शनिवार, 22 जून 2024

એ આઈ ટેકનોલોજી વિકાસ વિરોધી નથી

ચોપાસ

 તા.22.6.20

++++++++++++++

એ આઈ ટેકનોલોજી વિકાસ વિરોધી નથી

++++++

નવી વસ્તુ આવતા જૂની વસ્તુ દૂર થાય છે. મોબાઇલ ફોન આવવાથી એસટીડી અને પીસીઓ દૂર થયા. રેડિયો આવવાથી જે રીતે ગામો પણ દૂર થયા. ડીઝલ એન્જિન આવવાથી જે રીતે સ્ટીમ એન્જિન  દૂર થયા અને ઈલેક્ટ્રિક એન્જિન આવવાથી ડીઝલ એન્જિન દૂર થયા આ વિકાસની એક પ્રક્રિયા છે તેને અટકાવી શકાય નહીં વિકાસની સાથે ચાલુ જરૂરી છે તેનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. 


++++++++++++++++++++++++


આજે મોટાભાગના ભણેલા ગણેલા માણસોને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ માં ઝાઝી ગતાગમ પડતી નથી છતાં પોતે આ બાબતમાં નિષ્ણાંત હોય તે રીતે નિવેદનો આપી રહ્યા છે.એક નિવેદન એવું છે કે આ ટેકનોલોજી માનવતાને માટે મોટું જોખમ છે. એ આઈ ટેકનોલોજી વાળા યંત્ર માનવો જ્યારે મેદાનમાં આવશે ત્યારે તહેલકો મચી મચી જશે. પરંતુ સાથોસાથ તેનો સદ ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ કંટ્રોલર પાસે હોવી જોઈએ તે   જો નો હોય તો તેમાં મોટી મુશ્કેલી નું સર્જન થઈ શકે છે. 

એઆઈ ટેક્નૉલૉજી એક રીતે મયાવહ લાગે છે, પરંતુ તમારા ખિસ્સાનો સ્માર્ટફોન એપોલો મેશનના ચંદ્ર-ઉતરાણ કરતાં વધુ ચડિયાતું સુપર કમ્પ્યુટર છે. તે તમને ડરાવતું નથી. એઆઈ સાથે પણ આવું જ હશે. એઆઈ સાધનો વિકસાવવા માટે ઉચ્ચ કૌશલ્યની જરૂર પડશે, પરંતુ તેનો ઉપયોગ કરવા માટે નહીં.

પણ આ ટેકનોલોજી એક જોખમ પણ છે. એઆઈ ધરાવતી પરંતુ ડ્રોઇંગ કૌશલ્ય નહીં ધરાવતી વ્યક્તિ પણ યોગ્ય રેખાંકનો બનાવી શકે છે. એઆઈની મદદ ધરાવતો કોડર ૧૦ ગણા વધુ કોડ બનાવી શકે છે. એઆઈ દ્વારા બિનજરૂરી- ઊભા કરવામાં આવેલા ચિત્રકારો અને કોર્ડ્સનું શું થાય છે?


દરેક વ્યક્તિ જે એઆઈને કારણે નોકરી ગુમાવે છે તેને સર્જનાત્મક પ્રતિભાશાળી બનવાની જરૂર નથી જે નવી એઆઈ સક્ષમ આર્થિક તકો સાથે પાછો ફરી શકે છે. પણ પડકારોનો સામનો કરવા અને સફળ થવા માટે મોટી સંખ્યામાં સર્જનાત્મક મગજ જરૂરી છે. તે સર્જનાત્મક્તાના સામાજિક વિક્ષેપ, આઉટ ઑફ ધ બૉક્સ વિચારવાની ક્ષમતા સત્તાના આજ્ઞાપાલન માટે વિરોધી ગુણો માટે કહે છે. 


ભારતમાં અત્યાર સુધી ના અવલોકનો બતાવે છે કે ડિજિટલ ટેકનોલોજીને કારણે લોકોને રોજગારી વધુ મળી છે એ આઈ આવ્યા પછી આની ઝડપ બમણી થઈ છે અહીં એક એવી દલીલ કરવામાં આવે છે કે નવી ટેકનોલોજી આવશે એટલે લાખો લોકોની નોકરી જશે પરંતુ જે લોકો પોતાની જૂની ઘરે પ્રમાણે ચાલશે જૂની ટેકનોલોજી નો ઉપયોગ કરશે તો ચોક્કસ તેની નોકરી જશે પરંતુ જે જમાના સાથે કદમ મેળવશે તેની નોકરી જળવાઈ રહેશે માત્ર નોકરી જળવાઈ રહે છે પૂરતું નથી પરંતુ તેની પ્રગતિ પણ થશે તે પણ એક હકીકત છે.ભારતના અત્યાર સુધીના પ્રગતિના આંકડા બતાવે છે કે એઆઈ સંબંધિત નોકરીઓ અન્ય ડિજિટલ ભૂમિકાઓ કરતાં બમણી ઝડપે વધી રહી છે, આનાથી સ્પષ્ટ થાય છે કે, કોઈ વ્યક્તિ એઆઈને કારણે નોકરી ગુમાવશે અથવા પહેલાં કરતાં વધુ મૂલ્ય મેળવવા માટે એઆઈનું દોહન કરશે. એનો આધાર વ્યક્તિ પાસેના માનવીય કૌશલ્ય પર છે.


કોઈ વ્યક્તિ માત્ર કોઈની સૂચનાઓ અનુસાર જ આગળ વધતી હોય તો શક્ય છે કે, તે એઆઈ સામે પોતાની નોકરી ગુમાવી બેસે. પોતે જે કરે છે તેના પર અંકુશ ધરાવતા લોકો પોતાની ઊપજ વધારવા એઆઈ સાધનો શોધી લેશે. 

એઆઈને વિકસાવવા માટે સ્માર્ટ કોડ લખવાનો, ભ્રામક્તા, પૂર્વગ્રહ અને સુસંગત વિશ્વસનીયતા માટેનાં પરિણામોનું પરીક્ષણ કરવાનો, એઆઈ સાધનોનું ઉત્પાદન કરવાનો અને તેના જેવી બાબતોનો સમાવેશ થાય છે.

આનો અર્થ એ છે કે, ઉચ્ચ સ્તરની તે નોકરીઓ, ઉચ્ચ સ્તરનાં શિક્ષણ અને નવિનતા માટે હાકલ કરે છે. તે પરંપરાગત ઉત્પાદન, વ્યવસ્થાપક વહીવટ, માર્કેટિંગ, લૉજિસ્ટિક નોકરીઓ વગેરે વાજબી સંખ્યામાં નિર્માણ કરશે.

એઆઈ મોટી સંખ્યામાં અદ્યતન કમ્પ્યુટિંગ ચિપ્સની માગ કરશે, જે ઉત્પાદન પરિવહન, સર્વર ફાર્મમાં (ક્લાઉડ કમ્પ્યુટિંગ માટે) અથવા ઉપકરણોમાં કમ્પ્યુટિંગ ઇન- સીટયુ (એજ કમ્પ્યુટિંગ) માટેનો અવાજ બુલંદ કરશે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ કામ કરવા મોટા ડેટા મોક્લવા માટે સક્ષમ અલ્ટ્રા-ફાસ્ટ નેટવર્કસની જરૂર છે. નેટવર્કને મૂકવું અને આવા નેટવર્કસ માટે માર્ગ બનાવવાનો અર્થ હજી વધુ પરંપરાગત નોકરીઓ એવો થાય છે. એક સમયે ડેટા મોકલવા માટે એલ્યુમિનિયમ અને કોપરના વાયર નો ઉપયોગ થતો હવે ફાઇબર ઓપ્ટિક્સ નો ઉપયોગ થઈ રહ્યો છે જે હતી ઝડપથી મોટા પ્રમાણમાં ડેટા મોકલી શકે છે. આનાથી કામ ઝડપી બન્યું છે લોકોને રોજગારી મળી છે આમ છતાં

એઆઈ સામાન્ય નોકરીઓ પર કેવી રીતે અસર કરશે અથવા તેમાં પરિવર્તન કરશે, અ વધુ મહત્ત્વની બાબત છે. એ સમજવા માટે બિન્જ કોપીલોટ પર જાવ અને તેને રામ મંદિરનું સ્કેચ દોરવાનું કહો અથવા હો ચી મિન્હની તરજ પર ખેડૂતોના વિરોધ માટે સૂત્રો લખવા માટે કહો.. જે બહાર આવશે તે તમને આનંદિત અને સાવધ બન્ને કરશે. નર બકરીના આકારમાં મંદિરોનાં ચિત્રો નકાર્યા પછી તમને હિન્દુ મંદિરની યોગ્ય છબિ મળે  શું એઆઈ . મોટા પ્રમાણમાં નોકરીઓને ખતમ નહીં કરે? આ દલીલ પ્રથમ નજરી સાચી લાગે છે


પરંતુ તેનો અર્થ સામૂહિક  બેરોજગારી ન હતો. મોટર પરિવહને પોતાની રીતે જ નવી નોકરીઓનું સર્જન કર્યું અને સમગ્ર નવા ઉદ્યોગોને આવવા અને ખીલવા સક્ષમ બનાવવા, લાખો નવી નોકરીઓ અને અકલ્પનીય સમૃદ્ધિનું સર્જન કર્યું!


એઆઈ દ્વારા ઘડવામાં આવેલી વિક્ષેપ તેના આર્થિક પતનમાં કોઈ અલગ હોવાની શક્યતા નથી. હવે સ્ક્વીડ ગેમ જેવા ટેલિવિઝન શો માટે વિચાર કરવા અને તેને વૈશ્વિક મેગા હિટ બનાવવા માટે નેટફિલિક્સ જેવા સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મની જરૂર છે. એવા ભવિષ્યની કલ્પના કરો જેમાં સેટેલાઇટ બ્રૉડબૅન્ડ અને એઆઈનું સંયોજન કોલકાતાના અભ્યાસુને વિક્રમ-વેતાળનાં સાહસો પર આધારિત ગ્રાફિક નવલકથા બનાવવા માટે સક્ષમ બનાવે છે, પૃથ્વી પરની દરેક ભાષામાં તેનું ભાષાંતર કરે છે અને તેને ગમે ત્યાંથી સુલભ બનાવે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ની મદદથી કામ ઝડપથી અને સહેલાઈથી થાય છે પરંતુ તેને કારણે વ્યક્તિની સર્જનાત્મકતા નષ્ટ થાય છે આથી એ આઈ નો ઉપયોગ બંધ કરવાના સૂચનો પણ કરવામાં આવે છે જેવી રીતે કેલ્ક્યુલેટર આવતા ની સાથે જ માનવીની ગણિત ગણવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે કેવી રીતે એ આઈ આવવાથી માનવીની વિચાર શક્તિ તો ઠીક પણ તમામ પ્રકારની ક્ષમતાઓ સાવ નબળી પડી જાય એવું બને પ્રાચીન ભારતની સંસ્કૃતિમાં યોગ દ્વારા માનવીની માનસિકના જાતની શક્તિના વિકાસની વાત છે જ્યારે આધુનિક ટેકનોલોજી માનવીની સર્જનાત્મકતાને પડકાર આપે છે તે પણ એક હકીકત છે 

સુરેશ ભટ્ટ



कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें