मंगलवार, 9 जुलाई 2024

રાષ્ટ્રનો સાત ટકા વિકાસ દર

તંત્રીલેખ


રાષ્ટ્રનો સાત ટકા વિકાસ દર
++++++++++
ભારત વિશ્વની મહાસત્તા બની રહી છે વિકાસદર પણ વધતો જાય છે આગામી વર્ષોમાં વિકાસ દર સાત ટકા જેટલો થશે. આની સામે એક દાયકામાં વર્ષે ૧.૨૦ કરોડ રોજગાર નિર્માણ કરવા જરૂરી બની જાય છે. દેશમાં કરોડપતિ લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેની બરોબર સામે ગરીબોની સંખ્યામાં પણ મારી ન શકાય તેટલા મોટા વધારે થઈ રહ્યો છે. કરોડપતિ બનનાર ની સંખ્યા મર્યાદિત છે એની ટકાવારી ખૂબ ઓછી છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સંખ્યા અને ઘણી વધી રહી છે દેશમાં વિકાસની સાથે રોજગારીની તકો પણ વધી રહી છે પરંતુ તેની સમાન ઓછું છે જેટલા પ્રમાણમાં ગરીબ વિશેનો વધારો થાય છે એટલા પ્રમાણમાં રોજગારી વધતી નથી રોજગારી વધે છે પરંતુ તે  ભલાગણેલા અને ટેકનોલોજીમાં આગળ ગણાતા લોકોની રોજગારી વધે છે. પરંતુ જે સામાન્ય કામ કરે છે. ધંધો કરે છે તેને ટેકનોલોજી સાથે બહુ ઓછી લેવાદેવા છે માત્ર તેઓ મોબાઇલ ચલાવી શકે છે. ડિજિટલ બેન્કિંગ કરી શકે છે પરંતુ તેનો રોજગારીમાં ઉપયોગ તેઓ કરી શકતા નથી. પછી તેમના ભાગમાં સામાન્ય કામ ધંધો જ રહે છે અને તેઓ ની આવક મર્યાદિત રહી જાય છે.
ભારતમાં આવકની અસમાનતા છે ભારતનો આર્થિક વિકાસ દર સાત ટકા જેટલો ઊંચો રહેવા છતાં આગામી દાયકામાં વધનારા કાર્યબળ માટે પૂરતા રોજગાર નિર્માણ કરવા ભારતે સંઘર્ષ કરવો પડશે. દેશમાં રોજગાર તથા સ્કીલ્સ વધારવા સરકારે સતત પ્રયાસો કરવાની આવશ્યકતા રહેશે.દેશની રોજગાર બજારમાં પ્રવેશનારા નવા રોજગાર ઈચ્છુકોને સમાવી લેવા આગામી એક દાયકામાં વર્ષે ૧.૨૦ કરોડ રોજગાર નિર્માણ કરવાની આવશ્યકતા પડશે એમ રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે.સાત ટકાના આર્થિક વિકાસ દરમાં ભારત વર્ષે ૮૦થી ૯૦ લાખ રોજગાર નિર્માણ કરી શકશે. ભારતમાં ઊભા થઈ રહેલા રોજગારની ગુણવત્તા એક મોટો પડકાર છે. ભારતનું ૪૬ ટકા કાર્યબળ હજુપણ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે પરંતુ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડકટમાં આ ક્ષેત્રનો હિસ્સો વીસ ટકાથી પણ ઓછો છે. ૨૦૨૩માં કુલ રોજગારમાં ૧૧.૪૦ ટકા રોજગાર ઉત્પાદન ક્ષેત્રમાં રહ્યો હતો જે ૨૦૧૮ની સરખામણીએ નીચો હતો. કોરોનાની અસરમાંથી ઉત્પાદન ક્ષેત્ર રોજગારની દ્રષ્ટિએ ૨૦૨૩માં બહાર આવ્યું નહીં હોવાનું કહી શકાય છે.તાજેતરની લોકસભાની ચૂંટણીમાં બેરોજગારીનો મુદ્દો મહત્વનો બની રહ્યો હતો.મેમાં સાત ટકા રહ્યા બાદ દેશમાં બેરોજગારીનો આંક જૂનમાં વધી ૯.૨૦ ટકા સાથે  આઠ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો. ગયા વર્ષના જૂનમાં આ આંક ૮.૫૦ રહ્યો હતો એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના ડેટામાં જણાવાયું હતું. નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ 23 જુલાઈએ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આ બજેટ પાસે દેશના પગારદાર વર્ગને ઘણી અપેક્ષાઓ છે. નિષ્ણાતો એવું પણ માને છે કે જો સરકાર પગારદાર વર્ગને ટેક્સમાં છૂટ આપે તો તેમની ખરીદશક્તિ વધશે. જેના કારણે વપરાશમાં પણ વધારો થશે. સરકાર પણ આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. બજેટમાં મધ્યમવર્ગને કેન્દ્રિત કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે.જીવનનિર્વાહના વધતા ખર્ચનો સામનો કરવાની શક્તિ હવે ઝડપથી ઘટતી જાય છે ગરીબ અને મધ્યમ વર્ગમાં લોકો મર્યાદિત આવકમાં માંડ માંડ પોતાના ઘરનું ગુજરાન ચલાવી શકે છે જે લોકો નોકરી કરે છે તેનો પગાર મહિને નિયમિત રીતે પરંતુ ખૂબ જ મર્યાદિત આવે છે ઓછી આવકમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બનતું જાય છે



 



 નોકરિયાત વર્ગને સારા સમાચાર.

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें