી રહ્યા તેનું આત્મચિંતન આપણે સૌએ કરવું જોઈએ. તે ભાષણમાં તેઓએ એકતાના મહત્ત્વને સમજાવ્યું છે. આ બંને ભાષણોમાં તેઓ જે કહે છે તે હું શબ્દશઃ નહીં પણ તેમાં રહેલા ભાવ બતાવું છું, કે આપણા દેશને કોઈ પરકીય શક્તિએ ખુદની શક્તિના બળે નહોતો જીત્યો. એકમેક વચ્ચેના ભેદોને કારણે, એકમેકની કારણે આપણે આપણા દેશને તે પરકીય તાકાતોને ચાંદીની થાળીમાં મૂકીને આપી દીધો હતો. બાકી આપણી સ્વતંત્રતાને છીનવી લેવાની કોઈની હિંમત ન હતી. આગળ તે કહે છે કે આજે આપણે આ સંસદમાં અલગ-અલગ વિચારધારા એમાં માનવામાં આપણે સૌ આ સંસદમાં સંસદના નાતો આપણે પોત-પોતાના અલગ અલગ કેમ્પ બનાવી બેઠા છીએ. પ્રજાતંત્રનું જે સ્વરૂપ આપણે સ્વીકાર્યું છે તેમાં આવું હોવું પણ જોઈએ. પરંતુ આપણે એ ધ્યાન રાખવું પડશે કે એકમેકના મતભેદોથી ઉપર આપણે સૌએ આ દેશ માટે રાજનૈતિક સ્વતંત્રતા અને આર્થિક સ્વતંત્રતાની જોગવાઈઓ બંધારણમાં કરેલું જ છે, પરંતુ સામાજિક સમતા વગર. આ આર્થિક, રાજનૈતિક સમતા - સ્વતંત્રતા પ્રત્યક્ષમાં આવી શકશે નહીં, માટે એના માટે શું કરીશું ? એને આપણે લાવવી પડશે. સમાજના ભેદોનો નાસ કરવો પડશે. આપણો સમાજ અલગ અલગ વર્ગોનો છે અને તેને એક કરવાનો છે એવું નથી. આપણે પહેલેથી જ એક સમાજ જ છીએ. પરંતુ વચ્ચે વચ્ચેના સમયગાળામાં આપણે ખુદ આપણા હાથે આ અલગ અલગ વર્ગ જાતિ વગેરેની નિર્માણ કરીને વચ્ચે અંતર ઊભું કર્યું અને વિદેશી લોકોએ તેનો લાભ ઉઠાવી તે અંતરને વધુ પહોળું કર્યું. આપણે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવવું પડશે એક બનવું પડશે.
કારણ કે છેવટે તો આપણે આપણાં સ્વપ્નોને સાકાર કરવાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના પણ શા માટે કરવામાં આવી ? પૂ. ડૉ. હેડગેવારજી બાલ્યકાળથી જ દેશ માટે ચાલતાં તમામ કાર્યોમાં સક્રિય હતા. તેમના મનમાં દેશની સ્વતંત્રતા માટે ઉત્કૃષ્ટ ઇચ્છા હતી અને તેના માટે તેઓ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા માનસિક તૈયારી કરી ચૂક્યા હતા. માતા-પિતાનો બાળપણમાં જ સ્વર્ગવાસ થયો હતો. જેથી ઘરનું બંધન-મોહ પણ તેમને ન હતો ઘર ચલાવવાનું દાયિત્વ પણ તેમના પાસે ન હતું માટે દેશ માટે ચાલતા હરેક કામમાં તેમણે સક્રિયતાથી ભાગ લીધો. સમાજસુધાર હોય કે પછી સમાજ પ્રબોધન હોય કે સમાજના આર્થિક સુધાર માટે સહકારી બેંક જેવા ઉપક્રમો હોય, સમાજના પ્રબોધન માટે વૃત્તપત્ર ચલાવવું, તેનું સંપાદન કરવાનું હોય. સ્વતંત્રતા માટે આંદોલનના માર્ગથી ચાલતું કોંગ્રેસનું કામ હોય કે પછી શસ્ત્રાચારથી અંગ્રેજોને ભગાવવાની આકાંક્ષા રાખવામાં ક્રાંતિકારીઓ માટેનું કામ હોય, જે જે પણ સમાજની ઉન્નતિ અને સ્વતંત્રતા માટે કાર્યો ચાલતાં હતા તેના માટે તેઓ કાર્યકર્તા બન્યા અને પ્રામાણિકતાથી તમામ કાર્યોનો તેઓએ અનુભવ લીધો. સ્વયં પણ આંખો ખુલ્લી રાખીને સમાજની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. ચિંતન કર્યું. અને આ તમામ કાર્યોમાં તેમના સમકાલીન જે કર્ણધારો હતા તેમની સાથે તેમના અનુભવો ની આપલે કરી હતી. આજે જ્યારે આપણા રાષ્ટ્ર સામે અનેક પડકારો ઊભા છે તેમાં ભાગલાવાદી પરિબળો સમાજના ભાગલા પડે તે માટે પ્રયત્ન કરે છે સમાજ તૂટે એટલે રાષ્ટ્ર માટે એક મોટી સમસ્યા ઉભી થાય દેશમાં જ રહેલા કેટલાક વિઘાતક તત્વો સામાજિક સમરસતાને તોડવા પ્રયાસો કરે છે ત્યારે બાબા સાહેબના વિચારો રાષ્ટ્રના નિર્માણ માટે સર્વોત્તમ પુરવાર થઈ શકે છે
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें