My editorials and columns "CHOPAAS" and “SPECIAL" article” are regularly published in the evening daily “Saurashtra ASPPASS,” published in Bhavnagar city of Gujarat,
ગુરુવાર, 27 જૂન, 2024
સાયન્સમાં સુપર પાડપાવર હોવું જરૂરી છે
સાત કંપનીઓને કારણે અમેરિકા સર્વોપરી છે
પ્રાસંગિક
સાત દિગ્ગજ કંપનીઓએ અમેરિકાને સર્વોપરીતા આપી અને સ્ટોક માર્કેટ ને ટોપ પર પહોંચાડી દીધું
+++++
અમેરિકામાં વિશ્વની સાત મોટી કંપનીઓ આવેલી છે જેને કારણે અમેરિકા આજે વિશ્વમાં સર્વોપરી છે આ સાત કંપનીઓનો જગતમાં દબદબો છે આ ઉપરાંત અમેરિકા સમાજમાં વોરેન બફેટ જેવા જે ધન કુબેરો છે તે અમેરિકાના આર્થિક જગતના આધાર સ્તંભ છે. અમેરિકાનો સૌથી મોટો આધાર સ્થંભ તેનો ઇનોવેટિવ વર્ક ફોર્સ છે.
અને આના કારણે જ અમેરિકાનું સ્ટોક માર્કેટ વિશ્વને લીડ કરે છે. આથી ડોલરનો દબદબો છે.
++++++++
અમેરિકાની પ્રગતિનો આધાર તેના સાયન્ટિફિક રિસર્ચ પર આધારિત છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તે ચીન પછી બીજા ક્રમે આવે છે જ્યારે ભારત તેનાથી પાછળ છે પરંતુ ભારત વિશ્વનું સૌથી મોટું બજાર હોવાથી ભારતનું મહત્વ વિશ્વ ની અંદર સૌથી વધુ છે તે અમેરિકા અને ચીન પણ જાણે છે.
અમેરિકાના વિકાસની પાછળ સાત મોટી જાયન્ટ કંપનીઓનો મહત્તમ ફાળો છે આ સાત કંપનીઓ નો વિશ્વમાં દબદબો છે
ગત એક વર્ષમાં, મેગ્નિફિસન્ટ સેવન એટલે કે સાત [ મોટી ટેક કંપનીઓ આલ્ફાબેટ, એમેઝોન, એપલ, મેટા, માઈક્રોસોફ્ટ, એનવીડિયા અને ટેસ્લાનો આકાર સરેરાશ 80 ટકા વધી ગયો છે. આ સમયમાં ૨ અમેરિકાના શેર બજારની કુલ વૃદ્ધિમાં તેમનું અડધાથી તા વધુ યોગદાન રહ્યું છે. જ્યારે અમેરિકામાં જાહેરમાં 3 વેપાર કરનારા 4700 મીડિયન શેર ડાઉન છે, જે અસામાન્ય રીતે કેન્દ્રિકૃત રિટર્ન્સની સ્ટોરી છે, જે એઆઈ સંબંધિત કોઈ પણ શેર માટે વધતા ઉન્માદ પર આધારિત છે. આ કેટલું અસામાન્ય છે, તેનો અંદાજ લગાવવા માટે ધ્યાન આપો કે ભૂતકાળમાં અમેરિકામાં જ્યાં મોટા શેર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા હતા, ત્યાં નાના શેરને નુકસાન પહોંચાડતા ન હતા. 1970ના દાયકાની શરૂઆત અને પછી 90ના દાયકાના અંતમાં, સ્મોલ કેપ્સે બેવડા અંકમાં વાર્ષિક રિટર્ન આપ્યા અને બીજા ઉભરતાં બજાર સાથે તેમના નસીબમાં પણ ઉછાળો આવતો રહ્યો. જોકે, હવે નાનાને કોઈ પુછનાર
રહ્યું નથી. તેનાથી વિરુદ્ધ ભારતનું બુલ માર્કેટ વ્યાપકતા પર આધારિત એક ક્લાસિક છે. શેર બજારનો ફાયદો બધા ક્ષેત્રોમાં સમાન રીતે વિતરિત કરાય છે. ગત વર્ષના કુલ રિટર્ન્સમાં કોઈ પણ ક્ષેત્રનું યોગદાન એક ચતુર્થાંશ પણ ન હતું. એપલ જેવા ટેક-દિગ્ગજ અમેરિકાના ફાયદામાં કામ કરે છે.ભારતના એક પણ સિંગલ ઉદ્યોગની સરખામણીએ વધુ ભાગીદારી ધરાવે છે.
આની સામે ભારતના ઉદ્યોગપતિઓ પણ જે કાર્ય કરી રહ્યા છે તેને ઓછું આપી શકાય નહીં પરંતુ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને હાસીયા ધકેલી દેવા માટેના રાષ્ટ્રીય લેવલે કાવતરા થયા છે. પરંતુ તેમાં ભારતની જીત થઈ છે ભારતના ઉદ્યોગપતિઓને ડાઉન કરવા માટે ઘણા પરિબળો દેશ માટે તેમજ વિદેશમાં સક્રિય છે છતાં ભારતની પ્રગતિને અટકાવવી સહેલી નથી મોદી સરકારની ત્રીજી ટર્મ ની શરૂઆત તે શેરબજારમાં ઉછાળો આવ્યો હતો સરકારની સારી કામગીરી અને ઔદ્યોગિક વિકાસથી શેરબજાર ઊંચું આવે છે
જ્યારે ભારતમાં જો મોટા કેપ શેરમાં વૃદ્ધિ થઈ રહી છે તો મધ્યમ અને નાના કેપમાં તેના કરતાં પણ વધુ વધારો થઈ રહ્યો છે. મીડિયન સ્ટોકના પગ ઉખડવા તો દૂર, 2023ની શરૂઆતથી તે 40 2 ટકા વધી ગયા છે. વિકસતા બજારોમાં, ભાવના હિસાબે બધા સ્મોલ કેપ શેરમાં ભારતની ભાગીદારી 25 ટકા - થઈ ગઈ છે, જે તાઈવાન, દક્ષિણ કોરિયા અને ચીન સહિત કોઈ પણ બીજા દેશ કરતા વધુ છે. એક માન્યતા એવી છે, ચીનમાંથી રોકાણનું પલાયન થવાનો સીધો ફાયદો ભારતને થઈ રહ્યો છે. હકીકતમાં, ભારતમાં વિદેશી નાણાનો પ્રવાહ તો થઈ રહ્યો છે, પરંતુ ઘરેલુ નાણા જેટલી ઝડપથી નહીં.
અમેરિકાના એઆઈ જનિત આશાવાદથી વિરુદ્ધ
ભારતને ઈક્વિટી સંસ્કૃતિના પ્રસારથી પ્રોત્સાહન મળી રહ્યું છે. વધતી આવકની સાથે વધુને વધુ લોકો શેર ખરીદવામાં સક્ષમ થઈ રહ્યા છે. ભારતીયો દ્વારા 'વ્યવસ્થિત રોકાણ યોજનાઓ'માં કરવામાં આવતા નાણા ગત બે વર્ષમાં ત્રણ ગણા વધી લગભગ 110
અબજ ડોલર થઈ ગયા છે. ગત બે દાયકામાં ભારતમાં જાહેર રીતે લિસ્ટેડ કંપનીઓની સંખ્યા લગભગ પાંચ ગણી વધીને 2800 થઈ ગઈ છે, જ્યારે અમેરિકામાં આ એક ચતુર્થાંશ ઘટીને 4700 રહી ગઈ છે. ત્યાં શ્રેષ્ઠી વર્ગોએ મોટાભાગના ઉદ્યોગમાં મજબૂત પકડ બનાવવાનું શરૂ કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં લગભગ 180 કંપનીઓનો માર્કેટ કેપ 1 અબજ ડોલરથી વધુ છે અને આ દાયકામાં તેમનું મૂલ્ય -
ત્રણગણું થઈ ગયું છે.
ભારતમાં મોટા ભાગના બુલ માર્કેટ્સમાં સમયથી હુ વધુ વૃદ્ધિ જોવા મળી રહી છે. તે વધતા છુટક રોકાણકાર વર્ગના સબસેટમાં જોવા મળી રહ્યા છે. ગત વર્ષે ભારતીયોએ 85 અબજ કરતા વધુ વિકલ્પ ખરીદ્યા, એટલે કે અમેરિકાથી લગભગ 8 ગણા વધુ.. 4.6 ટ્રિલિયન ડોલરના કુલ મૂલ્ય સાથે ભારતનું બજાર અમેરિકાના 62 ટ્રિલિયન ડોલરની સામે વામણું જ છે.
મોટાભાગના વૈશ્વિક રોકાણકાર દુનિયા પર ફાઈનાન્શિયલ દબદબો ધરાવતા અમેરિકામાં શેરના વધતા ભાવોથી ચકિત છે. જોકે, ભારતનું બુલ માર્કેટ વે પોતાની પ્રકૃતિમાં વધુ મજબૂત અને અનોખું છે. આવા અ બે મુખ્ય શેરબજારોના સ્વરૂપમાં- જે તાજેતરમાં જ ડોલરના સંદર્ભમાં સર્વકાલિન સર્વોચ્ચ સ્તરે પણ २ २ પહોંચ્યા છે- અમેરિકા અને ભારત દુનિયાથી આગળ ૯ ચાલી રહ્યું છે. તેમના બજાર અપેક્ષાકૃત મજબૂત અર્થતંત્ર અને આશાવાદી ઘરેલુ રોકાણકારોના એક મોટા આધાર દ્વારા સંચાલિત હોય છે. જોકે, આ સમાનતાઓ ઉપરાંત આ બંને બુલ એકસમાન દેખાય ૩ છે. એક અર્થમાં અમેરિકા એક ઐતિહાસિક વિસંગતિ છે. ત્યાં બધું એક મોટા ક્ષેત્ર (એટલે કે ટેક્નોલોજી) પર ( ટકેલું છે અને તેના ક્ષેત્રના અંદર મુખ્યત્વે માત્ર કેટલાક દિગ્ગજ (મેગ્નિફિસન્ટ સેવન) છે. પરંતુ હવે તેઓ હવે વયુ વૃદ્ધ થઈ રહ્યા છે અને બીજા શેર માંથી ઉર્જા ખેંચવા લાગ્યા છે મતલબ કે અમેરિકાના જે મોટાભાગના ધન કુબેરો છે તે હવે આયુષ્યના અંતિમ તબક્કામાં છે. દાખલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અતિ ધનવાન છે પરંતુ તે વયોવ્રદ્ધ બની ચૂક્યા છે આવી જ રીતે ફોરેન બફેટ પણ હવે વયોવૃદ્ધ છે.અમેરિકાના મોટા રોકાણ કારો પણ જીવનના અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યા છે તેમને રાષ્ટ્રના વિકાસમાં જબરજસ્ત ફાળો આપ્યો છે પરંતુ હવે પછીની નવી પેઢીમાં અમેરિકાના સંશોધન ક્ષેત્રના લોકો વિદેશમાંથી આવેલા છે દાખલા તરીકે ભારતમાંથી આવેલા લોકોએ અમેરિકા અને ટેકનોલોજી ક્ષેત્રે એક નવી ઊંચાઈ આપી છે આમ છતાં અમેરિકાના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આશાવાદ તો છે ટૂંકમાં ભારતના બજારમાં અમેરિકા કરતા અનેક ગણી વધુ વિવિધતા છે.
સુરેશ ભટ્ટ
મંગળવાર, 25 જૂન, 2024
ભારતનો અર્થ તંત્રપ્રાસંગિક ભારતના વિકાસની ગતિમાં બ્રેક મારવા ના ચાઇનાના નિષ્ફળ પ્રયાસો +++++++++++++++ ચીન ભારતની એક એવી વિકસતી તાકાત તરીકે જુએ છે જે તેની ક્ષમતા કરતા વધુ ઝડપે વિકાસ પામી રહી છે આ વસ્તુ વિસ્તારવાદી ચીનને જરાય ગમતી નથી. ++++++++++++++++ કાશ્મીરમાં ચૂંટણી સફળતાપૂર્વક થઈ અને પાકિસ્તાન તરફ પ્રેમ ધરાવતા ભારતના રાષ્ટ્રવિરોધીઓ ભુરાયા થયા. નવી સરકાર સત્તામાં આવે તેવા સમયે કાશ્મીરમાં આતંકી હુમલાઓ થયા વડાપ્રધાને તાત્કાલિક હાઈ લેવલની મીટીંગ બોલાવીને ઓપરેશન ઓલ આઉટ નો અમલ કરવા ઓર્ડર આપી દીધો અને લશ્કરને છૂટો આપી તેઓ ઇટાલીની વિદેશ યાત્રાએ ઉપડી ગયા. કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ અને વિકાસના સપના સાકાર થાય તે કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનને ગમે નહીં તે હકીકત છે બીજી બાજુ ભારતની ધરતી પર રહીને ભારતનો અન્નખાતા ભારત વિરોધીઓ તરત જ તે પાકિસ્તાનની અને ત્રાસવાદની તરફેણ કરવા જાહેર નિવેદનો કરવા લાગે છે અને ત્રાસવાદ સામે નમ્રતાથી વર્તી સમાધાન કરવા માટેની સુફિયાની સલાહો આપવા લાગે છે પરંતુ આ વસ્તુ શક્ય જ નથી કારણ કે આતંકવાદનો નાશ થવો જોઈએ. બીજી બાજુ સરહદ પર ચીન શાંત નથી બેઠું તે નવા નવા કન્સ્ટ્રક્શન કરે છે અને ઓચિંતા જ હડપલા કરી પોતાની આક્રમકતા વ્યક્ત કરે છે તેને ભય છે કે ભારતની આર્થિક ને લશ્કરી પ્રગતિ એક જી-2 વિશ્વ વ્યવસ્થા સ્થાપવાની ચીનની મહત્વકાંક્ષા ઉપર પાણી ફેરવી શકે છે જી-2 એટલે એક એવી દુનિયા જેમાં અમેરિકા અને ચીન બે જ ધ્રુવ હોય ભારત આ સ્થિતિને પડકારી તેને જી -,3 ના ત્રિકોણ નું રૂપ આપી શકે છે જીન્નાભાઈ પાયાવ્યો નથી કોઈ પણ દેશની ભૂ રાજકીય તાકાતના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છ.કોઈ પણ દેશની ભૂ-રાજકીય તાકાત તેના હાર્ડ પાવર અને સોફ્ટ પાવરના સંયોજનથી નક્કી થાય છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડાનું અર્થતંત્ર નાનું અને લશ્કરી તાકાત ઓછી છે, પરંતુ સોફ્ટ પાવર મોટો છે. જ્યારે જાપાન દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર હોવા છતાં મોટી ભૂ-રાજકીય તાકાત નથી. બ્રિટનનું અર્થતંત્ર સારી સ્થિતિમાં નથી અને તેની સૈનિક ક્ષમતા પણ વધુ નથી, તેમ છતાં લાંબા સમયથી તેનો દુનિયા પર દબદબો છે. આ મોટું કારણ તેનો સોફ્ટ પાવર છે, એટલે કે અંગ્રેજી, ફિલ્મ, ટીવી, સાહિત્ય, સંગીત, રમત-ગમત, શૈક્ષણિક સંસ્થાઓ. ભારતમાં આજે પણ એ જરૂરી આત્મવિશ્વાસ આવ્યો નથી અને તે વિદેશીઓ પાસેથી માન્યતાની આશા રાખે છે. તેના કારણે તેના હાર્ડ પાવરને ટેકો મળતો નથી, જ્યારે કે તે દુનિયાની પાંચમું સૌથી મોટું અર્થતંત્ર અને ચોથી સૌથી મોટી લશ્કરી તાકાત છે. તેમ છતાં તેના સોફ્ટ પાવરને દુનિયામાં જોઈએ તેવું સ્થાન મળતું નથી, જે સાંસ્કૃતિ વિવિધતાને કારણે અત્યંત સમૃદ્ધ છે. જૂન-2022માં ભારત બ્રિટનને પછાડીને દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું હતું. વૈશ્વિક અને ભારતીય નાણાસંસ્થાઓની વચ્ચે આ બાબતે સર્વસંમતિ સધાઈ ચૂકી છે કે, ભારતનો જીંડીપી આવતા વર્ષે 6%ના દરે વધશે અને ત્યાર પછી તે 7% થઈ જશે. રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામો અને ચીનમાં કોરોનાની સ્થિતિ પર ઘણું બધું આધાર રાખે છે. 31 માર્ચ, 2023ના રોજ ભારતનો નોમિનલ જીડીપી અંદાજિત રીતે 3.60 ટ્રિલિયન ડોલરનો થવાની સંભાવના વિશ્વબેન્કના તાજા અનુમાનોમાં જણાવાયું છે. ત્યાર પછી ભારત જર્મની અને જાપાનની નજીક પહોંચી જશે. વર્તમાનમાં જર્મની દુનિયાનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર છે અને 31 માર્ચ, 2023ના રોજ તેના 4.3 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રબનવાનું પૂર્વાનુમાન છે. જાપાન ત્રીજા ક્રમે છે અને તે 5.1 ટ્રિલયનના આંકડાને પાર કરી શકે છે. જર્મની અને જાપાનનો વાર્ષિક વિકાસ દર ક્રમશઃ 1.4% અને 0.8% રહેવાનો અંદાજ છે. વર્તમાન વિકાસ દર અનુસાર ભારત 2025-26 સુધી જર્મની અને 2027-28 સુધી જાપાનને પછાડીને દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે. આ એટલી મોટી સિદ્ધિ છે કે જેને ઓછી આંકવી ભૂલ કહેવાશે. 2010 સુધી ભારત દુનિયાનું નવમું સૌથી મોટું અર્થતંત્ર હતું અને ઈટાલી જેવા દેશ તેનાથી આગળ હતા. 2014માં ભારત એક પગથિયું પાછળ ખસીને 10મા ક્રમે પહોંચી ગયું હતું. એ સમયે આપણો જીડીપી 2.04 ટ્રિલિયન ડોલર હતો, પરંતુ ત્યાર પછીના દસ વર્ષમાં જીડીપી વધીને લગભગ બમણો થઈ ગયો છે. તેમ છતાં ભારત પોતાની સામેના વર્તમાન ભૂ- રાજકીય પડકારોને કારણે દુનિયામાં પ્રભાવશાળી સ્થિતિમાં બેસી શક્યું નથી. ચીન-પાકિસ્તાન ગઠબંધન તેના ઉદયમાં અવરોધ નાખવા સક્ષમ છે. ચીનની થિન્ક ટેન્ક એવા ફોરકાસ્ટિંગ-ટૂલ્સનો ઉપયોગ કરે છે, જેની મદદથી વિવિધ દેશોની આગામી અનેક દાયકાની આર્થિક પ્રગતિનો અંદાજ લગાવી શકાય છે. ડેટા મુજબ આગામી 20 વર્ષમાં ભારત અને ચીનના જીડીપીનું અંતર ધીમે-ધીમે ઘટતું જશે. 2030ના દાયકામાં અમેરિકા અને ભારતનું સંયુક્ત અર્થતંત્ર ચીનથી મોટું થઈ જશે અને એશિયા- પ્રશાંત વિસ્તારમાં તેમનું સૈનિક ગઠબંધન પણ ઓછું તાકાતવાળું રહેવાનું નથી. ભારતની પ્રગતિથી ચીન ડરી રહ્યું છે. જિનપિંગ ભારતને એવી વિકસતી તાકાત તરીકે જૂએ છે, જે ક્ષમતા કરતાં વધુ આગળ નીકળી ગયું છે. એલએસી પર ચીનની આક્રમકતાનું મૂળ આ જ છે. જોકે, ચીનની વૃદ્ધ થતી જઈ રહેલી વસતી, આંતરિક અસહમતી અને તૂટી રહેલા અર્થતંત્રને કારણે જિનપિંગની મહત્ત્વાકાંક્ષાઓ નિષ્ફળ થઈ શકે છે. ભારત સામે તો એક જ લક્ષ્ય હોવું જોઈએ - સેનાનું આધુનિકીકરણ કરવાની સાથે પોતાના સોફ્ટ પાવરને આગામી કેટલાક વર્ષમાં દુનિયાભરમાં ફેલાવી દેવો. સુરેશ ભટ્ટ
રાષ્ટ્રની એકતા માટે બંધારણ સર્વોપરી છે
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે
tntrilekh shanti paritoshik
tntrilekh shanti paritoshik
વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાહો પર નજર
નાખતાં શાંતિનું નોબેલ પારિતોષિક કોને
મળી શકે, એ સવાલ મૂંઝવનારો હતો.
દુનિયાભરમાં ઠેકઠેકાણે અશાંતિ અને સંઘર્ષ
ચાલે છે. ક્યાંક અંદરોઅંદર, ક્યાંક દેશ-દેશ
વચ્ચે. આખી સ્થિતિ રામ વગરના રામાયણ
જેવી છે. એમાં કોઇને શાંતિના નોબેલ
પારિતોષિક માટે હકદાર ગણવાનું અઘરું પડે.
શાંતિનું નોબેલ પારિતોષિક
મેળવી ચૂકેલા અમેરિકાના પ્રમુખ બરાક
ઓબામા હુમલાખોર
દેખાયા વિના અંતિમવાદી સંગઠન
આઇએસઆઇએસનો પ્રભાવ કેવી રીતે
રોકવો તેની ફિરાકમાં હોય ત્યારે તો ખાસ.
એવી પણ અટકળો હતી કે આ વર્ષે કોઇ પણ
વ્યક્તિ કે સંસ્થાને આ સન્માન માટે યોગ્ય
ગણવામાં ન આવે એવું બને.
પરંતુ સંસ્થાઓ અને સન્માનો કાઢીને
બેઠા પછી બને ત્યાં સુધી એવી ભાવના રહે કે
મૂળ હાર્દને તાણીતુુસીને પણ કોઇ નામ જાહેર
થઇ શકે તો સારું. એમાં પણ એ નોબેલ
પારિતોષિકની અને ખાસ કરીને શાંતિના નોબેલ
પારિતોષિકની વાત હોય, ત્યારે તેનો ઇતિહાસ
ખાસ્સો ભમરાળો છે.
તેની સૌથી જાણીતી ગરબડોમાંની એક
ગાંધીજીને શાંતિના નોબેલ પારિતોષિકથી ધરાર
વંચિત રાખવાની છે. એ વિશે ઘણું લખાઇ ચૂક્યું
છે અને પછીનાં વર્ષોમાં નોબેલ સમિતિએ
ભૂલનો એકરાર પણ કર્યો છે.
અગાઉના ભેદભાવ પછી ગાંધીજીને શાંતિનું
નોબેલ પારિતોષિક આપવાનું વિચારાયું એ જ
વર્ષે તેમની હત્યા થઇ. એટલે મરણોત્તર
નોબેલ પારિતોષિક જાહેર ન
કરવાના ધારા પ્રમાણે, કમિટીએ ‘આ વર્ષે કોઇ
જીવીત વ્યક્તિ શાંતિના નોબેલ પારિતોષિક
માટે લાયક નથી’ એવી, ગાંધીજી તરફ મોઘમ
ઇશારો કરતી નોંધ સાથે વર્ષ ખાલી જવા દીધું.
એ જ ગાંધીજીને ત્યાર પછી તો એકથી વધુ
વખત નોબેલ કમિટીએ યાદ કર્યા છે. આ વખતે
પણ
પાકિસ્તાની યુવતી મલાલા યુસુફઝઇની સાથે
ભારતીય કર્મશીલ કૈલાશ સત્યાર્થીનું નામ
શાંતિના નોબેલ પારિતોષિક માટે જાહેર
કરતી વખતે કમિટીના પ્રવક્તાએ ગાંધીજીને
યાદ કર્યા અને કહ્યું કે બાળકોના હકો માટે
અને તેમને મજૂરીના ચક્કરમાંથી છોડાવવા માટે
કૈલાશ સત્યાર્થીએ અનેક આંદોલનો-
ચળવળો કરી છે અને એ
બધી ગાંધીજીના માર્ગે, સદંતર અહિંસક રીતે
કરી છે. (મલાલાના અનેક ગણા વધારે
પ્રતાપી પૂર્વસૂરુ ખાન અબ્દુલગફ્ફાર ખાન-
બાદશાહખાન- નોબેલ શાંતિ પારિતોષિક માટે
એકદમ યોગ્ય હતા, પણ એ તો સમિતિને
કદી દેખાયા જ નહીં.) કૈલાશ સત્યાર્થીનું નામ
બહુમતી ભારતીયોએ પહેલી વાર નોબેલ
પારિતોષિક નિમિત્તે જ સાંભળ્યું, એ પણ એક
વાસ્તવિકતા છે. તેમને બાળકોના શોષણ
સામેની કામગીરી માટે નોબેલ કમિટીએ પસંદ
કર્યા છે. એટલે ટૂંક સમયમાં તેમને ભારતીય
નાગરિક સન્માનો પણ મળશે.
સત્યાર્થીની સરખામણીમાં મલાલા યુસુફઝઇ
એક ‘સેલિબ્રિટી’ છે. પાકિસ્તાનના સ્વાત
વેલી પ્રદેશમાં બાળકીઓના ભણતર માટે
ઝુંબેશ ચલાવનારી મલાલાને બે વર્ષ
પહેલાં તાલીબાનોએ ગોળી મારી હતી.તેમ
છતાં મલાલા હિંમત હારી નહીં અને છોકરીઓને
શિક્ષણ અપાવવા માટેનું કામ ચાલુ રાખ્યું.
જોેકે તાલિબાની હુમલા પછી આંતરરાષ્ટ્રિય
પ્રસાર માધ્યમોમાં મલાાલાનો ભારે
જયજયકાર થયો. એવું પણ કહેવાયું કે
મલાલાને તેના નક્કર કામની સામે
મળેલી પ્રસિદ્ધિ અપ્રમાણસરની અથવા પશ્ચિમી પ્રસાર માધ્યમોની આવા કોઇ પ્રતીક માટેની ભૂખનું પરિણામ છે.
પાકિસ્તાનમાં અસલામતીના પ્રશ્નો પછી હાલ
બ્રિટનમાં રહેતી સત્તર વર્ષની મલાલા માટે
રૃઢિચુસ્ત પાકિસ્તાનીઓને
જુદા પ્રકારનો વાંધો છે- અને તેની સાથે સંમત
થઇ શકાય એમ નથી. પરંતુ
મલાલાની અપ્રમાણસરની પ્રસિદ્ધિ અને તેને
એક પ્રતીક
બનાવી દેવાની તાલાવેલી ચોક્કસપણે
વિચારવા જેવા મુદ્દા છે.
તેમાં મલાલાના કામને કે તેની હિંમતને
ઓછી આંક્યા વિના, હઇસો હઇસોથી દૂર
રહેવાની જ વાત છે. ઇન્ટરનેટ અને સોશ્યલ
નેટવર્કિંગના આ યુગમાં અહોભાવ અને
ધીક્કાર ઘણી વાર
હવામાંથી ઝીલી લેવામાં આવે છે. ત્યાર
પછી વ્યક્તિનું કામ નહીં, પણ કેવળ તેનું નામ
એક પ્રતીક બની જાય છે.
મલાલા જેવી સત્તર વર્ષની હિંમતબાજ
છોકરીને લડતનું પ્રતીક બનાવવાથી કે
તેનાં વખાણ
કરવાથી થતી ‘ફીલગુડ’ની લાગણી લોકોને
બાકીની જવાબદારીમાંથી કે બીજું કંઇ
નહીં કર્યાના અપરાધભાવમાંથી મુક્તિ પણ
આપી શકે છે. એમાં મલાલાનો કશો વાંક નથી.
કોઇ પણ નોબેલ પારિતોષિક સામાન્ય રીતે
ચોક્કસ વર્ષનું અપાતું હોવા છતાં, તેનું
મહત્ત્વ અને તેનો વ્યાપ લાઇફટાઇમ
અચીવમેન્ટ પ્રકારનાં હોય છે. એ દૃષ્ટિએ
મલાલાને નોબેલ પારિતોષિક થોડું પ્રદાન માટે
અને ઘણું બધું પ્રોત્સાહન માટે અપાયું હોય
એવું લાગે છે. નોબેલ કમિટીના પ્રવક્તાએ
ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે એક ભારતીય અને
એક પાકિસ્તાની, એક હિંદુ અને એક મુસ્લિમને
આ પારિતોષિક એનાયત કરવાનું પણ મહત્ત્વ
છે. આ પ્રકારનો સુમેળ સાંભળવામાં બહુ
સારો લાગે, પણ તેનાથી નવી આશાનો સંચાર
થાય કે વૈશ્વિક અશાંતિનું વાતાવરણ બદલાય
એવું અત્યારે તો જણાતું નથી.
સૌજન્ય: ગુજરાત સમાચાર
રવિવાર, 23 જૂન, 2024
શિક્ષણ જગતની અધોગતિ
https://www.instagram.com/reel/DRTgwJbiDdR/?igsh=MXF0dG9sdzVlOWo0MA==
-
પ્રાસંગિક અથવા ચોપાસ +++++++ ભાવનગર ને આંગણે અનોખા આનંદનો ઉત્સવ સ્ટ્રીટ જલસા ++++++++++++++ ભાવનગરમાં દર વર્ષે યોજાતો ‘સ્ટ્રીટ જલસા’ કાર્...
-
તા.૪.૧.૨૬ પ્રાસંગિક “સીટીઝન સાયન્ટિસ્ટ”ના જોખમી પ્રયોગો ++++++++++++++++++++ ઓનલાઈન વેચાતી અમુક મેડિસિન એવો દાવો કરે છે કે તે લેવાથી શરીર...
-
સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો ખાસ લેખ ભારત હવે પછી આર્થિક મહાસત્તા બનશે ++++++++ અમેરિકાના ભારે ટેરીફ ના કારણે ભારતનું અર્થતંત્ર તૂટી જશે તેવી ...